By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    24 hours ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    7 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    23 hours ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    23 hours ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    24 hours ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    1 day ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?
Hemadri Acharya Dave

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

Khaskhabar Editor
Last updated: 2026/02/28 at 4:27 PM
Khaskhabar Editor 5 months ago
Share
10 Min Read
SHARE

ન્યાય, પ્રતિશોધ અને રાજકીય કાવાદાવાની શતરંજ!

ભારતીય રાજકારણના ઇતિહાસમાં 27 ફેબ્રુઆરી, 2026ની તારીખ એક નિર્ણાયક વળાંક તરીકે નોંધવામાં આવશે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને દારૂ નીતિ (ઊડ્ઢભશતય ઙજ્ઞહશભુ) કેસમાં ‘ક્લીન ચીટ’ મળવી એ માત્ર કોર્ટનો ચુકાદો નથી, પરંતુ સત્તાના એ ગંદા ખેલનો ખુલાસો છે જ્યાં ‘તપાસ’ અને ‘તથ્ય’ વચ્ચેનું અંતર દિવસેને દિવસે વધતું જાય છે. આમ આદમી પાર્ટી (અઅઙ) માટે આ ભલે ‘ક્લીન ચીટ’ હોય, પણ જનતાની અદાલતમાં હજુ ઘણા સવાલો અનુત્તર છે.
કેસ જાણે એવો હતો કે દિલ્હી સરકારની 2021-22ની દારૂ નીતિ સંબંધિત મામલે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો અને એ સંદર્ભે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય સચિવ નરેશ કુમારના અહેવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર ની ભલામણથી ઈઇઈંની તપાસ શરૂ થઈ. 26 ફેબ્રુઆરી 2023ના રોજ ની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ 21 માર્ચ 2024એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે લાંબી પૂછપરછ પછી ને કસ્ટડીમાં લીધા, એટલે તેઓ જેલમાં હતા. ત્યાર પછી 26 જૂને ઈઇઈંએ આ જ આબકારી નીતિના કેસમાં પૂછપરછ માટે કોર્ટની મંજૂરી લઈને તેમને જેલમાંથી પોતાની કસ્ટડીમાં લીધા.
આ મામલે ચુકાદો આપતા સ્પેશિયલ જજ્જે કડક શબ્દોમાં નોંધ્યું કે તપાસ એજન્સીઓ દ્વારા રજૂ કરાયેલા પુરાવા એટલા નબળા હતા કે તેના આધાર પર ટ્રાયલ શરૂ કરવાનું પણ યોગ્ય ગણાય નહીં.જજના મત મુજબ કેસ એવો હતો જેમાં શંકા તો ઊભી કરવામાં આવી, પરંતુ તેને સાબિત કરે તેવો એકપણ સક્ષમ પુરાવો રજૂ થઈ શક્યો નથી. માત્ર આરોપો ગોઠવી દેવામાં આવ્યા હોય એટલું પૂરતું નથી – આરોપોને ટેકો આપે તેવા વિશ્વસનીય અને કાયદેસર પુરાવા હોવા જરૂરી છે, જે અહીં જોવા મળ્યા નથી. ઈઇઈંના આ કેસમાં કોઈ મોટું ષડયંત્ર કે ગુનાહિત ઇરાદો દેખાતો નથી અને તપાસ એજન્સીઓ પુરાવા એકત્ર કરવામાં નિષ્ફળ રહી છે.
આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી વિવાદાસ્પદ પાસું આ નેતાઓએ જેલમાં વિતાવેલો લાંબો સમય રહ્યો છે. મનીષ સિસોદિયાએ લગભગ 17 મહિના (530 દિવસ) અને અરવિંદ કેજરીવાલે આશરે 5 મહિના જેલના સળિયા પાછળ વિતાવ્યા. ઙખકઅ (મની લોન્ડરિંગ વિરોધી કાયદો) ની કઠોર કલમોને કારણે આ નેતાઓને કોઈ નક્કર સજા વિના આટલો લાંબો સમય જેલમાં રહેવું પડ્યું. આ સ્થિતિને ‘પ્રક્રિયા જ સજા છે’ (ઙજ્ઞિભયતત શત વિંય ાીક્ષશતવળયક્ષિ)ં તરીકે જોવામાં આવે છે, જ્યાં ટ્રાયલ શરૂ થાય તે પહેલાં જ આરોપીને જેલમાં રાખીને તેની રાજકીય અને સામાજિક છબીને નુકસાન પહોંચાડવામાં આવે છે.
ભાજપ માટે આ મામલો ‘સાપે છછુંદર ગળ્યા’ જેવો થયો છે. ત્રણ વર્ષ સુધી જેલ અને તપાસના નામે જે નેરેટિવ બનાવવામાં આવ્યું, તે કોર્ટમાં પુરાવાના અભાવે પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું છે. ભાજપ હવે આ ચુકાદા સામે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી રહી છે, જેથી જનતામાં સંદેશ જાય કે કાયદાકીય લડાઈ હજુ પૂરી થઈ નથી. આ ઉપરાંત, ભાજપ હવે આબકારી કેસને બદલે ‘શીશમહેલ’ વિવાદ (કેજરીવાલના નિવાસસ્થાન પાછળનો કરોડોનો ખર્ચ) અને વહીવટી નિષ્ફળતા જેવા મુદ્દાઓને હવા આપશે. ભાજપ માટે પડકાર હવે એ છે કે તે ‘ભ્રષ્ટાચાર’ના એ નેરેટિવને કેવી રીતે જીવંત રાખે, જે કોર્ટની તાજેતરની ટિપ્પણીથી નબળો પડ્યો છે. તપાસનો ઉદ્દેશ્ય ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો ઓછો અને વિરોધ પક્ષને વહીવટી રીતે પાંગળો કરવાનો વધુ હતો તેવી શંકા હવે વધુ પ્રબળ બની છે.
આલીશાન બંગલો અને ઈમાનદારીના દંભ વચ્ચેની ખાઈના સંદર્ભે અરવિંદ કેજરીવાલ માટે પણ આ વિજય સંપૂર્ણ નથી. ભલે એક્સાઈઝ કેસમાં રાહત મળી, પણ ‘કટ્ટર ઈમાનદારી’નો દાવો કરનાર નેતાના આલીશાન બંગલા પર થયેલો કરોડોનો ખર્ચ તેમની છબી પર કાયમી ડાઘ છે. શું એક સામાન્ય જનતાના પ્રતિનિધિને આટલા વૈભવી જીવનની જરૂર છે? જે નેતા જૂની ગાડી અને સાદગીના શપથ લેતા હતા, તેઓ હવે સત્તાના વૈભવમાં ક્યાંક ખોવાઈ ગયા છે તેવું જનતા જોઈ રહી છે. કોર્ટની નિર્દોષતા એ ‘નૈતિક પવિત્રતા’નું પ્રમાણપત્ર નથી. કેજરીવાલ દ્વારા ભાજપને ફરીથી ચૂંટણી યોજવાનો પડકાર ફેંકવો અને એમ કહેવું કે “જો ભાજપ 10 બેઠકો પણ જીતી જશે તો તેઓ રાજકારણ છોડી દેશે,” તે એક સમજી-વિચારીને ખેલેલી રાજકીય ચાલ છે.
આ સમગ્ર પ્રકરણમાં સૌથી વધુ વિરોધાભાસી ભૂમિકા કોંગ્રેસની રહી છે.

