By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    22 hours ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    23 hours ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    2 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    3 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    21 hours ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    2 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    2 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    3 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    3 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    4 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    4 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    6 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    21 hours ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    4 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હું નથી ઇચ્છતી કે લોકો મને યાદ રાખે : આનંદ શીલા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > હું નથી ઇચ્છતી કે લોકો મને યાદ રાખે : આનંદ શીલા
રાષ્ટ્રીય

હું નથી ઇચ્છતી કે લોકો મને યાદ રાખે : આનંદ શીલા

Khaskhabar Editor
Last updated: 2021/06/22 at 2:43 PM
Khaskhabar Editor 5 years ago
Share
11 Min Read
SHARE

મૂળ વડોદરાનાં પટેલ દંપતિના દીકરી શીલાએ ઓશો રજનીશ સાથે જોડાયા બાદ વિવાદોથી ઘેરાયેલી જિંદગી જીવી છે, અને આજે 72 વર્ષે તે સ્પષ્ટતાથી કહી શકે છે કે આ જિંદગીનું તેમને લગીરેક ગિલ્ટ નથી કે ન તો તે કોઇ કહેવાતા બોજમાંથી મુક્તિ મેળવવા માગે છે

ઓશો રજનીશની વિવાદાસ્પદ અને છતાંય પ્રભાવી જિંદગીમાં જેણે રસ લીધો છે તે તમામ મા આનંદ શીલાના નામથી અજાણ્યા નથી. મૂળ વડોદરાનાં શીલા પટેલને તેમનાં પિતા અંબાલાલ પટેલ પહેલીવાર ઓશો રજનીશને મળવા લઇ ગયા અને પછી જે થયું તેનાથી બધાં જ વાકેફ છે. નેટફ્લિક્સ પર આવેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ વાઇલ્ડ વાઇલ્ડ કંટ્રીને કારણે મા આનંદ શીલા ફરી ચર્ચામાં આવ્યા અને ‘સર્ચિંગ ફોર શીલા’ એ બીજી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ હતી જેમાં 34 વર્ષે ભારત આવેલા મા આનંદ શીલાની વાત કરાઇ. અનેક ઇન્ટરવ્યુઝ, જાતભાતના હાઇ સોસાયટીના લોકો સાથે મુલાકાત અને પિતાના હિંચકે બેસીને આંસુ લુછતાં મા આનંદ શીલાને બધાંએ ફરી જોયાં. મા આનંદ શીલા પર કથિત બાયોટેરરિઝમના હુમલો પ્લાન કરવાનો આક્ષેપ પણ મુકાયો તો જે ઓશો રજનીશને પોતે આજે પણ ગળાડુબ પ્રેમ કરે છે તે ઓશો રજનીશે પણ શીલાને ગુનેગાર ઠેરવ્યાં. 39 મહિના જેલમાં પસાર કર્યા પછી મા આનંદ શીલા જેલમાંથી છૂટ્યા પછી રજનીશ આશ્રમ સાથેના છેડા ફાડી સ્વિટ્ઝરલેન્ડમાં પંગુઓ અને વૃદ્ધો માટે કેર હોમ ચલાવે છે. તેણે તાજેતરમાં જ એક અખબારમાં ઇન્ટરવ્યુ આપ્યો હતો. જે અહીં પ્રસ્તુત છે.

