ગોંડલ હરભોલે સોસાયટી ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતા નિવૃત્ત એસઆરપી મેન લાલજીભાઈ શામજીભાઈ મકવાણા ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદર પ્રવેશી કબાટ ની તિજોરી માં રાખેલ સોનાનો ચેન, વીટી, બુટી, કડી, માદળિયું, ચાંદીના છડા, પોચી, બંગડી તેમજ રોકડા રૂપિયા 5,000 મળી કુલ રૂપિયા 65000 ના મુદ્દમાલ ની ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી પોલીસે અજાણ્યા શખ્સો વિરુધ્ધ આઇપીસીની કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
નિવૃત એસઆરપીમેનનો પરિવાર 15 દિવસ પહેલા પોતાના મુળવતન વિછીયા તાલુકાના હિંગોળગઢ ગામે ગયેલ હોય તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો છે.