By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    16 hours ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    17 hours ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    2 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    2 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં વિજયની સરકાર બનવા પર હજુ કોકડું ગૂંચવાયેલું
    14 hours ago
    શપથગ્રહણ સમયે મંચ પરથી PM મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા
    14 hours ago
    બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ
    14 hours ago
    PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
    15 hours ago
    મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    16 hours ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    2 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    3 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    3 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: “ધ ઇમરજન્સી” પુસ્તક માટે ગુજરાત સૌરભ શાહનું ઋણી રહેશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > “ધ ઇમરજન્સી” પુસ્તક માટે ગુજરાત સૌરભ શાહનું ઋણી રહેશે
Author

“ધ ઇમરજન્સી” પુસ્તક માટે ગુજરાત સૌરભ શાહનું ઋણી રહેશે

Khaskhabar Editor
Last updated: 2023/08/12 at 6:10 PM
Khaskhabar Editor 3 years ago
Share
13 Min Read
SHARE

‘ધ ઈમરજન્સી’ ઈન્ડિયન એક્સપ્રેસના પત્રકાર અને લેખિકા કૂમી કપુર દ્વારા જાતે અનુભવેલી અને આંખે દેખેલી ઘટનાઓનો ચિતાર આપતું અંગ્રેજીમાં લખાયેલું 400 પાનાનું દળદાર પુસ્તક છે. સૌરભ શાહે આનો અત્યંત રસપ્રદ ગુજરાતી અનુવાદ ખૂબ જહેમતથી કર્યો છે

જર્મન ફિલોસોફર કાર્લ માર્કસે કહેલું કે ‘ઈતિહાસ ખુદને પુનરાવર્તિત કરે છે પ્રથમ ત્રાસરૂપે અને ફરી હાસ્યાસ્પદ બનીને…’ પરંતુ કમનસીબ ભારતીય પ્રજા પર ઈતિહાસ દરેક વાર ત્રાસદાયી બની તૂટ્યે રાખે છે તો પણ ટૂંકી યાદદાસ્તનો ભોગ બનેલી આ પ્રજાને સમયાંતરે નવા-નવા ‘રીંગ-માસ્ટર્સ’ મળ્યે રાખે છે, જેના ઈશારે ફરી અભિભૂત થઈ નાચ્યે રાખે છે. આતતાયીઓના, અત્યાચારીઓના કરતૂતો બે-પાંચ લીટીનો ઈતિહાસ બની ચોપડીઓમાં ધરબાઈ જાય છે. ઘા રૂઝાતા જાય છે તો ક્યાંક સમયની સપાટી નીચે દબાયેલો અન્યાય, લાચારી કે પીડારૂપી લાવા વલોવાતો રહે જે તક મળ્યે ડોકિયા કરી પ્રજાને જગાડવાનો પ્રયાસ કરે કે ‘મુજ વીતી તુજ વીતશે…’ બસ આવો જ એક પ્રયત્ન લાગ્યું આ પુસ્તક ‘ધ ઈમરજન્સી ‘ધ ઈમરજન્સી’ ઈન્ડિયન એક્સપ્રેસના પત્રકાર અને લેખિકા કૂમી કપુર દ્વારા જાતે અનુભવેલી અને આંખે દેખેલી ઘટનાઓનો ચિતાર આપતું અંગ્રેજીમાં લખાયેલ 400 પાનાનું દળદાર પુસ્તક છે. શ્રી સૌરભ શાહે આનો અત્યંત રસપ્રદ ગુજરાતી અનુવાદ ખૂબ જહેમતથી કરેલ છે, જે દરેક ગુજરાતી પર શાહના ઋણરૂપે છે જેને દરેક સમજદાર ગુજરાતીએ વાંચીને ચૂકવવાનું છે જેથી અનેક નામી-અનામી શહીદોના બલિદાન બાદ મળેલ લોકતંત્રને કલંક લગાડનારી હરકતો કરનાર, દેશને હડપવાનો મનસૂબો રાખનારી તાકાતોને નવી પેઢી ઓળખી કાઢે.

