28 દબાણદારો દ્વારા દબાણ કરાયેલી જમીન પર કડક કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં અનધિકૃત દબાણો, ગૌચરની જમીન પરના દબાણો, ટ્રાફિકને અડચણ કરતા દબાણોને દૂર કરવાની કાર્યવાહી યથાવત્ છે, ત્યારે ગીરગઢડા તાલુકાના મહોબતપરા ગામે પણ આશરે રૂ. 7 કરોડ 50 લાખની કિંમતની 1,95,000 ચોરસ મીટર ગૌચર જમીન ખૂલ્લી કરાવાઈ છે. ગીરગઢડાના મહોબતપરા ગામે ગૌચરની જમીન ઉપર ત્રણ દિવસ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઇ હતી.
આ કાર્યવાહીમાં 28 દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલી કુલ 1,95,000 ચોરસ મીટર ગૌચરની જમીન જેની કિંમત આશરે રૂ. 7 કરોડ 50 લાખ થવા જાય છે. તેમાં ગ્રામ પંચાયત દ્વારા જે.સી.બી. તેમજ ટ્રેકટર દ્વારા સમગ્ર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. હજુ પણ આગામી સમયમાં જિલ્લાના વિવિધ સ્થળો પર દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે.