યાત્રાધામ પાવાગઢમાં વરસાદને કારણે રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી છે. પવન સાથે વરસાદ પડવાને કારણે યાત્રિકોને નુકસાન ન થાય તે માટે રોપ-વે સેવાને બંધ કરી દેવામાં આવી છે. વરસાદ બંધ થયા બાદ રોપ-વે સેવા ફરી શરૂ કરાશે.
વાતાવરણમાં પલટો
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, હવે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. વાતાવરણમાં પલટો આવી ગયો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ થયો છે, અને ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ છવાયો છે.
- Advertisement -
પાવાગઢ ડુંગર પર સર્જાયા અદભૂત દ્રશ્યો
વરસાદને કારણે પાવાગઢ ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે, વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અને વાદળો વચ્ચે ડુંગર જાણે અદ્રશ્ય થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
પાવાગઢમાં રોપ-પે સેવા બંધ
પાવાગઢ ડુંગર પર પણ ભારે પવન સાથે વરસાદ થયો છે. ત્યારે હાલ યાત્રાધામ પાવાગઢમાં વરસાદને કારણે રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી છે.
- Advertisement -
વરસાદ બંધ થયા બાદ રોપ-વે સેવા શરૂ કરાશે
ભારે પવન સાથે વરસાદ પડવાને કારણે યાત્રિકોને નુકસાન ન થાય તે માટે રોપ-વે સેવાને બંધ કરી દેવામાં આવી છે. વરસાદ બંધ થશે એ પછી રોપ-વે સેવા ફરી શરૂ કરી દેવામાં આવશે.
પ્રવાસીઓની સુરક્ષા માટે રોપવે સેવા બંધ કરાઈ
વરસાદ બંધ થયા બાદ રોપ-વે સેવા ફરી શરૂ કરાશે. સંચાલકોએ પ્રવાસીઓની સુરક્ષા માટે રોપવેને બંધ કરી દીધો છે. ભારે પવન સાથે વરસાદને કારણે કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે રોપવે સેવાઓ બંધ થતા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.