- Advertisement -

દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ અને સૌથી મોટું લોકતંત્ર હોવાનું માન મળ્યું છે, તે દેશમાં પોતાની સત્તા બચાવવા એક જ વ્યક્તિ આંતરિક વિખવાદના નામે કટોકટી લાદે તેના મૂળરૂપ બનાવો અને ત્યારબાદના અત્યાચારોની સાલવાર યાદી પુસ્તકની શરૂઆતે આપેલ છે. ઈમરજન્સીની તરફેણ કે વિરૂદ્ધમાં થોડું છુટુંછવાયું વાંચવાનું થયેલું જેમાં એલ. કે. અડવાણીએ ઈન્દિરા ગાંધીને કટોકટીનો વિચાર ઈરવીંગ વોલેસના પુસ્તક ‘આર-ડોક્યુમેન્ટ’ને વાંચ્યા બાદ આવેલો તેવો ઉલ્લેખ યાદ આવે છે પરંતુ આટલી ઊંડાણપૂર્વકની માહિતી તો આ પુસ્તક દ્વારા જ મળી. બ્રિટિશ શાસનમાં વિના વકીલ, વિના દલીલ અને વિના અપીલનો રોલેટ એકટ જે ભારતીયોના મૂળભૂત હક્કોને છીનવી લેનાર હોય ગાંધીજીએ તેને ‘કાળો કાયદો’ કહી નકારી કાઢેલ, એ જ ભારતમાં બીજા ગાંધીએ 19-19 મહીના બંધારણે આપેલ મૂળભૂત હક્કો છીનવી લીધા. 25 જૂન 1975થી 27 માર્ચ 1977 સુધી એક કુટુંબે દેશના તમામ
કુટુંબને બાનમાં લીધા અને તેના અત્યાચારોની

ઈમરજન્સીનો વિરોધ કરનારાંઓના સગાં-સંબંધીઓ, મિત્રોને પણ હદબહાર હેરાન કરાતાં આવા લોકો બધી બાજુથી એકલા પડી ગયા

આર્થિક રીતે નોકરી-ધંધો ગુમાવી બેઠાં તે તથા આની વિરોધ અને તરફેણમાં બનેલા બનાવોનું વર્ણન રોચક છે

- Advertisement -

સજા ભારતની એકપણ કોર્ટ ન આપી શકી. તેના કાળા કામોને ન વર્તમાન પત્રો ચીતરી શક્યા, ન રેડિયો વર્ણવી શક્યો. જાણે એક આસુરી શક્તિએ કાળને કેવો બાંધી રાખ્યો તે ભયાનકતા પુસ્તકના પાને-પાને અનુભવાઈ છે.

1971ની ચૂંટણીમાં શ્રીમતી ગાંધી સરકારી નાણાં અને માણાનો દુરુપયોગ કરી જીતેલા, એ આક્ષેપો પૂરવાર થતાં 1975માં અલાહાબાદ કોર્ટે તેમનું સંસદસભ્યપદ રદ થયાનો ચૂકાદો આપ્યો તે તો બારૂદ પર જામગરી ચાંપવાનું માત્ર કારણ હતું, મૂળમાં કોંગ્રેસના શાસનમાં વ્યાપેલ ભ્રષ્ટાચાર, મોંઘવારી, સગાવાદ વિરૂદ્ધ આંદોલન ચલાવનાર જયપ્રકાશ નારાયણ જેવા નેતા નાના-મોટા પક્ષ જે કોંગ્રેસ અને શ્રીમતી ગાંધી અને તેના અવિચારી પુત્રના પગલાંઓ વિરૂદ્ધ લડતાં, જેને સાથ આપનાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ જેવા અખબારના જાંબાઝ માલિક રામનાથ ગોએન્કા, જનસંઘના અનેક કાર્યકર્તાઓ વગેરેનો શિકાર કરવા શ્રીમતી ગાંધી આણી ટોળકીએ અગાઉથી જે પ્લાનીંગ કરી રાખેલ તે હતું. આ સમગ્ર ષડયંત્રના પાત્રો અને ઘટનાઓનું દિલધડક વર્ણન પુસ્તકને રોમાંચક બનાવે છે. ‘ઈન્દિરા ઈઝ ઈન્ડિયા’ના નારાના શરણે જનારા તરી ગયા અને વિરોધ કરનારાઓથી દેશની જેલો ઉભરાઈ ગઈ છતાં પ્રજાને આ બધું દેશના હિતમાં થઈ રહ્યું છે-ની ખાતરી આપવામાં પણ આ ધુતારાઓ સફળ રહ્યાં, જાણે ફુંકી-ફુંકીને કરડનારા મૂષકો માનવદેહે અવતરેલાં!! શ્રીમતી ગાંધીના રબ્બર સ્ટેમ્પસમા રાષ્ટ્રપતિજી ફખરૂદ્દીન અલીઅહમદ પાસે ચાર લીટીના આદેશ પર કરાવાયેલી સહી અને મા-દીકરો ને એના સાથીદારો બેલગામ બની કાળોકેર વર્તાવા લાગ્યા.