- Advertisement -

એવા કયા સવાલો છે જેના જવાબ આપી તમે પણ હવે કંટાળ્યા છો?
લોકો મને હંમેશા પૂછે છે કે શું મને મુક્તિ મળી ગઇ છે, એક રીતે એમ કે શું હવે હું કોઇ બોજમાં છું ખરી? ત્યારે મને એમ થાય કે હું તો એ દિશામાં વિચારતી જ નથી. મારે જે કરવું હોય એ જ હું કરું છું, મારા મનમાં તે અંગે પુરી સ્પષ્ટતા છે. હું મુક્તિની અનિવાર્યતા વિશે શા માટે વિચારું? મને કોઇ ગિલ્ટ કે તે માટેની કોઇ ગુનાઇત લાગણી નથી. ગુનાઇત લાગણી અને મુક્તિ એક સિક્કાની બે બાજુ છે અને મને બેમાંથી કોઇપણ લાગુ નથી પડતાં. મોટા ભાગના લોકો મુક્તિ અને ગુનાઇત લાગણીની વચ્ચે જ જીવતાં હોય છે. મને કોઇએ એમ પૂછ્યું કે તમે ગિલ્ટ ફિલ થાય ત્યારે તમે શું પ્રતિક્રિયા આપો છો, પણ મને ગિલ્ટી ફિલ નથી થતું, હું એ જ કરું છું જે મારે કરવું હોય અને જે રીતે કરવું હોય તે જ રીતે કરું છું, તે રસોઇ હોય, સાફ સફાઇ હોય કે પછી કોઇ હાઇ ફિલોસોફીની વાત હોય. જે મારા મનમા હોય તે જ હું કરું છું, કહું છું.

શું તમે પહેલેથી જ મનસ્વી હતાં કે પછી તમે જે જિંદગી જીવ્યા તેને કારણે તમે તેવાં બન્યાં?
મને લાગે છે કે તે બંન્ને બાબતનું કોમ્બિનેશન છે. જિંદગીનાં પોતાનાં તત્વ હોય છે જેનાથી તમને પ્રેરણા મળે, પ્રેરણા તમને ત્યારે જ મળે જ્યારે તમારામાં એ ગુણ હોય. ગિલ્ટ ન હોય તો જ વ્યક્તિ મૂવ ઓન થઇ શકે.

માની લો કે આ પ્રામાણિક સવાલ તમને હું અત્યારે પૂછું છું, તમે શું જવાબ આપશો?
આ સવાલનો જવાબ મેં મારી રીતે નહીં પણ એક યા બીજી રીતે આપ્યો જ છે. મેં જે સત્ય હતું એજ કહ્યું છે. હું તે માણસને પ્રેમ કરતી હતી અને આજે પણ કરું છું. પ્રેમ અને સેક્સ બંન્ને અલગ ચીજો છે. મેં જ્યારે પણ ભગવાન (ઓશો રજનીશ) વિશે વિચાર્યું છે ત્યારે એક ક્ષણ માટે પણ મારી લાગણીઓને સેક્સ્યુઆલિટી સાથે નથી જોડી. ભગવાન માટે મને માત્ર પ્રેમ, સન્માન, આદર અને કૃતજ્ઞતા જ અનુભવાયાં છે. હું બસ પ્રેમમાં પડી, કોઇ જુવાન છોકરી પ્રેમમાં પડે એમ જ. હું જે રીતે પ્રેમમાં પડી તે રીતે કોઇ પ્રેમમાં પડે ત્યારે કોઇ કંઇ વિચારે નહીં, મગજ ન વાપરે, બસ પ્રેમમાં પડો પછી તે હોર્મોન્સ હોય કે ન હોય કંઇ ફેર નથી પડતો અને હું પ્રેમમાં હતી અને તે બહુ જ સરસ ફિલિંગ હતી.

- Advertisement -

કોઇપણ પ્રકારની અપેક્ષા વિના પ્રેમમાં પડ્યા હતા?

પ્રેમમાં અપેક્ષા ન હોય, અને જો હોય તો તે પ્રેમ નથી સોદો છે, બિઝનેસ છે, તું મારે માટે આમ કર અને હું તારે માટે આ કરું, – એવી ગોઠવણ હોય તો તેને પ્રેમ ન કહેવાય

તમે રજનીશથી છૂટાં પડ્યાં તેને વર્ષો થઇ ગયાં પણ એ કઇ બાબતો છે જે તમારામાં હજી પણ નથી બદલાઇ, જે ત્યારે પણ હતી?

