- અમરનાથ ઘોષ તેમના પરિવારમાં એકનું એક સંતાન
અમેરિકામાં વધુ એક ભારતીયને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. હુમલાખોરોએ તાબડતોબ ફાયરિંગ કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ હુમલા પછી એશિયાઈ મૂળના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમેરિકામાં વધુ એક ભારતીયને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. બદમાશોએ ફેમસ ભરતનાટ્યમ ડાન્સર અમરનાથ ઘોષની હત્યા કરી છે. અમરનાથ ઘોષ તેમના પરિવારમાં એકનું એક સંતાન હતો. અમરનાથ ઘોષે બાળપણમાં તેમના પિતાને ગુમાવી દીધા હતા અને ત્રણ વર્ષ પહેલા તેમના માતાનું મૃત્યુ થયું હતું. અમેરિકાના મિસૌરીમાં સેંટ લુઈસમાં આ પ્રકારની ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે. હુમલાખોરોએ તાબડતોબ ફાયરિંગ કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ હુમલા પછી એશિયાઈ મૂળના લોકોમાં ડરનો માહોલ છે. અમરનાથ ઘોષની મિત્ર અને ફેમસ ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્યએ અમરનાથના મૃત્યુની જાણકારી આપી છે. ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’માં ગોપી બહૂનું પાત્ર ભજવનાર દેવોલીના ભટ્ટાચાર્યએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ.જયશંકરને આ મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે.
- Advertisement -
My friend #Amarnathghosh was shot & killed in St louis academy neigbourhood, US on tuesday evening.
Only child in the family, mother died 3 years back. Father passed away during his childhood.
Well the reason , accused details everything are not revealed yet or perhaps no one…
- Advertisement -
— Devoleena Bhattacharjee (@Devoleena_23) March 1, 2024
ભારત સરકાર પાસે મદદ માંગી
અમરનાથ ઘોષની મિત્ર અને ફેમસ ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્યએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, ‘ગત મંગળવારે સાંજે અમરનાથ ઘોષની હત્યા કરવામાં આવી. એવું લાગી રહ્યું છે કે, આ મામલાને દબાવવાની કોશિશ કરવામાં આવી રહ્યા છે. હત્યાનું કારણ અકબંધ છે. આરોપીઓની ઓળખ થઈ નથી. અમરનાથ ઘોષના મોત બાબતે તેમની કોઈ પોતાની વ્યક્તિ ન્યાય માંગવા માટે હાજર ના હોવાને કારણે પોલીસ આ કેસ પર ધ્યાન નથી આપી રહી.’ જેથી ભારત સરકાર અને વિદેશ મંત્રાલય પાસે મદદ માંગી છે.