By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    7 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    7 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત
    15 hours ago
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    4 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    4 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    4 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મૈં તો વો હું, જિસે હર હાલ મેં બસ રોના થા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > મૈં તો વો હું, જિસે હર હાલ મેં બસ રોના થા
AuthorNaresh Shahબોલીવુડમનોરંજન

મૈં તો વો હું, જિસે હર હાલ મેં બસ રોના થા

Khaskhabar Editor
Last updated: 2022/01/28 at 12:59 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

‘વન ફિલ્મ વન્ડર’ સંગીતકારને બોલિવૂડના કોઠાકબાડા અને ચાપલૂસી માફક ન આવ્યાં

મૂકેશના સર્વકાલીન સદાબહાર પચ્ચીસ ગીતોમાં હક્કથી સ્થાન પામે અને સિતેરના દશકામાં ટોપ ટેનમાં રહેલાં વો તેરે પ્યાર ગમ ગીતની લોકપ્રિયતા તો એવી છે કે સર્જનના પાંચમા દશકામાં પણ તે યાદગાર ગણાય છે પણ તેના રચયિતા દાનસિંહને કોઈ યાદ કરતું નથી!

Contents
‘વન ફિલ્મ વન્ડર’ સંગીતકારને બોલિવૂડના કોઠાકબાડા અને ચાપલૂસી માફક ન આવ્યાં– નરેશ શાહ 

– નરેશ શાહ 

કિસ્મતના ખિલવાડ ક્યારેક માણસને એવી પછડાટ આપતાં હોય છે કે કશુંક નક્કર મેળવ્યાં પછી પણ તેની ઝોળી માત્ર વિષાદ, પછડાટ અને નિષ્ફળતાઓથી ભરી દેતી હોય છે. આજે અહીં જેની વાત આપણે કરવાના છીએ તેમના વિષે કશોય ફોડ પાડતાં પહેલાં આ ગીતો જરા ગુનગુનાગી લો : તુમ્હીં મેરે મંદિર, તુમ્હીં મેરી પૂજા (દિલ એક મંદિર), ચંદન સા બદન, ચંચલ ચિતવન (સરસ્વતીચં), કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે (પૂરબ ઔર પશ્ર્ચિમ)… આ ગીતોની ધૂન ભલે બીજા સંગીતકારોના નામે ચઢી હોય પણ તેના ઓરિજિનલ સર્જક સંગીતકાર દાનસિંહ હતા. કોણ દાનસિંહ ? વો તેરે પ્યાર કા ગમ, ઈક બહાના થા સનમ, અપની કિસ્મત હી કુછ ઐસી થી કે દિલ તૂટ ગયા અને જિક્ર હોતા હૈ જબ ક્યામત કા, તેરે જલવોં કી બાત હોતી હૈ… ગાયક મૂકેશે ગાયેલાં અને ગીતકાર હરિરામ આચાર્યએ લખેલાં માય લવ (શશી કપૂર – શર્મિલા ટાગોર) ફિલ્મના આ ગીત ઓફિશ્યિલી સંગીતકાર દાનસિંહના નામે છે અને સચ્ચાઈ એ છે કે આ ગીતો તમે ક્યારેક તો જરૂર ગણગણ્યાં છે.

- Advertisement -

આમ જૂઓ તો આ વન ફિલ્મ વન્ડર જેવા સંગીતકાર દાનસિંહ (જન્મ : 14 ઓકટોબર, 193ર. મૃત્યુ : 18 જૂન, ર011) ની કહાણી છે. મૂકેશના સર્વકાલીન સદાબહાર પચ્ચીસ ગીતોમાં હક્કથી સ્થાન પામે અને સિતેરના દશકામાં ટોપ ટેનમાં રહેલાં વો તેરે પ્યાર ગમ ગીતની લોકપ્રિયતા તો એવી છે કે સર્જનના પાંચમા દશકામાં પણ તે યાદગાર ગણાય છે પણ તેના રચયિતા દાનસિંહને કોઈ યાદ કરતું નથી. ન ત્યારે, ન આજે. અરે, લોકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ તેને એવી રીતે ભૂલી ગયેલાં કે તેમના વિષે ઈશમધુ તલવાર નામના પત્રકારે પ્રથમ વખત લખ્યું ત્યારે બધાનું રિએકશન એક જ હતું : દાનસિંહ જીવે છે ? હુન્નરના આગ્રહો, સ્વભાવની સાલસતા અને કિસ્મતના કોઠાકબાડા માણસ સાથે કેવા કેવા જુગાડ કરાવે તેની મિસાલ દાનસિંહ સ્વયં છે. સ્કૂલ ઓફ આર્ટસના પ્રોફેસર પિતાના પુત્ર દાનસિંહ જયપુર આકાશવાણીમાં કમ્પોઝર તરીકે નોકરી કરતાં હતા. માતા અવસાન પામી ત્યારે છુટૃી ન મળતાં(એ વખતે રેર્કોડીંગ નહીં, લાઈવ કાર્યક્રમો રેડિયો પરથી પ્રસારિત થતા હતા) બીજા જ દિવસે નોકરી છોડીને દાનસિંહ સાઈઠના દશકામાં મુંબઈ આવી ગયા અને સંગીતકાર ખેમચંદ પ્રકાશના આસીસ્ટન્ટ બની ગયા. પહેલી સ્વતંત્ર ફિલ્મ મળી ભૂલ ન જાના. નિર્માણ જગન શર્મા (પદમિની કોલ્હાપુરેના પતિ પ્રદિપ-ટૂટૂ-શર્માના પિતા) એ ભારત-ચીનના ખોખલા ભાઈ-ભાઈના નારાનો પર્દાફાશ કરતી આ ફિલ્મ બનાવી હતી. જેમાં ગુલઝારે લખેલું એક ગીત મૂકેશે ગાયેલું પણ…. પહેલાં આર્થિક બાબતમાં અટવાયેલી આ ફિલ્મ 1970માં પૂરી થઈ શકી ત્યારે વિદેશ મંત્રાલયે તેના પર પ્રતિબંધ મૂકી દીધો : આ ફિલ્મથી સુધરેલાં ભારત-ચીનના સંબંધ ફરી વણસવાની સંભાવના છે…