- Advertisement -

ભાજપ માટે ‘સાપે છછુંદર ગળ્યા’ જેવી સ્થિતિ: હવે ‘શીશમહેલ’ મુદ્દે ઘેરવાની તૈયારી

કોર્ટના ચુકાદાથી નેરેટિવ નબળું પડ્યું: 3 વર્ષની તપાસ બાદ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો કેસ, હવે હાઈકોર્ટમાં અપીલ અને વહીવટી નિષ્ફળતા પર ભાજપ આપશે ભાર

જ્યારે વિરોધ પક્ષોની એકતાની વાત આવે, ત્યારે કોંગ્રેસ બૂમો પાડીને કહેતી હતી કે ભાજપ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને વિરોધીઓને દબાવે છે. પરંતુ જેવો કેજરીવાલને કોર્ટમાંથી છુટકારો મળ્યો, કે તરત જ કોંગ્રેસનો સૂર બદલાઈ ગયો છે. હવે કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે આ મુક્તિ એ ‘ભાજપ અને આપ વચ્ચેની ગુપ્ત સાંઠગાંઠ’ અથવા ‘ઇ ટીમ’ હોવાનું પ્રમાણ છે. પંજાબ કોંગ્રેસ પ્રમુખે પ્રશ્ર્ન કર્યો કે જો આરોપ ગંભીર ન હતા તો લાંબા સમય સુધી જેલમાં કેમ રાખ્યા? અને જો ગંભીર હતા તો હવે મુક્ત કેમ કર્યા? આ બદલાતા નિવેદનો સાબિત કરે છે કે રાજકારણમાં કોઈ સિદ્ધાંત નથી, માત્ર અનુકૂળતા મુજબના તર્ક છે.
પંજાબનું ગણિત અને આંતરિક ખેંચતાણ
2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર્યા પછી અઅઙ માટે પંજાબ આશાનું કિરણ છે. 2022માં 117માંથી 92 બેઠકો જીતનાર અઅઙ હવે આ નિર્ણયને સત્યની જીત તરીકે રજૂ કરી રહી છે. જોકે, પંજાબના કેટલાક નેતાઓને લાગે છે કે દિલ્હીનું નેતૃત્વ રાજ્યના કામમાં વધારે દખલ કરી રહ્યું છે, જેને વિરોધ પક્ષે રિમોટ કંટ્રોલ સરકાર કહી છે. પંજાબના મંત્રીઓ માને છે કે આ નિર્ણયથી 2027માં પાર્ટી વધુ મોટી જીત મેળવી શકશે, પરંતુ કોંગ્રેસ હજુ પણ પંજાબના એક્સાઈઝ કેસ આગળ ન વધવા બાબતે સવાલો ઉઠાવી રહી છે.
ટૂંકમાં, આ લડાઈ ’ભ્રષ્ટાચાર વિરુદ્ધ શુદ્ધતા’ની નથી, પરંતુ ’સત્તા ટકાવવા વિરુદ્ધ સત્તા મેળવવા’ની છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની આ મુક્તિ ભારતીય લોકશાહીમાં તપાસ એજન્સીઓની નિષ્પક્ષતા પર ગંભીર સવાલ ઉભા કરે છે. જો કેજરીવાલ આ જીતને જનતા સુધી સાચી રીતે લઈ જવામાં સફળ રહેશે, તો તે વિરોધ પક્ષોની એકતાનું નવું કેન્દ્ર બની શકે છે. પરંતુ મતદારોએ એ સમજવું પડશે કે રાજકીય પક્ષો માટે ‘ન્યાય’ અને ‘સિદ્ધાંત’ માત્ર વાતો છે; અસલી ખેલ તો માત્ર સત્તાના સિંહાસનનો છે. કોઈ નેતા જેલમાં જાય કે મુક્ત થાય તેનાથી સામાન્ય લોકોના પાયાના પ્રશ્ર્નો બદલાતા નથી.
આથી, આ સમગ્ર પ્રકરણને માત્ર રાજકીય જીત કે હાર તરીકે જોવું પૂરતું નથી.
