વંથલીમાં આજરોજ સૌરાષ્ટ્ર-કચ્છ ફકીર સમાજના પ્રમુખ ઈરફાનશાહ સોહરવર્દી નાં નેતૃત્વમાં એક રોષપૂર્ણ આવેદનપત્ર મુખ્યમંત્રી ને સંબોધી નાયબ કલેકટર ને આપી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મુકામે તાજેતરમાં લઘુમતિ સમાજની બાળા ઉપર થયેલ બળાત્કારની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી,અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં છાશવારે આવી ઘટનાઓ રોજબરોજ પ્રકાશમાં આવી રહી છે, કોડીનારની ઘટનામાં સત્તાધારી પક્ષના એક રાજકીય માધાનતા ની સંડોવણી ને પગલે સ્થાનિક પોલીસ મંદ ગતિએ આગળ વધી રહી હોય આ સમગ્ર ઘટનાની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન મારફત કરાવવા અને આરોપી વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ ભોગ બનનાર બાળા ને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહયોગ ચુકવવા અને આ બાળા અને તેના પરિવારને પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી,નારી સન્માન અને સુરક્ષા ની મોટી મોટી ગુલબંગો ફેંકતી રાજ્ય ની ભાજપ સરકાર સામે ચોમેર થી ફિટકાર ની લાગણી પ્રસરી રહી છે,આ નીંદનિય અને જઘન્ય ઘટના માં પોલીસે તાત્કાલિક આરોપીઓ ને અટક માં લેવા જોઈએ તેના બદલે હજુ સુધી મુખ્ય આરોપી ને પોલીસ પકડી શકી નથી અથવા રાજકીય પ્રેસર તળે લાજ શરમ કાઢવામાં આવી રહી છે ત્યારે ભાજપ નાં વરિષ્ઠ નેતા અને આ દુષ્ટ કર્મ નાં મુખ્ય આરોપી ને તાત્કાલિક પકડી કડક કાર્યવાહી ની માંગ ઉઠી છે

આવેદનપત્ર આપતી વેળાએ સૌરાષ્ટ્ર કચ્છ ફકીર સમાજ ના પ્રમુખ ઈરફાનશાહ સોહરવર્દી,મૌલાના રઉફ શિરાઝી, બાવામિયાં સૈયદ,રહેમાનશા સર્વદી, ઓસમાણશા સર્વદી સહિત મુસ્લિમ સમાજ નાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

  • જીજ્ઞેશ પટેલ માણાવદર