ગોંડલ

વર્તમાન સમયે કોઈપણ સમાજમાં લગ્નસરાની સિઝનમાં દેખાદેખીમાં ચા નાસ્તાથી લઈ જમણવારમાં ખોટા ફાલતુ ખર્ચ કરાતા હોય જેના કારણે સમાજના ઘણા કુટુંબને વિના કારણે આર્થિક ઘસાવાની સાથે દ્વિધા યુક્ત વાતાવરણમાંથી પસાર થવું પડતું હોય છે, આવી પરિસ્થિતિ લોહાણા સમાજમાં ન ઉદભવે તે માટે સમાજના પ્રમુખ દીપકભાઈ સોનપાલ દ્વારા પોતાના જન્મદિવસ ઉપર એક અનોખી જાહેરાત કરવામાં આવી છે જેમાં તેઓ દ્વારા જણાવાયું છે કે જો લોહાણા સમાજમાં આદર્શ વિધીથી લગ્ન કરવામાં આવશે તો વર અને કન્યા પક્ષનાના 25 -25 લોકોના નાસ્તા તેમજ જમણવારનો ખર્ચ પોતાના તરફથી આજીવન ઉઠાવવામાં આવશે. તેઓની આ જાહેરાતથી લોહાણા સમાજમાં હર્ષની લાગણી ઊભી થવા પામી છે.