By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    18 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    18 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    18 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    19 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    19 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    7 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગઢ તૂટ્યાં, ભરમ ભાંગ્યા મોદીનાં ઢોલ-નગારા વાગ્યા: નરેન્દ્ર મોદી એક હિપ્નોટિસ્ટ છે. સામુહિક વશિકરણની ગજબનાક તાકાત તેમનામાં છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > ગઢ તૂટ્યાં, ભરમ ભાંગ્યા મોદીનાં ઢોલ-નગારા વાગ્યા: નરેન્દ્ર મોદી એક હિપ્નોટિસ્ટ છે. સામુહિક વશિકરણની ગજબનાક તાકાત તેમનામાં છે
AuthorKinnar Acharyaખાસ-ખબરગુજરાત

ગઢ તૂટ્યાં, ભરમ ભાંગ્યા મોદીનાં ઢોલ-નગારા વાગ્યા: નરેન્દ્ર મોદી એક હિપ્નોટિસ્ટ છે. સામુહિક વશિકરણની ગજબનાક તાકાત તેમનામાં છે

Khaskhabar Editor
Last updated: 2022/12/08 at 4:14 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

એમની વાણીમાં, બોડી લેંગ્વેજમાં અદ્ભુત પ્રભાવ છે. વ્હોટ્સએપ પર એક અલગ પ્રકારનો પણ સત્યથી છલકતો મેસેજ ફરે છે:

નરેન્દ્ર મોદીના ફેન થવા માટે અને એમની ફેવર કરવા માટે એમની પોલિટિકલ સત્તા સિવાયનાં પણ અનેક કારણો છે. જેમ કે,

- Advertisement -

1. સૌપ્રથમ તો આ નેતા ક્યારેય લઘરવઘર કપડાંમાં, વિંખાયેલા વાળમાં કે અસ્તવ્યસ્ત પરિસ્થિતિમાં જોવા નહિ મળે !
2. નરેન્દ્ર મોદીની બોડી-લેંગ્વેજ અત્યંત પ્રભાવક લાગે છે. તેમની ચાલમાં મર્દાનગી છલકાય છે.
3. એ ભગવાં કપડાંમાં સાધુ જેવા લાગે છે, મિલેટ્રી ડ્રેસ પહેરે તો સોલ્જર જેવા લાગે છે, સામાન્ય રોજિંદા પોશાકમાં દિવ્ય રાજપુરુષ લાગે છે.
4. રાષ્ટ્રભક્તિ-રાષ્ટ્રવાદ એમના શ્વાસોચ્છવાસ છે અને ડિસિપ્લિન એમનું બ્લડગ્રુપ છે.
5. વિશ્વની કોઈ પણ મહાન હસ્તીની સાથે તેઓ ઊભા હોય ત્યારે પણ એમની પ્રતિભા જ મૂઠી ઊંચેરી લાગે છે. બીજી પ્રતિભાઓ વામણી લાગે છે.
6. ચૂંટણી પહેલાં કરેલા લગભગ અશક્યવત અનેક વાયદા આટલી હદે પૂરેપૂરા નિભાવનાર બીજો કોઈ નેતા ભૂતકાળમાં આપણે જોયો નથી.
7. દેશના સર્વોચ્ચ પદ પર હોવા છતાં પોતાના પરિવારનું વળગણ બિલકુલ રાખતા નથી. તેમની આસપાસમાં ક્યારેય એમના ભાઈ-ભત્રીજા જોવા મળતા નથી. સગાવાદ બિલકુલ કરતા નથી.
8. તેઓ ક્યારેય એક પણ રજા રાખતા નથી.
9. તેઓ ક્યારેય બીમાર પડતા નથી.
10. ક્યારે કેટલું બોલવું અને ક્યારે ચૂપ રહેવું એ તો સારી રીતે જાણે જ છે, પણ એથીય વધુ તો સામેની વ્યક્તિને કેવી રીતે ચૂપ કરી દેવી એ પણ તેઓ જાણે છે.
11. આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ તે વેદિયા નથી, એમની રમૂજવૃત્તિ અદભુત છે.
12. એમની વાકછટા ધારદાર તેમજ બેમિસાલ છે. અભિવ્યક્તિ માટે ભાષા પર પ્રભુત્વ પણ સરસ છે. તેઓ કવિ પણ છે.
13. વિરોધીઓની કપટજાળથી કે પડકારોથી તેઓ કદી ડરતા કે ડગતા નથી.
14. વિરોધી વ્યક્તિની બક્વાસ આક્ષેપબાજીના જવાબો આપવામાં પોતાનો સમય વેડફતા નથી, પરંતુ સંપૂર્ણ મુત્સદ્દીગીરીથી પોતાના કર્તવ્યમાર્ગને વફાદાર રહે છે.
15. કોઈ અપ્સરા પણ જેના પર મોહી પડે એવી એમની પ્રત્યેક અદા અને છટામાં ખુમારી, ખાનદાની અને ખમીરનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.
16. એમની નિર્ણયશક્તિ તો કાબિલે દાદ છે જ, સાથે-સાથે તેઓ પોતાના નિર્ણયને હજાર વિરોધો અને અવરોધો સામે પણ વળગી રહેવાની હિંમત અને આવડત પણ ધરાવે છે.
17. એમનું વ્યક્તિત્વ હિન્દુ સંસ્કૃતિનું પવિત્ર પ્રતિક લાગે છે.
18. એમની આંખોમાં છલકાતી ચારિત્ર્યની ચમક હિપ્નોટિઝમ કરી શકે એવી તાકતવર છે.
19. આ માણસને કોઈ લાલચ નથી, કોઈ ભય નથી. પોતાના સ્વાર્થની કોઈ પરવા નથી.
20. અને સૌથી છેલ્લે, 70 વર્ષની ઉંમરે પણ આ માણસ 18થી 20 કલાક કામ કરે છે, છતાં ક્યારેય એને બગાસું ખાતા આપણે જોયા નથી !

