ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ
ક્ષત્રિય સમાજને મનાવવા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.2
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના એક નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો. જેના કારણે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યું છે. આ વિરોધ ફાળવવા માટે ગાંધીનગર ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલના નિવાસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અન્ય ક્ષત્રિય સમાજના આગેવાન એવા ભુપેન્દ્રસિંહ ચુડાસમા, બળવંતસિંહ રાજપુત, પ્રદીપસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં પાટીલે કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને માફ કરે. હું પણ ક્ષત્રિય સમાજની માફી માગું છું.
આ અંગે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે રાજકોટ ભાજપના ઉમેદવાર પરુષોત્તમ રૂપાલા દ્વારા જે કહેવામાં આવ્યું છે. તેના કારણે ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો. જોકે પુરુષોત્તમ રૂપાલા દ્વારા બે વાર ક્ષત્રિય સમાજની માફી પણ માગવામાં આવી હતી. આ વિવાદનો અંત આવે તે માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં આ સમગ્ર વિવાદનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન સક્રિય સમાજની સંકલન સમિતિ કે જેમાં બીઆરસી જેટલા સભ્યો છે. એમની સાથે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ક્ષત્રિય સમાજના આગેવાન નેતાઓ સાથે બેઠક કરશે. આવતીકાલે ગોતા ખાતે આ સંકલન સમિતિ સાથે બેઠક કરવામાં આવશે અને ક્ષત્રિય સમાજમાં ચાલી રહેલ વિરોધનું સુખદ અંત આવે તે માટે એક આયોજન પણ આ બેઠકમાં કરવામાં આવ્યું છે. બેઠકમાં ઉપસ્થિત ક્ષત્રિય સમાજના અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન નેતાઓને જવાબદારી સોંપવામાં આવ્યું છે. જેઓ ગુજરાતના વિવિધ ક્ષેત્રિય સમાજના સંગઠનો સાથે બેઠક કરશે એમની સાથે ચર્ચા કરશે અને ચર્ચા બાદ આ વિવાદનું સુખદ અંત આવે એ પ્રકારની આયોજન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને માફ કરે. હું પણ ક્ષત્રિય સમાજની માફી માગું છું કે આ મામલો અહીંયા જ પૂર્ણ થાય અને કોઈ પણ પ્રકારનો વિરોધ ન થાય એવું સી આર પાટીલે જણાવ્યું હતું.