બધું કાયદાકીય દેખાડવા ‘મિસા’ એક્ટ હેઠળ તમામ વિરોધીઓની ધરપકડો કરાઈ. દરેક ધરપકડની અને તેના જેલવાસની સ્ટોરી અલગ, રાજકીય ધરપકડો ઉપરાંત નાના-મોટા ગુંડાઓ અને સામાન્ય પ્રજામાંથી પણ વાંકગુનો દર્શાવ્યા વિના સેંકડોને ઉપાડી લઈ પ્રજામાં જબરદસ્ત ભય ફેલાવી દીધો. જેલોની ક્ષમતા કરતાં ચાર-પાંચગણા કેદીઓ ભરાતાં સર્જાયેલી અવ્યવસ્થા, શારીરિક અને માનસિક રીતે તૂટી જતાં પાત્રો, રાજમાતા ગાયત્રીદેવી અને રાજમાતા વિજ્યારાજે સિંધિયાનો કષ્ટદાયક જેલવાસ, ધરપકડથી બચવા ભાગનારા ફરી પકડાતા વર્તાવાતો કહેર… આ બધું લોખંડી દિવાલમાં અકબંધ રખાતું હોવાછતાં અને અખબારો પર કડક સેન્સરશિપ હોવા છતાં ‘સ્ટેટસમેન’ જેવા અખબારોમાં બીટવીન ધ લાઈન્સ લખાતું રહેતું. વિદેશી પત્રકારોને પણ ન બક્ષાયાં. બાંહેધરીપત્રક પર સહી ન કરનારાને હાંકી કઢાયા જેમાં બીબીસીનો પણ સમાવેશ હતો. ત્યારપછી બીબીસીની વિશ્ર્વસનીયતા 100 ટકા ગેરેન્ટેડ બની ગઈ. તે સમયના સંજય ગાંધીના પરાક્રમોના અને અન્ય બ્લેકઆઉટ કરાયેલા ન્યુઝ અંગે પુસ્તકમાં વાંચવા મળશે.

ઈમરજન્સીનો વિરોધ કરનારાંઓના સગાં-સંબંધીઓ, મિત્રોને પણ હદબહાર હેરાન કરાતાં આવા લોકો બધી બાજુથી એકલા પડી ગયા. આર્થિક રીતે નોકરી-ધંધો ગુમાવી બેઠાં તે તથા આની વિરોધ અને તરફેણમાં બનેલા બનાવોનું વર્ણન રોચક છે. જેમકે ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં છપાયેલી લોકશાહીની મરણનોંધ, રાષ્ટ્રપતિજીએ ઉતાવળે કરેલી સહીનું કાર્ટુન, મા-દીકરાની સ્તુતિ ગાતા સમાચારપત્રો અને ઓલ ઈન્ડિયા રેડિયોની વાતો, સરકારી કાર્યક્રમોમાં ગાવાની ના પાડનાર મનમોજી પણ મહાન એવા ગાયક કિશોરકુમારની હેરાનગતિ ને શરણાગતિ, લેખિકાના બનેવી, જનસંઘના સંસદસભ્ય અને ઈકોનોમિસ્ટ એવા સુબ્રહ્મણ્યમ સ્વામીએ દેશ-વિદેશમાં સરકારના કારનામાઓના કરેલા પર્દાફાશ, લેખિકાના પતિ વિરેન્દ્ર કપુરની વિનાકારણે કરાયેલી ધરપકડ અને તેમાં સંજય ગાંધીની નિકટ રહેતી અંબિકા સોનીની વરવી ભૂમિકા, વીરેન્દ્ર કપૂરનો જેલવાલ, જુલમો, રામનાથ ગોએન્કા જેવા તાકાતવર વ્યક્તિની હેરાનગતિ વગેરે અંગેના પ્રકરણો માહિતીસભર અને સાથેસાથે ‘શોકિંગ’ પણ ખરાં.