તમે મને જુઓ છો, હું જેવી આજે છું તેવી ત્યારે પણ હતી, ભગવાન સાથે પણ અને ભગવાન વિના પણ. હું સ્પષ્ટ વક્તા ત્યારે પણ હતી અને આજે પણ છું, ઊંમરને કારણે કે હું જે વાતાવરણમાં રહું છું, જેમની કાળજી રાખું છું ત્યાં મને આકરી ભાષાની જરૂર નથી, ભાષા બદલાઇ છે. બસ માત્ર ઊંમરનો ફેર છે, મારી મૂળ પ્રકૃતિ જેવી હતી તેવી જ આજે પણ છે.

ભાષા અને વહેવાર સિવાય બીજી કઇ બાબતો છે જે બદલાઇ ગઇ છે?
હું હજી પણ કોમ્યુનિટી સાથે રહું છું, મારી જિંદગી મારી રીતે જીવું છું, તમે જિંદગીને એવી રીતે વહેંચી ન શકો, હા મીડિયાવાળા મારી જિંદગીનું ડાયસેક્શન કર્યા કરે છે અને ભલે કરતા, મને કંઇ બહુ ફેર નથી પડતો.

સમય સાથે બધું બદલાય છે એ આપણે જાણીએ છીએ પણ તમારા રજનીશ સાથેના વર્ષો અને અનુભવથી કેટલા આગળ વધી ગયાં છો?

બિલકુલ આગળ વધી છું, ઘણી બધી, હું મુવ ઓન થઇ ગઇ છું, એ તો હવે છે જ નહીં. શારીરિક રીતે તો તે છે નહીં. મેં મારી જિંદગી જીવવાની રીત, શૈલી શોધી. હું તેમની સાથે હતી ત્યારે તે જીવતી હતી, તેમના પ્રકારની જિંદગી જીવતી હતી તેનાથી અલગ જીવું છું, એક રીતે જોઇએ તો હું બહુ દૂર નથી કારણકે હું હજી પણ તેમને એટલો જ પ્રેમ કરું છું. તેમની પાસેથી શીખેલા પાઠ આજે પણ હું મારી જિંદગીમાં લાગુ કરું છું, જે રીતે જીવું છું તેમાં તેમનું શીખવેલું ઘણું છે.

તેમની શીખવેલી કઇ બાબતો હજી પણ તમારી સાથે છે, તમારી ભીતર છે?

પ્રેમ, જિંદગી, હાસ્ય, સ્વીકાર – આ બોધ હું તેમની પાસેથી શીખી, આ ચીજો આજે પણ મારામાં છે, હું તે સાથે રાખીને જ જીવું છું.

તમે સ્વીકારની વાત કરી, તમે રજનીશને પુરેપુરા સ્વીકાર્યા પણ તમારા બે જણ વચ્ચે જે વિવાદ થયો તે પછી તે તમને સ્વીકારી ન શક્યા? પોતે જે ઉપદેશ આપતા હતા તે પાળવામાં જ રજનીશ પાછા પડ્યા
તેમણે જે કહ્યું તે તેમની ચોઇસ છે, તેમણે એવું કેમ કર્યું તેનો જવાબ તેમણે આપવો રહ્યો. હું તેમને પ્રેમ કરું છું એટલે મારે તેમના પ્રત્યે થોડી વધારે ઉદારતા દેખાડવી રહી. વળી તે હંમેશા એમ કહેતા કે મારી આંગળી સામે નહીં પણ તે કઇ દિશામાં નિર્દેશ કરે છે તેની પર નજર રાખો. એટલે કે હું પોતે જે શીખવું છું તે અનુસરું છું કે નહીં તેની ફિકર ન કરો પણ હું ઇચ્છું છું કે તમે મારી પાસેથી તમે શીખો. હું ભગવાનની આ વાતને પુરેપુરી અનુસરું છું.

લોકોએ તમને કઇ રીતે યાદ રાખશે તો તમને ગમશે?

