By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    2 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    4 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    4 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    6 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન
    18 hours ago
    દેશમાં 1 લાખથી વધુ સરકારી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક !
    19 hours ago
    રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
    2 days ago
    દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
    2 days ago
    દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    20 hours ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    3 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    7 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    6 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    7 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમરનાથ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ અને સૌપ્રથમ ગુફા કોણે શોધી કાઢી હતી?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > અમરનાથ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ અને સૌપ્રથમ ગુફા કોણે શોધી કાઢી હતી?
Author

અમરનાથ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ અને સૌપ્રથમ ગુફા કોણે શોધી કાઢી હતી?

Khaskhabar Editor
Last updated: 2025/07/12 at 4:22 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

500 વર્ષ પહેલાં એક મુસ્લિમ ભરવાડને મળી આવી અમરનાથ ગુફા

શિવજીમાં શ્રદ્ધા રાખતા લોકો ભારે સંખ્યામાં દર વર્ષે કઠિન પડકારોનો સામનો કરીને અમરનાથ ગુફામાં ’હિમ શિવલિંગ’નાં દર્શને પહોંચે છે. અમરનાથ યાત્રા ખરેખર તો હિંદુઓ માટે પવિત્ર અમરનાથ ગુફા સુધીની યાત્રા છે. આ ગુફા સમુદ્રની સપાટીથી 3,888 મીટર એટલે કે 12,756 ફૂટની ઊંચાઈએ આવેલી છે. શ્રાવણ માસમાં શરૂ થતી આ યાત્રામાં લોકો 45 દિવસ સુધી ભાગ લઈ શકે છે. સામાન્યપણે દર વર્ષે ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા માટે પહોંચે છે. જોકે, આ વર્ષે એપ્રિલ માસમાં જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલા ચરમપંથી હુમલા બાદ ઘણા લોકોએ આ યાત્રા માટે પોતાનું રજિસ્ટ્રેશન રદ કરાવ્યું છે. જોકે, સરકારના પ્રયાસ છે કે લોકો કોઈ પણ જાતની બીક વગર સરકારી દિશા-નિર્દેશોનું પાલન કરે, જેથી અમરનાથ યાત્રામાં કોઈ પણ પ્રકારની મુસીબત ન આવે. હવે જ્યારે અમરનાથ યાત્રા શરૂ થવાની છે ત્યારે આ યાત્રાની શરૂઆત અને તેની સાથે જોડાયેલી પૌરાણિક માન્યતા અંગે કુતૂહલ જોવા મળે એ સ્વાભાવિક છે. અમરનાથ યાત્રા ભલે હિંદુઓની તીર્થયાત્રા હોય, પરંતુ આ યાત્રા સાથે એક મુસ્લિમ પરિવાર સૈકાઓથી જોડાયેલું છે. અમરનાથ ગુફા લગભગ 500 વર્ષ પહેલાં શોધાઈ હતી અને તેને શોધવાનું શ્રેય એક મુસ્લિમ બૂટા મલિકને અપાય છે. બૂટા મલિકના વંશજ હજુ પણ બટકોટ નામની જગ્યાએ રહે ચે અને અમરનાથ યાત્રા સાથે પ્રત્યક્ષપણે જોડાયેલા છે. આ જ પરિવારના ગુલામ હસન મલિકે 2017માં જણાવ્યું હતું કે તેમણે ગુફા વિશે જે કાંઈ સાંભળ્યું છે તેના અનુસાર આ ગુફા તેમના પૂર્વજ બૂટા મલિકે શોધી હતી. તેઓ કહે છે કે, “સાંભળવામાં આ વાત એકમદ પૌરાણિક કથા જેવી લાગે છે. બૂટા મલિક અમારા પૂર્વજ હતા. તેઓ એક ભરવાડ હતા. પહાડ પર ઘેટાં-બકરાં ચરાવતા હતા. તેમની મુલાકાત એક સાધુ સાથે થઈ અને બંનેની મિત્રતા થઈ ગઈ.” મલિક અનુસાર, “એક વાર તેમને ઠંડી લાગતા, તેઓ એ ગુફામાં જતા રહ્યા. ગુફામાં ઠંડી લાગી તો સાધુએ તેમને એક કાંગડી (એક પરંપરાગત પોર્ટેબલ હીટર) આપ્યું, જે સવારે સોનાના કાંગડીમાં તબદીલ થઈ ગયું.

