વર્તમાન રાજકીય સંકટ વચ્ચે તેમણે પીએમ પદની રેસથી પોતાને દૂર કરી લેતા હવે ભારતીય મૂળના ઋષિ સુનક જીતની ખૂબ નજીક
બ્રિટનમાં હાલ વડાપ્રધાન પદને લઈ દેશમાં હલચલનું વાતાવરણ છે. આ બધાની વચ્ચે પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને આ લડાઈને અમુક હદ સુધી સરળ બનાવી દીધી છે. મહત્વનું છે કે, વર્તમાન રાજકીય સંકટ વચ્ચે તેમણે પીએમ પદની રેસથી પોતાને દૂર કરી લીધા છે. તેમના આ નિર્ણય બાદ હવે ભારતીય મૂળના ઋષિ સુનક જીતની ખૂબ નજીક આવી ગયા છે.
- Advertisement -
બોરિસ જ્હોન્સને ટેકો હોવાનો દાવો કરવા છતાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વની રેસમાંથી પોતાને બહાર ખેંચી લીધા છે. જોન્સને પોતાના નિર્ણય વિશે કહ્યું કે, આવું કરવું યોગ્ય નથી. કારણ કે, જ્યાં સુધી તમારી પાસે સંસદમાં એકીકૃત પક્ષ ન હોય ત્યાં સુધી તમે અસરકારક રીતે શાસન કરી શકતા નથી.
શું કહ્યું જ્હોન્સને ?
જ્હોન્સને કહ્યું કે, ચૂંટણીમાં તેમની પાસે ઘણું બધું છે, પરંતુ તેમને ડર છે કે આ યોગ્ય સમય નથી. તેમણે કહ્યું કે, તે 2024માં જીત માટે સારી રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે તેઓ પીએમ પદની રેસ તરફ એટલા માટે આકર્ષાયા હતા કારણ કે તેમણે સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટીને મોટી જીત અપાવી હતી. તેમણે મેર્યું હતું કે, જ્યાં સુધી તમારી પાસે સંસદમાં એકજૂટ મન ન હોય ત્યાં સુધી તમે અસરકારક રીતે શાસન કરી શકતા નથી.
- Advertisement -
મહત્વનું છે કે, લિઝ ટ્રસે ગુરુવારે (20 ઓક્ટોબર) વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આવી સ્થિતિમાં ફરી એકવાર અહીં રાજકીય સંકટ વધી ગયું છે. દેશે ફરીથી પોતાનો વડાપ્રધાન પસંદ કરવાનો છે. પીએમ પદની રેસમાં ઘણા નામો છે, પરંતુ બે નામ એવા છે જે સૌથી આગળ ચાલી રહ્યા હતા. જેમાં ભારતીય મૂળના ઋષિ સુનક અને પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સનનું નામ હતું. હવે બોરિસ જોન્સને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.
ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ ઋષિ સુનક ફરી એકવાર બ્રિટનના પીએમ પદની રેસમાં જોડાયા છે. યુકેના ભૂતપૂર્વ નાણાપ્રધાન સુનકે રવિવારે (23 ઓક્ટોબર) ના રોજ પીએમ પદ માટે તેમની ઉમેદવારીની જાહેરાત કરી હતી. રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વખતે કન્ઝર્વેટિવ પાર્ટીના 128 સાંસદ સુનકને સમર્થન આપી રહ્યા છે, જે પીએમ બનવા માટેના ન્યૂનતમ 100ના આંકડાથી ઘણા વધારે છે.