જૂનાગઢ, ગિર સોમનાથમાં ભગવો લહેરાયો
વિસાવદરમાં આપનું ઝાડું ચાલ્યું
- Advertisement -
જૂનાગઢની પાંચ બેઠકમાંથી એક આપ અને એક કોંગ્રેસ અને ત્રણ ભાજપને ફાળે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિ.માં આજે વ્હેલી સવારથી શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન યોજાયુ હતુ. જેમાં જૂનાગઢ જિલ્લાની પાંચ સીટ અને ગિર સોમનાથ ખાતે ચાર સીટની મતગણતરી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી.
જયારે ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ભાજપને એક સીટથી સંતોષ માનવો પડયો હતો. જયારે 2022ની ચૂંટણીમાં ભાજપનો ફરી ભગવો લહેરાયો જેમાં ગિર સોમનાથની કોડીનાર, ઉના અને તાલાલા બેઠક પર સ્પષ્ટ ભાજપના ઉમેદવાર વિજય નિશ્ર્ચીત મનાઇ રહ્યા છે. જયારે સોમનાથ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કસોકસની લડાઇ જોવા મળી રહી છે.
આજ રીતે જૂનાગઢની પાંચ બેઠકમાં જૂનાગઢ ભાજપના સંજય કોરડીયા 40 હજાર મતની લીડથી ભવ્ય વિજય થયો છે. એજ રીતે માંગરોળ બેઠક પર કોંગ્રેસ પાસેથી આંચકીને ભાજપના ભગવાનજી કરગઠીયા આઠ હજારના વધુ મતથી જીત મેળવી છે. તેમજ માણાવદર બેઠકના જવાહરભાઇ ચાવડા સામે કોંગ્રેસનાં અરવિંદ લાડાણી કસોકસની લડાઇમાં માણાવદર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.
કેશોદ ભાજપ બેઠકનાં દેવાભાઇ માલમનો વિજય થયો હતો. ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ જોઇએ તો ભાજપે ગુમાવેલી સીટો ફરી કબ્જે કરવામાં સફળતા મળી હતી. જેમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલ વિસાવદરનાં હર્ષદ રિબડીયા કારમી હાર થઇ હતી. એજ રીતે માણાવદર બેઠકના જવાહરભાઇ ચાવડા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા તેમની પણ માણાવદર બેઠક પરથી હાર થતા બંન્ને ભાજપના ઉમેદવારની હાર થતા રાજકીય સમીકરણો બદલાયા છે.
જૂનાગઢમાં 40 હજારની લીડથી ભાજપનો વિજય
- Advertisement -
ભાજપે ફરી પોતાનો કબ્જો જાળવી રાખ્યો
જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની 9 બેઠક પર ભાજપની વધુ સીટો મેળવીને ભાજપે ફરી એકવાર પોતાની રણનિતી સાબીત કરી બતાવી છે અને લોકોને વિકાસની રાજનીતી તરફ લઇ જવામાં સફળતા મળી છે. ગીર સોમનાથની ચાર બેઠકો ફરી કબ્જે કરવા ભાજપનાં પ્રધાનમંત્રી સહિતની સભા અને રેલી કરવામાં આવી હતી. અને લોકોને વિકાસની યાત્રામાં જોડવામાં ભાજપ સફળ રહ્યુ હતુ અને પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો હતો.
વિસાવદરમાં આપનું ઝાડું ચાલ્યુ
વિસાવદરમાં છેલ્લી બે ટ્રમથી કોંગ્રેસનાં હર્ષદ રિબડીયાનું વર્ચશ્ર્વ હતુ જયારે ચૂંટણીની અંતિમ સમયે ભાજપનો ખેસ ધારણ કર્યો ત્યારબાદ હર્ષદ રિબડીયા ભાજપ તરફથી મેદાને ઉતર્યા તેની સામે આમ આદમી પાર્ટીએ ભેંસાણના ભુપત ભાયાણીને મેદાને ઉતારતા અંતે પ્રજાએ આપની પસંદગી કરીને જાડુને વિજય બનાવવામાં સિંહફાળો નોંધાવ્યો હતો.