- Advertisement -

” મલિક જણાવે છે કે આ સાંભળેલી વાતો અનુસાર જ્યારે બૂટા મલિક ગુફામાંથી નીકળ્યા, તો તેમને ઘણા બધા સાધુઓનું એક જૂથ મળ્યું, જે ભગવાન શિવની તલાશમાં ફરી રહ્યા હતા. તેઓ જણાવે છે કે, “બૂટા મલિકે એ સાધુઓને કહ્યું કે તેઓ અત્યારે જ ભગવાન શિવ સાથે સાક્ષાત મળીને આવી રહ્યા છે અને તેઓ એ સાધુઓને એ ગુફામાં લઈ ગયા. જ્યારે આ બધા સાધુ ગુફામાં પહોંચ્યા તો ત્યાં બરફનું વિશાળ શિવલિંગ હતું અન સાથે પાર્વતી અને ગણેશ બેઠાં હતાં. ત્યારે ત્યાં અમરકથા ચાલી રહી હતી.” મલિક જણાવે છે કે આ ઘટના બાદ અમરનાથ યાત્રા શરૂ થઈ. બાદમાં ઘણા સાધુ ગુફા પાસેથી કૂદીને જીવન ટૂંકાવવા લાગ્યા, જેને મહારાજા રણજિતસિંહના શાસનમાં બંધ કરાવવામાં આવ્યું. મલિક જણાવે છે કે તેમનો પરિવાર મુસ્લિમ હોવાને કારણે તેમને પૂજાપાઠની જાણકારી નહોતી. તેઓ કહે છે કે, “અમે પૂજાપાઠની ખબર નહોતી, તેથી અમે નિકટના ગણેશ્વર ગામથી કાશ્મીરી પંડિતોને પૂજા કરવા માટે બોલાવ્યા.” અમરનાથમાં ત્રણ પ્રકારના લોકો રહે છે. કાશ્મીરી પંડિત, મલિક પરિવાર અને મહંત. આ ત્રણેય મળીને ’છડી મુબારક’ની વિધિ પૂર્ણ કરે છે.

અમરનાથ યાત્રા અંગે જે તે સમયે વિધાનસભામાં બિલ પણ પસાર થયું હતું, જેમાં મલિક પરિવારનો પણ ઉલ્લેખ છે. ગુલામ હસન જણાવે છે કે જ્યારે નહેરુજી કાશ્મીર આવતા તો મલિક પરિવારને યાદ કરતા. સોનાની કાંગડી અંગે તેમને પૂછાતાં મલિકે કહ્યું કે બૂટા મલિક પાસેથી એ કાંગડી તત્કાલીન રાજાઓએ લઈ લીધું હતું અને હાલ એ કાંગડી ક્યાં છે એ કોઈનેય ખબર નથી. તેઓ કહે છે કે, “અમે ઘણા પ્રયત્નો કર્યા. તેના વિશે જાણવાના પ્રયાસ કર્યા, પરંતુ રાજતરંગિણીમાં પણ અમારા પરિવાર અને આ પૌરાણિક કથાનો ઉલ્લેખ છે.” મલિક કહે છે કે, “બૂટા મલિકનું મૃત્યુ થયું અને એ બાદ તેમની દરગાહ જંગલમાં બની. તેમના નામ પર જ અમારા ગામનું નામ બટકોટ પડ્યું છે. અમરનાથ યાત્રા દરમિયાન અમે લોકો માંસ નથી ખાતા, કારણ કે અમને ખ્યાલ છે કે એ સમયે માંસ ખાવું ઠીક નથી હોતું.” મલિક કહે છે કે અમરનાથ એ તીર્થયાત્રાઓ પૈકી એક છે જેનું કાશ્મીરમાં મુસ્લિમ સમુદાય ઘણું સન્માન કરે છે.

