By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    12 hours ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    12 hours ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    13 hours ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 days ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    11 hours ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    11 hours ago
    વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
    12 hours ago
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    1 day ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    1 day ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    4 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    4 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    12 hours ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 day ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    1 day ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    4 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: છગન ખેરાજ વર્મા અને ગુજરાતી પત્ર ‘ગદર’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > છગન ખેરાજ વર્મા અને ગુજરાતી પત્ર ‘ગદર’
Bhavy Raval

છગન ખેરાજ વર્મા અને ગુજરાતી પત્ર ‘ગદર’

Khaskhabar Editor
Last updated: 2022/05/16 at 1:11 PM
Khaskhabar Editor 4 years ago
Share
14 Min Read
SHARE

વિદેશમાં ગુજરાતી ક્રાંતિકારી પત્રકારત્વના પ્રારંભકર્તા : છગન ખેરાજ વર્મા
ઉર્ફે ખેમચંદ દામજી ઉર્ફે હુસેન રહીમ

શ્યાહીની સમાંતર લોહી રેડનારા પત્રકારનો ધૂંધળો ઈતિહાસ

- Advertisement -

છગન ખેરાજ વર્મા એટલે ફાંસીના માંચડે ચઢનાર પ્રથમ ગુજરાતી પત્રકાર. છગન ખેરાજ વર્મા એટલે વિદેશમાં ગુજરાતી ક્રાંતિકારી પત્રકારત્વના પ્રારંભકર્તા. છગન ખેરાજ વર્મા એટલે વિદેશની ધરતી પરથી પ્રસિદ્ધ થતા ગુજરાતી પત્ર ગદરના તંત્રી. છગન ખેરાજ વર્મા એટલે તંત્રી અને પત્રકાર સાથે સ્વાતંત્ર્ય સેનાની. છગન ખેરાજ વર્મા એટલે ગુજરાતી પત્ર ગદરના એક એવા તંત્રી – પત્રકાર – સ્વાતંત્ર્ય સેનાની જેના વિશે કોઈ કશું વધુ જાણતું નથી. વારંવાર કહ્યું છે તેમ, આપણી એ કમનસીબી છે કે, કઈકેટલાંય ગુજરાતી પત્રકારો જેમણે ગુજરાતી પત્રકારત્વના વિકાસ અને ભારતની આઝાદી માટે શ્યાહીની સમાંતર લોહી રેડ્યું છે તેમના વિશે વ્યવસ્થિત બે-ચાર પાનાંની નોંધ પણ ક્યાંય ઉપલબ્ધ નથી! અતીતની ગુમનામીમાં ખોવાયેલા આવા જ એક પત્રકાર છે, છગન ખેરાજ વર્મા. જેમના વિશે ઈતિહાસના પાનાં પર છૂટીછવાયી કેટલીક વાતો લખાયેલી છે પરંતુ તેમાં સમય અને સ્થળનો તફાવત જોવા મળે છે. બિન ગુજરાતી તથા વિદેશી ઈતિહાસકારોએ છગન ખેરાજ વર્મા વિશે નોંધેલી જૂજ માહિતીમાંથી વાસ્તવિકતા વિચારીએ અને તથ્ય તારવીએ તો..
વીસમી સદીના પ્રથમ ચરણ દરમિયાન અમેરિકામાં ઉદ્દભવેલી ભારતની સ્વતંત્રતા માટેની ક્રાંતિકારી ચળવળ એટલે ગદર ચળવળ. 19મી સદીના અંત તથા 20મી સદીના આરંભમાં પંજાબી ખેડૂતો મોટી સંખ્યામાં ખેતરોમાં મજૂરી કરવા યુનાઈટેડ સ્ટેટ્સ અને કેનેડા પહોચ્યા હતા. 1910 સુધીમાં સાનફ્રાંસિસ્કો અને વેંકોવર વચ્ચે આશરે 30000 ભારતીય કામદારો વસતા હતા. તેમની સાથે કેનેડિયન – અમેરિકનનો વ્યવહાર અપમાનજનક હતો તેથી તેમને સ્વતંત્રતા અને લોકશાહીનું મૂલ્ય સમજાય સાથોસાથ કાળા-ધોળાના ભેદ અને અસમાનતા દૂર થાય તે માટે દેશની સાથે વિદેશમાં પણ ભારતીયોને ભૂરીયાઓની ગુલામીમાંથી આઝાદી અપાવવા માટેની વિવિધ ચળવળ શરૂ થઈ હતી જેમાની એક ચળવળનું નામ ગદર હતું. ગદરનો અર્થ થાય છે – બળવો.
1857 પછીથી 1914 સુધીમાં ગદર ચળવળ પંજાબથી લઈ કેનેડા, અમેરિકા, ફ્રાંસ, જર્મની, બ્રિટન અને જાપાનથી લઈ ચીન, અફઘાનિસ્તાન, મલાયા, સિંગાપોર, બર્મા સુધી ફેલાઈ ગઈ હતી. આ ચળવળના નેતાઓ લાલા હરદયાલ, પાંડુરંગ સદાશિવ ખાનખોજે, તારકનાથ દાસ, રાસબિહારી ઘોષ, ભાઈ પરમાનંદ, વિષ્ણુ ગણેશ પિંગલે વગેરે હતા. ગદર ચળવળમાં જે ગુજરાતીએ અગત્યનો ભાગ ભજવ્યો તેનું નામ હતું – છગન ખેરાજ વર્મા. છગન ખેરાજ વર્મા એટલે કે ખેમરાજ દામજી એટલે કે હુસેન રહીમ. એ સમયમાં વેશપલટાની જેમ નામપલટા પણ થતા હતા. કેટલાંક વિદેશી પુસ્તકો અને ભારતમાં રહી ગયેલા બ્રિટિશ ગુપ્તચર તંત્રના અધિકારીઓના દસ્તાવેજોમાં આ નામ મળી આવે છે. વેશાંતર, દેશાંતર, નામાંતર કરનારા છગન ખેરાજ વર્મા એ જ ખેમરાજ દામજી હતા અને એ જ હુસેન રહીમ હતા. તેઓ પોતાની ઓળખ છુપાવી વિદેશમાં રહેતા હતા અને વિદેશની ધરતી પરથી જ મા ભારતીની અનુસંધાન પાના નં. 6

