ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
કાશ્મીરના પહેલગાંવની બેસરન ઘાટીમાં આતંકીઓ દ્વારા નિર્દોષ હિન્દૂ ધર્મના પર્યટકોને ધર્મ પૂછીને જે રીતે આડેધડ ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી તેમાં દેશના 26 જેટલા નિર્દોષ ભારતીઓના મૃત્યુ નિપજ્યા તેવા દિવગંતોને કોંગ્રેસ દ્વારા આજ રોજ ઝાંસીરાણી સર્કલ પાસે બે મિનિટ મૌન કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
આ શ્રદ્ધાંજલિમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજસ્થાન સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ધીરજ ગુર્જરજી તથા પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ, હીરાભાઈ જોટવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશી, અમિત પટેલ, પ્રથમ આહીર, જૂનાગઢ મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ હેમાબહેન રૂપારેલિયા, કીર્તિબહેન અટારા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. અને આ આતંકી હુમલામાં મૃતકો પ્રત્યે દુ:ખની લાગણી વ્યક્ત કરાઈ હતી અને હુમલો કરનાર આતંકવાદીઓ સામે કડક હાથે કામગીરી કરવા માંગ કરી હતી.