ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં મોંઘવારીએ માઝા મૂકેલી છે અને તેને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર પગલાં લેવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ રિઝર્વ બેન્ક દ્વારા પણ મોંઘવારીની સામે લડત ચાલુ રાખવામાં આવી છે ત્યારે આવી પરિસ્થિતિમાં જીએસટીના માળખામાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે.
નાણામંત્રાલય દ્વારા એવી ચોખવટ કરવામાં આવી છે કે ફુગાવો ચિંતાજનક પરિસ્થિતિમાં છે અને તેને ધ્યાનમાં રાખીને હાલ તુરત જીએસટીના દરોમાં ફેરફારની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર દ્વારા પણ આ પ્રકારની ભલામણો અને સલાહ મંત્રણા આપવામાં આવ્યા હતા અને તેને પગલે નાણામંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઘણા બધા રાજ્યો ફેરફાર માગે છે પરંતુ અત્યારે ફુગાવાની પરિસ્થિતિ તરફ કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક નું ધ્યાન કેન્દ્રિત થયેલું છે અને ફુગાવાની પરિસ્થિતિ સુધરે ત્યારબાદ માળખામાં ફેરફાર કરવામાં આવશે.
- Advertisement -
બીજી બાજુ નાણામંત્રાલય દ્વારા એવી ચોખવટ પણ કરવામાં આવી છે કે પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ ઉધારી નો લક્ષ્યાંક ઘટાડવામાં આવ્યું નથી અને કેન્દ્ર સરકાર ખાદ્ય ચીજો તેમજ ખાતરની સબસીડી માટે ફંડ એકત્ર કરવા માંગે છે અને તેના માટે ઉધારી મોટા પ્રમાણમાં કરવામાં આવશે. અને તેમાં કોઇ ઘટાડો કરવાનો વિચાર કરવામાં આવ્યો નથી.