ગુફામાં હિમ શિવલિંગ કઈ રીતે બને છે?
આ ગુફાની છતમાંથી એક એક ટપકું કરીને પાણી પડે છે, જે ફ્રીઝિંગ પોઇન્ટ પર જામીને એક વિશાળકાય કોનના આકારની આકૃતિ બનાવે છે, જેને હિંદુઓ શિવલિંગનું રૂપ માને છે. જૂન માસથી ઑગસ્ટ માસ વચ્ચે આ આકૃતિનો આકાર થોડો ઘટી જાય છે. શિવલિંગ સાથે ગણેશ અને પાર્વતીની બરફથી બનેલી આકૃતિ પણ દેખાય છે. આનાં દર્શન માટે દર વર્ષે લાખો હિંદુ અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવે છે. આ ગુફા સુધી પહોંચવાની યાત્રા કઠિન મનાય છે. ત્યાં માત્ર પગપાળા કે ખચ્ચર મારફતે જ પહોંચી શકાય છે. દક્ષિણ કાશ્મીરના પહલગામથી આ ગુફાનું અંતર 46 કિમી છે, આ અંતર પગપાળા પાર કરવાનું હોય છે. જેમાં મોટા ભાગે પાંચ દિવસનો સમય લાગે છે. બીજો એક રસ્તો સોનમર્ગના બાલટાલથી પણ છે, જ્યાંથી અમરનાથ ગુફાનું અંતર માત્ર 16 કિમી છે. પરંતુ મુશ્કેલ ચઢાણ હોવાને કારણે આ રસ્તો અત્યંત કઠિન મનાય છે. આ ગુફા બરફથી ઢંકાયેલી રહે છે, પરંતુ ગરમીઓ થોડા સમય માટે જ્યારે ગુફાની બહાર બરફ નથી હોતી ત્યારે તીર્થયાત્રી ત્યાં પહોંચી શકે છે. નોંધનીય છે કે દર વર્ષે અમરનાથ યાત્રા સમયે સૈન્ય અને સ્થાનિક તંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત કરાય છે. જોકે, આ વખત પહલગામમાં ચરમપંથી હુમલા બાદ સુરક્ષા બંદોબસ્ત વધુ કડક કરાયો છે.

- Advertisement -

You Might Also Like

ઉન્માદી નહીં, વિચારવંત બનવાનો આ સમય…

ડામરના ભ્રષ્ટાચારને નાથશે સિમેન્ટ-કોન્ક્રીટ

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

TAGGED: Amarnath Yatra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પડતાં પ્લેન, તૂટતાં પુલ..કોણ ભોગવે કોની ભૂલ?
Next Article જાપાને ઇન્ટરનેટ ઝડપમાં નવી ઊંચાઈ સર કરી 10.20 લાખ Gbpsનો રેકોર્ડ, વિશ્ર્વ ચકિત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

ઉન્માદી નહીં, વિચારવંત બનવાનો આ સમય…

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ચાંદીપુરા વાયરસે પાટણના 5 વર્ષના બાળકનો જીવ લીધો
રાજકોટ મહાનગરપાલિકાએ યુધ્ધના ધોરણે પેચવર્ક શરૂ કર્યું
રૂ. ૩.૧૨ કરોડની તોડબાજીના ગુનામાં કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધરપકડ
જામનગરમાં પ્રેમિકાને ત્રાસ આપતા પતિને મારી પ્રેમીએ કારખાનામાં જ 10 ફૂટનો ખાડા ખોદી લાશ દાટી દીધી
પડવલા ગામે ધમધમતા જુગારધામ ઉપર ભાયાવદર પોલીસનો દરોડો : 16ની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

ઉન્માદી નહીં, વિચારવંત બનવાનો આ સમય…

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
AuthorKinnar Acharya

ડામરના ભ્રષ્ટાચારને નાથશે સિમેન્ટ-કોન્ક્રીટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?