આઝાદીના આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા.
છગન ખેરાજ વર્માનો જન્મ 1865માં પોરબંદર ખાતે થયો હતો. તેઓ જહાજ મારફતે પોરબંદરથી હોનોલુલુ અને ત્યાંથી વેંકોવર પહોંચ્યા હતા. કેનેડા પહુંચનારા છગન ખેરાજ વર્મા પ્રથમ ગુજરાતી હતા. જ્યાં તેમણે ઈમિગ્રેશનની શીખ ચળવળમાં ઝૂકાવ્યું હતું. આ દરમિયાન તેમની મુલાકાત ક્રાંતિકારી લાલા હરદયાલ સાથે થઈ હતી. અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે 1907માં કેલિફોર્નીયામાં ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપવામાં આવી હતી, લાલા હરદયાલે તેનું નામ બદલી ગદર કરી નાખ્યું. છગન ખેરાજ વર્મા આ ગદર સંસ્થા સાથે જોડાઈ ગયા હતા. છગન ખેરાજ વર્માએ લાલા હરદયાલ સાથે મળી ફ્રી હિન્દુસ્થાન નામનું અખબાર ચલાવ્યું હોય એવી નોંધ ઈતિહાસના પાનાંઓ પર ઘણી જગ્યાએ છે. થોડા વર્ષોમાં છગન ખેરાજ વર્મા કેનેડાથી અમેરિકા પહોંચી ગયા હતા. પોરબંદરના છગન ખેરાજ વર્માના તંત્રીપદ હેઠળ 10 મે, 1914 અથવા 1 જૂન, 1914માં સાનફ્રાંસિસ્કોથી પ્રથમ ગુજરાતી ક્રાંતિકારી પત્ર ગદર પ્રકાશિત થયું હતું.
1 નવેમ્બર, 1913ના રોજ સાનફ્રાંસિસ્કોમાં ભારતીયોના પ્રતિનિધિઓની એક સભા મળી હતી જેમાં હિંદી એસોસિયેશન ઑવ્ અમેરિકા સ્થાપીને આશરે 15000 ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા. આ સભામાં ગદર (બળવો) નામનું એક સાપ્તાહિક પ્રગટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સમય જતાં આ એસોસિયેશન ગદર પક્ષ નામથી ઓળખાવા લાગ્યું. આ સંસ્થાનો હેતુ ભારતમાં બ્રિટીશ રાજ દૂર કરીને સ્વતંત્રતા અને સમાનતાના પાયા પર આધારિત પ્રજાસત્તાક રાજ સ્થાપવાનો હતો. 1 નવેમ્બર, 1913માં ગદર પત્ર શરૂ કરનારા હતા, લાલા હરદયાલ. લાલા હરદયાલના યુગાંતર આશ્રમમાંથી ગદર ઉર્દૂ, પંજાબી, હિંદી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું હતું. આ ચાર ભાષાઓ સિવાય ગદર અંગ્રેજી, પશ્તુન, ગોરખાલી અને ગુરુમુખી ભાષામાં પણ પ્રકાશિત થતું હતું તે વિશે તત્કાલીન બ્રિટિશ ગુપ્તચર તંત્રના વડા જ્હોન કેમ્પબેલે નોંધ્યું છે. ગદરની નકલો હજારોની સંખ્યામાં હતી, ગદરનો ફેલાવો અમેરિકા, કેનેડા, ભારત જેવા દેશોમાં હતો.