શેરનીનું બિરૂદ લઈને ફરતાં શ્રીમતી ગાંધી ખુદના નાના દીકરા સંજય સામે બકરી બની દોરવાયા કરે, અપમાનિત અને બ્લેકમેઈલ થયા કરે, સતત ચિંતિત અને અસલામતીથી પીડાયા કરે અને દીકરાનો માર પણ ખાય તેવા માની ન શકાય તેવા શ્રીમતી ગાંધીના વ્યક્તિત્વના પાસા બાબતે પુસ્તકમાં અનેક પ્રસંગો અપાયેલ છે. ‘અક્કલનો અધૂરો ને જીદે પૂરો’ એવી ગુજરાતી કહેવતને સાર્થક કરનાર દીકરો અને તેના અવિચારી કૃત્યોથી પુસ્તકના પાનાંઓ ભરાઈ ગયા છે. જેની સાથે ગાઢ અને પારિવારિક સંબંધો હતા એવા જયપ્રકાશ નારાયણ-જે.પી. જે સરકારના ભ્રષ્ટાચાર અને તાનાશાહ વિરૂદ્ધ આંદોલન ચલાવતા હોવાથી શ્રીમતી ગાંધીએ તેમની કીડનીઓ ફેઈલ થઈ ગઈ તે હદે જેલમાં અત્યાચાર ગુજારાવ્યો. દેશને લાખો-કરોડોમાં પડેલ સંજય ગાંધીની ઘેલછા સમાન મારૂતિ પ્રોજેકટ, માના વીસ મુદ્દાના અને દીકરીના પાંચ મુદ્દાના કાર્યક્રમે પ્રજાને હેરાન-પરેશાન કરી દીધેલ. બંધારણની ઐસીતૈસી કરી 1 વર્ષ ચૂંટણી પાછી ઠેલ્યા બાદ જાસુસીતંત્રએ જીતની ખાતરીનો રિપોર્ટ આપતાં માર્ચ 1977માં ચૂંટણી જાહેર કરાઈ અને ફંડની કમીથી લઈ વેરવિખેર કાર્યકર્તાઓ અને મા-બેટાની વફાદાર ટોળકીના હવનમાં હાડકા નાખવાના તમામ પ્રયત્નો છતાં મા-બેટાની કારમી હાર, નવી સરકાર તથા બંને પક્ષે અસરકારક ભૂમિકા ભજવી તે વ્યક્તિઓનું આગળ શું થયું તેનું વર્ણન અને રેફરન્સની યાદી સાથે પુસ્તક પૂર્ણ થાય છે ત્યારે મન ઉદાસ થઈ જાય છે પણ આગળ જતાં થયેલા કુદરતના ન્યાયે બધું સરભર કરી આપ્યું તેવી ધરપત પણ થાય છે.

સજા ભારતની એકપણ કોર્ટ ન આપી શકી. તેના કાળા કામોને ન વર્તમાન પત્રો ચીતરી શક્યા, ન રેડિયો વર્ણવી શક્યો. જાણે એક આસુરી શક્તિએ કાળને કેવો બાંધી રાખ્યો તે ભયાનકતા પુસ્તકના પાને-પાને અનુભવાઈ છે.