તેમણે મને જરાય યાદ રાખવાની જરૂર નથી. જે રીતે મને કેવી રીતે સંબોધવી કે બોલાવવી તે તેમની પર્સનલ ચોઇસ છે તે જ રીતે મારા જેવી વેગાબોન્ડને યાદ રાખવા માટે પણ તેઓ પોતાના મનનું કરે, જેમ ઠીક લાગે તેમ યાદ રાખે કે ન ય રાખે. હું જેવી છું તેવી જ તમે મને જુઓ છો અને તમારે તમારી જિંદગીના અનુભવોને આધારે મારી જિંદગીનો અર્થ કાઢો, તેની પ્રત્યે દ્રષ્ટિકોણ બાંધો, એ તો તમારે જોવાનું છે.

તમારી અત્યારની જિંદગીની વાત લોકો નથી કરતા તે તમને કઠે છે?
કેટલાક લોકોની દ્રષ્ટિ ટૂંકી હોય અને કેટલાકની દ્રષ્ટિ દીર્ઘ હોય છે, તો હવે એમાં તો હું શું કરી શકું કે તે લોકો મને કેવી રીતે જુએ છે કે કેવી રીતે યાદ રાખે છે. એવા પણ લોકો છે જે મારા અત્યારના કામને જુએ છે, પારખે છે, તેને પ્રશંસે છે તો એવા લોકો છે જે મારી ભગવાન સાથેની જિંદગી પર જ ફોકસ કરે છે. મને તો બેમાંથી એકેનો વાંધો નથી કારણકે બંન્ને મારી જ જિંદગી છે.

તમને એ વાતની અકળામણ નથી કે લોકો તમને રજનીશથી અલગ કરીને નથી જોતા?
ના, તમે મને એમનાથી કેવી રીતે અલગ કરશો, તે મારા શ્વાચ્છોશ્વાસ છે, મેં તેમને પ્રેમ કર્યો છે અને જે રીતે જિંદગી જઇ રહી છે હું ભવિષ્યમાં પણ તેમને પ્રેમ કરતી રહીશ.

જેલવાસને કારણે તમે કેટલાં બદલાયાં?

જો જેલમાં રહેવા જેવો અનુભવ તમને ન બદલે તો તમે કોઇ તક ગુમાવી એમ કહીશ. મારી દીકરી મને તેના સ્કૂલના વેકેશન દરમિયાન મળવા આવી હતી. તેણે મને પૂછ્યું, કે શીલી તું બદલાઇ ગઇ છે? તેનું અવલોકન સચોટ હતું. જો હું એ સમય દરમિયાન ન બદલાઉં તો મેં મારો સમય વેડફ્યો કહેવાય. મને જે અનુભવ મળ્યો તેના લીધે મને સમયનું મૂલ્ય અને ધીરજ બંન્ને બાબતો શીખવા મળી. સમયનું મૂલ્ય એ રીતે કે, આપણે રોજીંદી જિંદગીમાં સમયને સમજવામાં થાપ ખાઇએ છીએ અને એટલે જ સ્ટ્રેસમાં રહીએ છીએ. આપણે કહ્યા કહીએ કે મારી પાસે સમય નથી, મારે ત્યાં જવાનું છે, મારે પેલુ કરવાનું છે વગેરે. જેલમાં તો તમે માત્ર સમય જ ગણો છો. બધાં ગણતરી કર્યા કરે કે કેટલો સમય સજા ભોગવવાની છે, હજી કેટલો વખત જેલમાં રહેવાનું છે વગેરે. આ આખી બાબત સમય પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ જ બદલી નાખે. વળી જેલમાં તો લાંબો સમય રાહ જોવાની હોય છે, મેં પણ જેલમાંથી બહાર આવવા માટે 39 મહિના રાહ જોઇ, અને એ સમયે મને ધીરજ કેળવતા શીખવ્યું અને મારો સમય સતત વિચારોમાં વેડફાય નહીં તે પણ હું શીખી, મેં મારા સમયનો સદુપયોગ કર્યો. (સૌજન્ય: મિડ-ડે, ગુજરાતી)

You Might Also Like

અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!

ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર

ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જસદણની સરકારી હોસ્પીટલ ખાતે કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ
Next Article રાજકોટના ત્રંબામાં આવેલી આર કે યુનિવર્સિટી ખાતે યોગ દિવસની ઉજવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?