ગદર સાપ્તાહિકે ક્રાંતિકારી ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખ્યો હતો. પ્રતિબંધિત સાહિત્યની માહિતી, હથિયારોના ઉપયોગ તથા તેને બનાવવાની રીત અને જોઈતી સામગ્રી વગેરે ગદરમાં પ્રકાશિત થતા હતા. ગદરમાં અંગ્રેજો સામે બળવો કરવાનો ખુલ્લેઆમ પ્રચાર કરવામાં આવતો, બ્રિટિશ રાજ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતાં, ભારતીય દેશભક્તોનાં જીવનચરિત્રો આલેખવામાં આવતાં, ભારતની સંસ્કૃતિનાં ઉત્કૃષ્ટ લક્ષણો દર્શાવવામાં આવતાં. આ સાથે જ ગદરમાં સરકારને વફાદાર અધિકારીઓનાં ખૂન કરવા, ક્રાંતિકારી ધ્વજ ફરકાવવા, જેલો તોડવી, સરકારી તિજોરી અને થાણાં લૂંટવાં, રાજદ્રોહી સાહિત્યના ફેલાવા, શસ્ત્રો મેળવવાં, બોમ્બ બનાવવા, ગુપ્ત મંડળો રચવાં, રેલવે અને તારમાં ભંગાણ કરવા, ક્રાંતિકારી કાર્યો માટે યુવાનોની ભરતી કરવી વગેરે કાર્યો સૂચવવામાં આવતાં હતાં.
બ્રિટિશ અને અમેરિકી દસ્તાવેજોમાં જેમના ત્રણ નામો મળે છે. એક – છગન ખેરાજ માતા-પિતાએ આપેલું નામ, બીજું – ખેમચંદ દામજી અને ત્રીજું – હુસેન રહીમ. એ ગુજરાતના પોરબંદરના વતની છગન ખેરાજ વર્મા વિદેશમાં જઈ ખેમચંદ દામજી અને હુસેન રહીમના નામે ઓળખાતા આદમી વિદેશની ધરતી પરથી પ્રકાશિત થતા અને સ્વદેશીઓની આઝાદીની ચળવળને વેગવંતી બનાવતા ગુજરાતી પત્ર ગદરના તંત્રી – પત્રકાર હતા. પીળાં પાના પર છપાતા આ પત્રનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવતું હતી. ક્રાંતિના પ્રચારાર્થે વિનામૂલ્યે વિતરણ એવી ઘોષણા તેના પર છપાયેલી આવતી હતી. ગુજરાતી ગદરનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતીઓમાં આઝાદીની ભાવના મજબૂત કરવાનો હતો. ગદરમાં છપાયેલી લેખનસામગ્રીની અસર ભારત સુધી થતી હતી. અમેરિકા, કેનેડા અને ભારતમાં ગદર પત્રની નોંધ લેવાતી હતી!
મે-જૂન 1914માં શરૂ થયેલું ગુજરાતી પત્ર ગદર આશરે એક કે બે વર્ષ માંડ ચાલ્યું હતું. છગન ખેરાજ વર્મા પર બગાવતનો આરોપ લાગ્યો અને તેમને ફાંસીની સજા થઈ. માર્ચ, 1915માં તેમના પર મુકદ્દમો ચાલ્યો, અને તત્કાળ મૃત્યુદંડની સજા થઈ. સિંગાપુરની જેલમાં તેમને 4 મે, 1915ના દિવસે ફાંસી અપાઈ હતી. અન્ય એક જગ્યાએ એવી નોંધ છે કે, છગન ખેરાજ વર્માને 1920માં સિંગાપુરમાં ફાંસી આપવામાં આવી હતી. જોકે બંને જગ્યાએ ફાંસી આપવાનું કારણ એક સરખું જોવા મળે છે, છગન ખેરાજ વર્મા ઉર્ફે ખેમચંદ દામજી ઉર્ફે હુસેન રહીમને ભારતની સ્વતંત્રતા માટે બ્રિટિશ આધિપત્યના લશ્કરમાં બગાવત કરવા બદલ ફાંસીની સજા આપવામાં આવી હતી. સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આઝાદીની લડત માટે ગદર ચળવળ અને ગદર પત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ક્રાંતિકારી ચળવળ અને પત્ર ચલવવા બદલ જે હજારો હિંદુસ્તાનીઓએ શહીદી વહોરી તેમાના એકમાત્ર ગુજરાતી પત્રકાર એટલે છગન ખેરાજ વર્મા.