1971ની ચૂંટણીમાં શ્રીમતી ગાંધી સરકારી નાણાં અને માણાનો દુરુપયોગ કરી જીતેલા, એ આક્ષેપો પૂરવાર થતાં 1975માં અલાહાબાદ કોર્ટે તેમનું સંસદસભ્યપદ રદ થયાનો ચૂકાદો આપ્યો તે તો બારૂદ પર જામગરી ચાંપવાનું માત્ર કારણ હતું, મૂળમાં કોંગ્રેસના શાસનમાં વ્યાપેલ ભ્રષ્ટાચાર, મોંઘવારી, સગાવાદ વિરૂદ્ધ આંદોલન ચલાવનાર જયપ્રકાશ નારાયણ જેવા નેતા નાના-મોટા પક્ષ જે કોંગ્રેસ અને શ્રીમતી ગાંધી અને તેના અવિચારી પુત્રના પગલાંઓ વિરૂદ્ધ લડતાં, જેને સાથ આપનાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ જેવા અખબારના જાંબાઝ માલિક રામનાથ ગોએન્કા, જનસંઘના અનેક કાર્યકર્તાઓ વગેરેનો શિકાર કરવા શ્રીમતી ગાંધી આણી ટોળકીએ અગાઉથી જે પ્લાનીંગ કરી રાખેલ તે હતું. આ સમગ્ર ષડયંત્રના પાત્રો અને ઘટનાઓનું દિલધડક વર્ણન પુસ્તકને રોમાંચક બનાવે છે. ‘ઈન્દિરા ઈઝ ઈન્ડિયા’ના નારાના શરણે જનારા તરી ગયા અને વિરોધ કરનારાઓથી દેશની જેલો ઉભરાઈ ગઈ છતાં પ્રજાને આ બધું દેશના હિતમાં થઈ રહ્યું છે-ની ખાતરી આપવામાં પણ આ ધુતારાઓ સફળ રહ્યાં, જાણે ફુંકી-ફુંકીને કરડનારા મૂષકો માનવદેહે અવતરેલાં!! શ્રીમતી ગાંધીના રબ્બર સ્ટેમ્પસમા રાષ્ટ્રપતિજી ફખરૂદ્દીન અલીઅહમદ પાસે ચાર લીટીના આદેશ પર કરાવાયેલી સહી અને મા-દીકરો ને એના સાથીદારો બેલગામ બની કાળોકેર વર્તાવા લાગ્યા. બધું કાયદાકીય દેખાડવા ‘મિસા’ એક્ટ હેઠળ તમામ વિરોધીઓની ધરપકડો કરાઈ. દરેક ધરપકડની અને તેના જેલવાસની સ્ટોરી અલગ, રાજકીય ધરપકડો ઉપરાંત નાના-મોટા ગુંડાઓ અને સામાન્ય પ્રજામાંથી પણ વાંકગુનો દર્શાવ્યા વિના સેંકડોને ઉપાડી લઈ પ્રજામાં જબરદસ્ત ભય ફેલાવી દીધો. જેલોની ક્ષમતા કરતાં ચાર-પાંચગણા કેદીઓ ભરાતાં સર્જાયેલી અવ્યવસ્થા, શારીરિક અને માનસિક રીતે તૂટી જતાં પાત્રો, રાજમાતા ગાયત્રીદેવી અને રાજમાતા વિજ્યારાજે સિંધિયાનો કષ્ટદાયક જેલવાસ, ધરપકડથી બચવા ભાગનારા ફરી પકડાતા વર્તાવાતો કહેર… આ બધું લોખંડી દિવાલમાં અકબંધ રખાતું હોવાછતાં અને અખબારો પર કડક સેન્સરશિપ હોવા છતાં ‘સ્ટેટસમેન’ જેવા અખબારોમાં બીટવીન ધ લાઈન્સ લખાતું રહેતું. વિદેશી પત્રકારોને પણ ન બક્ષાયાં. બાંહેધરીપત્રક પર સહી ન કરનારાને હાંકી કઢાયા જેમાં બીબીસીનો પણ સમાવેશ હતો. ત્યારપછી બીબીસીની વિશ્ર્વસનીયતા 100 ટકા ગેરેન્ટેડ બની ગઈ. તે સમયના સંજય ગાંધીના પરાક્રમોના અને અન્ય બ્લેકઆઉટ કરાયેલા ન્યુઝ અંગે પુસ્તકમાં વાંચવા મળશે.

