ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ મંદિર નજીકની સ્થાનિક સોસાયટીઓમાં છેલ્લા કેટલાક સમયથી 2 ખુખાર દીપડાઓના આંટાફેરા જોવા મળતા હતા જેના પગલે વનવિભાગે મહામુસીબતે છેલ્લા 24 કલાકમાં 2 દીપડાનું રેસ્કયું કરી એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપેલ છે અને સોમનાથ વિસ્તારને સુરક્ષિત કરેલ છે. છેલ્લા 2 માસથી સોમનાથ મંદિર નજીકની સોસાયટીઓમાં દીપડાના આંટાફેરા ને પગલે સોમનાથ પંથકમાં ભયનો માહોલ હતો ત્યારે વન વિભાગ દ્વારા દીપડાનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું.પરંતુ વધુ એક દીપડો હોવાની સ્થાનિકોની આશંકાને પગલે વનવિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.અને વનવિભાગે 24 કલાકમાં બીજા દીપડાનું રેસક્યુ કરી વિસ્તારને સુરક્ષિત કરેલ છે.આ કામગીરીમાં આરએફઓ કે. ડી. પંપાણીયા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
સોમનાથ મંદિર નજીકના વિસ્તારમાંથી 24 કલાકમાં બીજા દીપડાનું રેસ્ક્યુ કરાયું
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/10/સોમનાથ-મંદિર-નજીકના-વિસ્તારમાંથી-24-કલાકમાં-બીજા-દીપડાનું-રેસ્ક્યું-કરવામાં-આવ્યું-860x645.jpg)