વધારો : વિદેશી ધરતી પર થયેલા ગુજરાતી ક્રાંતિકારી પત્રકારત્વે આઝાદીની લડતમાં ઉત્તમ ભાગ ભજવ્યો હતો જેમાં પંડિત શ્યામજીકૃષ્ણ વર્માના ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ, મેડમ કામાના તલવાર અને વંદે માતરમ, છગન ખેરાજ વર્માના ગદર નામના પત્રો અગ્રેસર હતા. મેડમ કામાએ થોડો સમય ગદરમાં પણ કામ કરેલું હતું. ક્રાંતિકારી છગન ખેરાજ વર્માના ગુજરાતી પત્ર ગદરમાં લખાયેલા કેટલાંક તંત્રીલેખ ઉપલબ્ધ છે જે વાંચવાલાયક છે, છગન ખેરાજ વર્મા પત્રકારત્વ અને ઈતિહાસના વિદ્યાર્થીઓ માટે શોધ – સંશોધન – મહાશોધ નિબંધનો વિષય છે.

- Advertisement -

લાલા હરદયાલના યુગાંતર આશ્રમમાંથી ગદર ઉર્દૂ, પંજાબી, હિંદી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું હતું, આ ચાર ભાષાઓ સિવાય ગદર અંગ્રેજી, પશ્તુન, ગોરખાલી અને ગુરુમુખી ભાષામાં પણ પ્રકાશિત થતું હતું તે વિશે તત્કાલીન બ્રિટિશ ગુપ્તચર તંત્રના વડા જ્હોન કેમ્પબેલે નોંધ્યું છે, ગદરની નકલો હજારોની સંખ્યામાં હતી, ગદરનો ફેલાવો અમેરિકા, કેનેડા, ભારત જેવા દેશોમાં હતો