ઈમરજન્સીનો વિરોધ કરનારાંઓના સગાં-સંબંધીઓ, મિત્રોને પણ હદબહાર હેરાન કરાતાં આવા લોકો બધી બાજુથી એકલા પડી ગયા. આર્થિક રીતે નોકરી-ધંધો ગુમાવી બેઠાં તે તથા આની વિરોધ અને તરફેણમાં બનેલા બનાવોનું વર્ણન રોચક છે. જેમકે ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં છપાયેલી લોકશાહીની મરણનોંધ, રાષ્ટ્રપતિજીએ ઉતાવળે કરેલી સહીનું કાર્ટુન, મા-દીકરાની સ્તુતિ ગાતા સમાચારપત્રો અને ઓલ ઈન્ડિયા રેડિયોની વાતો, સરકારી કાર્યક્રમોમાં ગાવાની ના પાડનાર મનમોજી પણ મહાન એવા ગાયક કિશોરકુમારની હેરાનગતિ ને શરણાગતિ, લેખિકાના બનેવી, જનસંઘના સંસદસભ્ય અને ઈકોનોમિસ્ટ એવા સુબ્રહ્મણ્યમ સ્વામીએ દેશ-વિદેશમાં સરકારના કારનામાઓના કરેલા પર્દાફાશ, લેખિકાના પતિ વિરેન્દ્ર કપુરની વિનાકારણે કરાયેલી ધરપકડ અને તેમાં સંજય ગાંધીની નિકટ રહેતી અંબિકા સોનીની વરવી ભૂમિકા, વીરેન્દ્ર કપૂરનો જેલવાલ, જુલમો, રામનાથ ગોએન્કા જેવા તાકાતવર વ્યક્તિની હેરાનગતિ વગેરે અંગેના પ્રકરણો માહિતીસભર અને સાથેસાથે ‘શોકિંગ’ પણ ખરાં. શેરનીનું બિરૂદ લઈને ફરતાં શ્રીમતી ગાંધી ખુદના નાના દીકરા સંજય સામે બકરી બની દોરવાયા કરે, અપમાનિત અને બ્લેકમેઈલ થયા કરે, સતત ચિંતિત અને અસલામતીથી પીડાયા કરે અને દીકરાનો માર પણ ખાય તેવા માની ન શકાય તેવા શ્રીમતી ગાંધીના વ્યક્તિત્વના પાસા બાબતે પુસ્તકમાં અનેક પ્રસંગો અપાયેલ છે. ‘અક્કલનો અધૂરો ને જીદે પૂરો’ એવી ગુજરાતી કહેવતને સાર્થક કરનાર દીકરો અને તેના અવિચારી કૃત્યોથી પુસ્તકના પાનાંઓ ભરાઈ ગયા છે. જેની સાથે ગાઢ અને પારિવારિક સંબંધો હતા એવા જયપ્રકાશ નારાયણ-જે.પી. જે સરકારના ભ્રષ્ટાચાર અને તાનાશાહ વિરૂદ્ધ આંદોલન ચલાવતા હોવાથી શ્રીમતી ગાંધીએ તેમની કીડનીઓ ફેઈલ થઈ ગઈ તે હદે જેલમાં અત્યાચાર ગુજારાવ્યો. દેશને લાખો-કરોડોમાં પડેલ સંજય ગાંધીની ઘેલછા સમાન મારૂતિ પ્રોજેકટ, માના વીસ મુદ્દાના અને દીકરીના પાંચ મુદ્દાના કાર્યક્રમે પ્રજાને હેરાન-પરેશાન કરી દીધેલ. બંધારણની ઐસીતૈસી કરી 1 વર્ષ ચૂંટણી પાછી ઠેલ્યા બાદ જાસુસીતંત્રએ જીતની ખાતરીનો રિપોર્ટ આપતાં માર્ચ 1977માં ચૂંટણી જાહેર કરાઈ અને ફંડની કમીથી લઈ વેરવિખેર કાર્યકર્તાઓ અને મા-બેટાની વફાદાર ટોળકીના હવનમાં હાડકા નાખવાના તમામ પ્રયત્નો છતાં મા-બેટાની કારમી હાર, નવી સરકાર તથા બંને પક્ષે અસરકારક ભૂમિકા ભજવી તે વ્યક્તિઓનું આગળ શું થયું તેનું વર્ણન અને રેફરન્સની યાદી સાથે પુસ્તક પૂર્ણ થાય છે ત્યારે મન ઉદાસ થઈ જાય છે પણ આગળ જતાં થયેલા કુદરતના ન્યાયે બધું સરભર કરી આપ્યું તેવી ધરપત પણ થાય છે.

You Might Also Like

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ

બીજાનો વિચાર પણ કરવો

TAGGED: Gujarat, SAURABHSHAH, TheEmergency
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફેક્ટ અને ફેક ન્યૂઝનું સત્ય, અર્ધસત્ય, અસત્ય
Next Article હિમાચલ-ઉત્તરાખંડમાં ફરી તબાહી: વાદળ ફાટતા એક જ પરિવારના 7નાં મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી
મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ
કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ
બીજાનો વિચાર પણ કરવો
કોઈ ચોક્કસ સ્થાનમાં રહેલું ‘પાવરહાઉસ’ શરીરનાં અંગોને સક્રિય રાખતો ઊર્જાપ્રવાહ આપવાનું બંધ કરી દે છે અને માનવદેહ મૃતદેહ બની જાય છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
Author

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
Author

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?