વિધાનસભા ચૂંટણીનાં આ પરિણામોનું પોલિટિકલ માઈક્રોસ્કોપમાં નિરીક્ષણ કરીએ તો અનેક રસપ્રદ બાબતો ધ્યાનમાં આવે. તમે જરા જુઓ, ગુજરાત આખું જેણે માથે લીધું હતું, ઉપાડો લીધો હતો અને પોતાની અભૂતપૂર્વ ન્યૂસન્સ વેલ્યૂ ઉભી કરી હતી એ ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, અલ્પેશ કથિરીયા જેવાં કહેવાતા નેતાઓને લોકોએ એવી લાત મારી છે કે, તેમને આખી જિંદગી પૃષ્ઠભાગમાં દુ:ખાવો રહેશે.

ગુજરાતની બહુ ગાજેલી વિધાનસભા ચૂંટણી-2022નાં પરિણામ આવી ચૂક્યા છે અને ભાજપ ફરી એક વખત અણધાર્યા અંતરથી આ જંગ જીતી ગયો છે. અને ભવ્યાતિભવ્ય વિજયનો શ્રેય માત્ર નરેન્દ્ર મોદીને જાય છે. ગુજરાતની જનતા કોઈ અન્ય નેતાને ઓળખતી નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય કે મહેન્દ્રભાઈ હોય કે સુરેન્દ્રભાઈ કે પછી વિરેન્દ્રભાઈ…. ગુજરાત નરેન્દ્રભાઈને મત આપે છે. ભાજપનાં ચૂંટાયેલા દરેક ઉમેદવારે પણ આ વાત મંત્રજાપની જેમ યાદ રાખવાની છે અને દરરોજ સવારે ઉઠીને 11 વખત ૐ નરેન્દ્રાય નમ: બોલવાનું છે, જેથી સ્મરણ રહે કે, એમની સૃષ્ટિનાં સર્જનહાર મોદી જ છે અને મહાદેવ પણ મોદી જ.

- Advertisement -

આમઆદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પોતાનાં ભાષણોમાં સતત એવું કહેતા હતાં કે, ભાજપનાં નેતાઓ અહમ્માં રાચી રહ્યા છે, તેમનું અભિમાન ઉતારવું છે! વાસ્તવિકતા એ છે કે, આમ આદમી પાર્ટીનાં આ કહેવાતાં નેતાઓનો મદ છલકાયો સમાતો ન હતો. ઈટાલિયાનાં પ્રવચનો સાંભળો તો એવું લાગે કે, આ માણસ પોતાની જાતને મોદી કરતા પણ ઊંચી આંકે છે. વાણીમાં વિવેક નહીં, પાયા વગરના આક્ષેપો અને ધડ-માથા વગરનાં વચનો, એકદમ ભદ્દા ગણી શકાય તેવા કટાક્ષો. એકદમ નિમ્નસ્તરની કમેન્ટ્સ અને ભયાનક હદે ગુરુતાગ્રંથીથી પીડાતો માણસ. અદ્દલ એવું જ અલ્પેશ કથિરીયા વિશે કહી શકાય.

આમ આદમી પાર્ટીનાં આ બધાં નેતાઓ એટલી હદે છીછરાં છે કે, તેમનાં ભાષણો સાંભળીને જ નહીં, ચહેરા જોઈને પણ ઉબકા આવે છે. આનંદ એ વાતનો કે, આ બધાંને પ્રજાએ રીતસર ધુસ્તા-પાટાં માર્યા છે. આ દિલ્હી નથી, પંજાબ નથી, અમારે મફત વીજળીની કે મફત પાણીની માયાજાળમાં ફસાવું નથી- આ ગુજરાતની પ્રજાનો ગગનભેદી અવાજ છે. આ ગુજરાતનાં સાવજ જેવા મતદારોની ગર્જના છે અને એ સાંભળીને કેજરીવાલ, રાહુલ ગાંધીનાં કાનનાં પર્દા ફાટી ગયા હોવા જોઈએ.