આ ઘટના એક કોર્ટ કેસનો અંત હોઈ શકે, પરંતુ તે ભારતીય લોકશાહીની સંસ્થાઓ પર ઊભા થયેલા સવાલોની શરૂઆત પણ છે. જ્યારે ચૂંટાયેલા નેતાઓ લાંબા સમય સુધી આરોપોના ભાર હેઠળ જેલમાં રહે અને અંતે તપાસ એજન્સીઓ પુરાવા સાબિત કરવામાં નિષ્ફળ રહે, ત્યારે પ્રશ્ર્ન વ્યક્તિગત નિર્દોષતા કરતાં મોટો બની જાય છે. શું તપાસ પ્રણાલી ખરેખર રાજકીય દબાણથી પર છે? શું કાયદો સમાન રીતે બધાને લાગુ પડે છે, કે પછી તે સત્તાના સંતુલન અનુસાર વળાંક લે છે?
લોકશાહી માત્ર ચૂંટણીથી જ જીવંત નથી રહેતી; તે સંસ્થાઓની વિશ્ર્વસનીયતા, ન્યાયપ્રણાલીની સ્વતંત્રતા અને તપાસ એજન્સીઓની નિષ્પક્ષતા પર ટકી રહે છે. જો તપાસ એજન્સીઓ પર શંકાનો પડછાયો પણ પડે, તો રાજ્યવ્યવસ્થાની નૈતિકતા કમજોર બને છે. બીજી તરફ, રાજકીય નેતાઓ માટે પણ આ ક્ષણ આત્મમંથનની છે. કાયદાકીય નિર્દોષતા અને નૈતિક પવિત્રતા એકસરખી નથી. જાહેર જીવનમાં પારદર્શિતા અને સાદગી માત્ર ભાષણો માટે નહીં, પરંતુ વર્તન માટે પણ જરૂરી છે.
આ પ્રકરણ એ પણ દર્શાવે છે કે ભારતમાં રાજકીય નેરેટિવ ઘણી વખત કોર્ટના ચુકાદાથી પહેલાં જ રચાઈ જાય છે. મીડિયા ટ્રાયલ, સોશિયલ મીડિયા અભિયાન અને રાજકીય ભાષણો સત્યને પોતાની રીતે ઘડે છે. ત્રણ વર્ષ સુધી ભ્રષ્ટાચાર શબ્દ રાજકીય ચર્ચાના કેન્દ્રમાં રહ્યો; હવે સાજિશ અને પ્રતિશોધ નવા નેરેટિવ બની રહ્યા છે. પરંતુ સત્ય ઘણીવાર આ બંને અતિરેકોની વચ્ચે ક્યાંક હોય છે – અને તે સત્ય સુધી પહોંચવા માટે શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને સંસ્થાગત પ્રણાલીઓની જરૂર છે.
ભાજપ માટે આ પડકાર છે કે તે પોતાના રાજકીય વિરોધીઓને કાયદાકીય લડાઈમાં હરાવવાની કોશિશ કરશે કે પછી નીતિ અને વિકાસના મુદ્દાઓ પર સ્પર્ધા કરશે. આમ આદમી પાર્ટી માટે પણ આ ક્ષણ માત્ર ઉજવણીની નથી, પરંતુ વિશ્વાસ પુન:સ્થાપિત કરવાની છે. કારણ કે જનતા અંતે પરિણામોથી નક્કી કરે છે, શાળાઓ, હોસ્પિટલ, રોજગાર અને શાસન વ્યવસ્થાની ગુણવત્તા પરથી.
અંતે, આ લડાઈ કોઈ એક નેતા, એક પક્ષ કે એક રાજ્યની નથી. આ લડાઈ ભારતીય લોકશાહીના સ્વરૂપની છે – શું તે મજબૂત સંસ્થાઓ પર ચાલશે કે રાજકીય નેરેટિવના પ્રવાહમાં વહેતી રહેશે?
ન્યાય મળ્યો કે રાજકીય પરિસ્થિતિએ દિશા બદલી – તેનો અંતિમ નિર્ણય ઇતિહાસ કરશે. પરંતુ એક સત્ય અચળ છે: સત્તાની લડાઈમાં સત્ય ઘણીવાર સૌથી છેલ્લે પહોંચે છે. અને જ્યારે સત્ય મોડું આવે છે, ત્યારે તેની કિંમત આખી પ્રજા ચૂકવે છે.

- Advertisement -

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉઘરાણીમાં ફસાયેલા નાણાંની કાયદેસર વસૂલાત
Next Article જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
Hemadri Acharya Dave

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?