ઝારખંડમાં 7 સ્તરની સુરક્ષા તોડી વિધાનસભા તરફ હજારો વિદ્યાર્થીઓની કૂચ, વોટર કેનનનો ઉપયોગ કરાયો : લાઠીચાર્જ
ઝારખંડના રાંચીમાં JPSC-JSSCમાં ગેરરીતિ વિરુદ્ધ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વિધાનસભા નજીક પહોંચી ગયા છે. ત્યાં, ધરણા શરૂ કરી દીધા. ત્યારબાદ વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો. વિદ્યાર્થીઓએ પાણીની બોટલો
અને ચંપલ ફેંક્યા હતા. પોલીસે પ્રદર્શનકારીઓને કાંટાળા તારની બેરિકેડિંગ અને વોટર કેનનથી રોકવાનો પ્રયાસ કર્યો તો વિદ્યાર્થીઓ બેરિકેડિંગ પર ચઢીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
- Advertisement -
વિધાનસભાને ચારેય બાજુથી ૬ સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. CCTV કેડીરાથી દેખરેખ રાખવામાં આવી રહી છે. ત્યાં, ૯ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા દેવેન્દ્રનાથ મહતો એમ્બ્યુલન્સથી વિધાનસભા માર્ચમાં
સામેલ થયા. વિધાનસભાની સુરક્ષા માટે કુલ ૭ લેયર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. નવી અને જૂની વિધાનસભાના રસ્તા વચ્ચે ૬ જગ્યાએ કડક બેરિકેડ્સ ઊભા કરાયા હતા. જોકે, આંદોલનકારી વિદ્યાર્થીઓએ એક પછી એક
કરીને અત્યાર સુધીમાં ૬ બેરિકેડ્સ તોડી નાખ્યા છે. હવે સાતમું અને છેલ્લું બેરિકેડ બાકી છે, જેને પણ વિદ્યાર્થીઓ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો આ છેલ્લું બેરિકેડ તૂટશે તો વિદ્યાર્થીઓ સીધા
વિધાનસભા પરિસરમાં પ્રવેશ કરી જશે. આ દરમિયાન ભાજપના ધારાસભ્યો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં ઈખ હાઉસ સામે ધરણા પર બેઠા, જેમને બાદમાં પોલીસે ત્યાંથી હટાવી દીધા. વિદ્યાર્થીઓ ઝારખંડ JPSC-JSSCની
પરીક્ષા રદ્દ કરવાની માંગને લઈને ૧૭ દિવસથી આંદોલન કરી રહ્યા છે. ૬ વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર છે.
JPSC પરિક્ષા અંગે વિદ્યાર્થીઓની મુખ્ય માંગ શું છે?
- Advertisement -
વિદ્યાર્થીઓની મુખ્ય માંગ ૨ જુલાઈએ યોજાયેલી ૧૪મી JPSC સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષાને લઈને છે. તેઓ પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે. સાથે જ કથિત અનિયમિતતાઓની સ્વતંત્ર તપાસની માંગ પણ
કરવામાં આવી રહી છે. વિદ્યાર્થી સંગઠનોનો દાવો છે કે પરીક્ષા પ્રક્રિયામાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને સમગ્ર ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે નિષ્પક્ષ તપાસ જરૂરી છે. આ મુદ્દો માત્ર એક પરીક્ષા
પૂરતો સીમિત નથી. ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓની પારદર્શિતા અને પરીક્ષા સુધારણા પણ આંદોલનના મોટા મુદ્દા બની ગયા છે. તાજેતરના અહેવાલોમાં JPSC અને JSSC બંને સાથે જોડાયેલી કથિત ભરતી
અનિયમિતતાઓ અંગે વિદ્યાર્થીઓના વિરોધનો ઉલ્લેખ થયો છે. જોકે, કથિત ગેરરીતિઓ અંગેના આરોપો અને તેમના અંતિમ નિષ્કર્ષ વચ્ચે તફાવત રાખવો જરૂરી છે.