ભૂલ ન જાના કાયમ માટે સેલ્યુલોઈડના ડબ્બાના ભંગારવાડામાં અટવાઈને ભૂલાઈ ગઈ પણ દાનસિંહને એ પછી મળેલી માય લવ રિલિઝ થઈ. ફિલ્મ તો ન ચાલી પણ તેના ગીતો (આનંદ બક્ષ્ાી) એ ધમ્માલ બોલાવી દીધી પરંતુ ગીતના શબ્દોની જેમ દાનસિંહની કિસ્મત હી કુછ ઐસી થી કે દિલ તૂટ ગયા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની રાજરમત, ચાપલૂસી, ગૂટબાજી તેમને રાસ ન આવી અને તેઓ તબલાંતોડ મ્યુઝિકલ સક્સેસ પછી જયપુર પત્ની ડૉ. ઉમા યાજ્ઞિક પાસે આવીને રહેવા લાગ્યા. મૂકેશ, આશા ભોંસલે, મોહમ્મદ રફી, મન્ના ડે, ઉષા મંગેશકર, ગીતા દત્ત, સુમન કલ્યાણપુર જેવા ગાયકો પાસે ગીત ગવડાવનારાં દાનસિંહ વિષે લગભગ દોઢ દશકા પછી પત્રકાર ઈશમધુ તલવારે લખ્યું ત્યારે દુનિયાને ખબર પડી કે માય લવનું લોકપ્રિય સંગીત (જેમાં લક્ષ્મીકાંતે મંડોલિન, પ્યારેલાલે વાયોલિન, પંડિત શિવકુમાર શર્માએ સંતૂર અને હરિપ્રસાદ ચૌરસીયાએ બાંસુરી વગાડેલી) આપનારાં દાનસિંહ જયપુર જઈને ગુમનામ જિંદગી જીવી રહ્યાં છે. આકાશવાણી પર કવિ દુષ્યંતકુમાર, હરિવંશરાય બચ્ચન, મહાદેવી વર્માની કવિતાઓ કમ્પોઝ કરીને પત્ની ડૉ. ઉમા યાજ્ઞિક પાસે ગવડાવીને પેશ કરનારા, જયપુરના જ હરિરામ આચાર્ય જેવા કવિને ફિલ્મો માટે ગીત લખતાં કરનારા અને પછી ખેમચંદ પ્રકાશ (આયેગા આનેવાલા – મહલ) સાથે કામ કરનારાં દાનસિંહને હિન્દ સિનેમાનો માહૌલ રાશ ન આવ્યો. આખું ભારત તેમના બે સદાબહાર ગીતો ગણગણતું હતું ત્યારે હતાશ થઈને તેઓ જયપુર આવી ગયા. અલબત્ત, જયપુર આવ્યાં પછી તેમણે એકાદી રાજસ્થાની ફિલ્મ (ભાભોર) અને જગમોહન મુાંની ભવરીદેવી પર આધારિત બવંડર ફિલ્મમાં મ્યુઝિક આપ્યું પણ…

પોતાના વિષે લખીને ફરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ અને લોકોને જગાડનારાં લેખક-પત્રકાર ઈશમધુ તલવાર સાથે પછીથી તેમના આત્મીય સંબંધ થઈ ગયા હતા. તલવારે તો દાનસિંહજી પર વો તેરે પ્યાર કા ગમ નામનું નાનકડું પુસ્તક પણ લખ્યું. જોકે સૌથી પહેલી વખત આભાર પ્રકટ કરવા દાનસિંહજી પત્રકાર તલવારના ઘેર સામે ચાલીને આવ્યા હતા. વિદાય વેળાએ તલવાર તેમને વળાવવા ઉભા થયા ત્યારે દાનસિંહજી નહોતા ઈચ્છતાં કે ઈશમધુ તલવાર આ ફોર્માલિટી દાખવે. તલવાર તેમ છતાં ઘરની બહાર આવ્યાં ત્યારે તેમણે જોયું કે સંગીતકાર દાનસિંહજી તેમને મળવા સાયકલ પર આવ્યા હતા. સાયકલના પંખા પર લખેલાં નામથી ખ્યાલ આવતો હતો કે સાયકલ ભાડા પર લીધેલી…. અપની કિસ્મત હી કુછ ઐસી થી કે દિલ તૂટ ગયા.

- Advertisement -

You Might Also Like

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

ખાસ-ખબરની છ વર્ષની ખબર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આશા કંડારાની સફાઈ કામદારથી ડે. કલેક્ટર સુધીની સફર!
Next Article થિયરી ઑફ રિલેટિવિટી પરમપિતા બ્રહ્માનો સાપેક્ષવાદ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
અમદાવાદના પાર્થ પટેલ અને ગ્રૂપે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પર બાઇક અભિયાન પૂર્ણ કર્યું
રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!
ગુજરાતની 10 લાખથી વધુ દીકરીને દર મહિને મફત સેનેટરી નેપકીન
જમીન ન હોય તો ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે
નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?