ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ સ્વચ્છતા હી સેવા સફાઇ અભિયાન હેઠળ બીજા રવિવારે થીમ આધારિત સફાઈ અંતર્ગત કોડીનાર નગરપાલિકાના શહેરમાં આવેલ વિરાટનગર હનુમાનજી મંદિર તથા શહેરના મેઇન રસ્તાઓની સફાઇ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કોડીનાર શહેરના સફાઇ કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા ઝૂંબેશની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કોડીનાર તાલુકામાં ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા ઝૂંબેશ અંતર્ગત કરવામાં આવી સફાઈ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/10/કોડીનાર-તાલુકામાં-ધાર્મિક-સ્થળો-પર-સ્વચ્છતા-ઝૂંબેશ-અંતર્ગત-કરવામાં-આવી-સફાઈ-860x384.jpg)