વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં નિર્ણય લેવાયો : ICAI ચેરમેન
નિર્મલા સીતારમણએ GCCIસંવાદમાં કહ્યું, મોદી PM બન્યા બાદ સ્થિતિ બદલાઈ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.20
- Advertisement -
CAની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. CA ફાઉન્ડેશન અને ઇન્ટરમિડિયેટની પરીક્ષા જે વર્ષમાં બેવાર મે અને નવેમ્બર મહિનામાં લેવામાં આવતી હતી એ હવે ત્રણવાર લેવામાં આવશે, એવું ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ના ચેરમેન અનિકેત તલાટીએ GCCIના સંવાદ કાર્યક્રમમાં જણાવ્યું હતું. આ કાર્યક્રમ, જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ હાજર હતાં, ત્યારે તલાટીએ કહ્યું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કોર્સમાં સતત વધી રહેલી વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે મે 2024થી અમલમાં આવશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે અમદાવાદ આજે સમગ્ર ભારતમાં ICAIની બીજી સૌથી મોટી બ્રાન્ચ છે. 15 હજારથી વધુ ઈઅ અમદાવાદમાં છે.CA માટે નવા કોર્સની મંજૂરી આપવા માટે તલાટીએ નિર્મલા સીતારમણનો આભાર માન્યો. સીતારમણે ગુજરાત ખાતેથી લોકોને કહ્યું, તમે સ્ટોક ઓપરેટર્સ, ટ્રેડર્સ, CAતરીકે ઓળખાતા હતા, પણ હવે ગુજરાત કોમ્યુનિટીએ મેન્યુફેક્ચરર તરીકે તમારી ઓળખ ઊભી કરી લીધી છે. બાદમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અમદાવાદમાં આશ્રમ રોડ પર ITC વેલકમ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેઓએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પગલે પીએમ સહિત નેતાઓ પ્રચાર કરી રહ્યા છે, નાનામાં નાના વર્ગને ઉપર લાવવાનું કામ મોદી સરકારે કર્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ગુજરાતમાં છે, તેઓ GCCI ખાતે કાર્યક્રમાં વેપારીઓ સાથે સંવાદ કરવા પહોંચ્યા હતા. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓ અને ICAIના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે સંવાદ કર્યો હતો. વિકસિત ભારત 2047 પર પણ સંવાદ કર્યો હતો. તેમણે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેમાં રાજ્ય અને દેશની અર્થવ્યવસ્થા કઈ રીતે સુધારી શકાય, MSME, ટેક્સટાઇલ અને કેમિકલના ઉદ્યોગ થકી અર્થવ્યવસ્થા મજબૂત બનાવવા, GST રિટર્ન અને ટેક્સ સહિતની મૂંઝવણો, સેમિક્ધડક્ટર, આઈટી હબ, એઆઈ ટેક્નોલોજી, હાઈડ્રોજન એનર્જીના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે જીડીપી ગ્રોથ વધારવા અને ઇન્ટરનેશનલ સિસ્ટમથી આગળ વધવા પ્રયાસ કરાશે. આ સંવાદ કાર્યક્રમમાં વેપારીએ પ્રશ્ન કર્યો હતો કે અમારો શિપિંગ અને ઇન્શ્યોરન્સ કોસ્ટ વધતો જાય છે.
- Advertisement -
ત્યારે નાણામંત્રીએ કહ્યું હતું કે તમારા સજેશન મોકલજો. નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે 2014માં પીએમ તરીકે મોદીએ ચાર્જ સંભાળ્યો ત્યારે સ્થિતિ અલગ હતી. ઇકોનોમીની સ્થિતિ ખરાબ હતી, 22 મહિના ડબલ ડિજિટમાં રહ્યું હતું. ત્યારે ટ્વિન બેલેન્સ શીટ શરૂ કરવામાં આવી હતી. એક બેલેન્સ સીટ કંપનીની અને એક બેલેન્સ સીટ બેંકની, RBIએ પણ કહ્યું હતું કે, ટ્વિન બેલેન્સ સીટથી ફાયદો જ થયો છે. યશ બેન્ક અને પંજાબ બેન્કમાં જે સમસ્યા થઈ એનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.