ખાળમાં જાય તમારી મફતિયા વીજળી અને પાણી. અમારે દિલ્હી જેવા કોમી હૂલ્લડો નથી જોઈતા, મુલ્લા-મૌલવીઓનાં પગારવધારા નથી ખપતાં, અમારે અમદાવાદમાં શાહીનબાગ સર્જવો નથી અને ગુજરાતને ખાલિસ્તાનીઓનો અડ્ડો નથી બનવા દેવું. તમારા સડેલાં મહોલ્લા ક્લિનિક કરતાં અમારા વિસ્તાર દીઠ પથરાયેલાં આરોગ્ય કેન્દ્રો બહેતર છે. તમારી પાસે ગામને દેખાડવા પાંચ મોડેલ સરકારી સ્કૂલ છે, અમારી પાસે પાંચસો છે. સરખામણી ઘણી દૃષ્ટિએ થાય તેમ છે. હાલ પૂરતાં: ફૂલસ્ટોપ.

ભાજપનાં શાસનમાં ગુજરાત ખુશ છે, ખુશખુશાલ અને બાગબાગ છે. અમારી ખુશહાલ જિંદગીમાં દખલ દેવાનું બંધ કરો. ગુજરાતની પ્રજાનો આ મેસેજ છે. પરિણામનાં આંકડામાં એ અદ્રશ્ય રીતે છપાયેલો છે, અદ્રશ્ય લખાણ વાંચવાની ક્ષમતા હોય તો અવશ્ય વાંચજો. બોધપાઠ મળશે.

આ પરિણામો ઘણું કહે છે: નરેન્દ્ર મોદીએ આ ચૂંટણીમાં પાણીની જેમ પરસેવો વહાવ્યો છે, કાળી મહેનત કરી છે. ગુજરાતનો આ કિલ્લો તોડવા ફિરંગીઓ અને વલંદાઓએ મન મૂકીને ધમપછાડા કર્યા પરંતુ ગઢનાં કાંગરાની એક કાંકરી પણ ખરી શકી નથી તેમનાંથી. તેની ક્રેડિટ મોદીને જ જાય છે. તેમણે જ્યાં-જ્યાં સભા કરી ત્યાં લગભગ બધે જ ભાજપનો વિજય થયો. ભાજપ માટે ટફ ગણાતી, પરંપરાગત રીતે કોંગ્રેસની ગણાતી બેઠક પર પણ કોંગ્રેસની હાર થઈ છે. ગુજરાતમાં જે સૌ પ્રથમ પરિણામ જાહેર થયું એ હતું- રાજકોટ જિલ્લાની ધોરાજી બેઠકનું.

અહીંથી કોંગ્રેસના લલિત વસોયા ભૂંડેહાલ હાર્યા. કોઈને કલ્પના પણ ન હતી કે, અહીં ભાજપ જીતશે. વસોયા પાટિદાર અનામત આંદોલન સાથે સંકળાયેલાં હતા અને તેઓ મજબૂત ઉમેદવાર ગણાતા હતાં. મોદીની એક જંગી સભા ત્યાં થઈ અને ચિત્ર ફરી ગયું. આવા તો બે-ત્રણ ડઝન ઉદાહરણો છે. મોદીનાં નામે જો હાર્દિક જેવું દૂષણ પણ તરી જતું હોય તો પછી સ્વીકારવું પડે કે, ગુજરાતમાં મોદીના પસીનાએ દિવા બળે છે.

સૌરાષ્ટ્રના ગઢમાં ગઈ ચૂંટણીમાં કોંગ્રેસે તીરાડ પાડી હતી, આ વખતે આપ અને કોંગ્રેસની મહેચ્છા હતી કે, આ તીરાડમાંથી મોટું ગાબડું પાડવું. કશું ન થયું. ઊલટું તીરાડ પણ સંધાઈ ગઈ. સૌરાષ્ટ્ર મોદી સાથે અડિખમ છે. આવું જ બન્યું આદિવાસી વિસ્તારોમાં. કહેવાતું હતું કે, આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસને કોઈ ન હરાવી શકે. મોદી-ભાજપે આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો. અમે તો કહીએ જ છીએ કે મોદીનું કામ જ ભરમ ભાંગવાનું છે. કોઈએ ભ્રમમાં ન રહેવું કે ગુજરાત સોફટ ટાર્ગેટ છે.

You Might Also Like

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક

વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત

ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ : 5 દિવસનું યલો ઍલર્ટ

TAGGED: BJP, election, narendramodi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાવનગરમાં ભાજપનો પ્રચંડ વિજય: 7 બેઠક માંથી 6 બેઠક પર જનતા ભાજપ પર ઓવારી ગયા
Next Article મતદારોએ વિકાસની રાજનીતિ પસંદ કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ગુજરાત

28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?