આઝાદીના આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા.
છગન ખેરાજ વર્માનો જન્મ 1865માં પોરબંદર ખાતે થયો હતો. તેઓ જહાજ મારફતે પોરબંદરથી હોનોલુલુ અને ત્યાંથી વેંકોવર પહોંચ્યા હતા. કેનેડા પહુંચનારા છગન ખેરાજ વર્મા પ્રથમ ગુજરાતી હતા. જ્યાં તેમણે ઈમિગ્રેશનની શીખ ચળવળમાં ઝૂકાવ્યું હતું. આ દરમિયાન તેમની મુલાકાત ક્રાંતિકારી લાલા હરદયાલ સાથે થઈ હતી. અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે 1907માં કેલિફોર્નીયામાં ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપવામાં આવી હતી, લાલા હરદયાલે તેનું નામ બદલી ગદર કરી નાખ્યું. છગન ખેરાજ વર્મા આ ગદર સંસ્થા સાથે જોડાઈ ગયા હતા. છગન ખેરાજ વર્માએ લાલા હરદયાલ સાથે મળી ફ્રી હિન્દુસ્થાન નામનું અખબાર ચલાવ્યું હોય એવી નોંધ ઈતિહાસના પાનાંઓ પર ઘણી જગ્યાએ છે. થોડા વર્ષોમાં છગન ખેરાજ વર્મા કેનેડાથી અમેરિકા પહોંચી ગયા હતા. પોરબંદરના છગન ખેરાજ વર્માના તંત્રીપદ હેઠળ 10 મે, 1914 અથવા 1 જૂન, 1914માં સાનફ્રાંસિસ્કોથી પ્રથમ ગુજરાતી ક્રાંતિકારી પત્ર ગદર પ્રકાશિત થયું હતું.
1 નવેમ્બર, 1913ના રોજ સાનફ્રાંસિસ્કોમાં ભારતીયોના પ્રતિનિધિઓની એક સભા મળી હતી જેમાં હિંદી એસોસિયેશન ઑફ અમેરિકા સ્થાપીને આશરે 15000 ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા. આ સભામાં ગદર (બળવો) નામનું એક સાપ્તાહિક પ્રગટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સમય જતાં આ એસોસિયેશન ગદર પક્ષ નામથી ઓળખાવા લાગ્યું. આ સંસ્થાનો હેતુ ભારતમાં બ્રિટીશ રાજ દૂર કરીને સ્વતંત્રતા અને સમાનતાના પાયા પર આધારિત પ્રજાસત્તાક રાજ સ્થાપવાનો હતો. 1 નવેમ્બર, 1913માં ગદર પત્ર શરૂ કરનારા હતા, લાલા હરદયાલ. લાલા હરદયાલના યુગાંતર આશ્રમમાંથી ગદર ઉર્દૂ, પંજાબી, હિંદી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું હતું. આ ચાર ભાષાઓ સિવાય ગદર અંગ્રેજી, પશ્તુન, ગોરખાલી અને ગુરુમુખી ભાષામાં પણ પ્રકાશિત થતું હતું તે વિશે તત્કાલીન બ્રિટિશ ગુપ્તચર તંત્રના વડા જ્હોન કેમ્પબેલે નોંધ્યું છે. ગદરની નકલો હજારોની સંખ્યામાં હતી, ગદરનો ફેલાવો અમેરિકા, કેનેડા, ભારત જેવા દેશોમાં હતો.
ગદર સાપ્તાહિકે ક્રાંતિકારી ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખ્યો હતો. પ્રતિબંધિત સાહિત્યની માહિતી, હથિયારોના ઉપયોગ તથા તેને બનાવવાની રીત અને જોઈતી સામગ્રી વગેરે ગદરમાં પ્રકાશિત થતા હતા. ગદરમાં અંગ્રેજો સામે બળવો કરવાનો ખુલ્લેઆમ પ્રચાર કરવામાં આવતો, બ્રિટિશ રાજ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતાં, ભારતીય દેશભક્તોનાં જીવનચરિત્રો આલેખવામાં આવતાં, ભારતની સંસ્કૃતિનાં ઉત્કૃષ્ટ લક્ષણો દર્શાવવામાં આવતાં.
આ સાથે જ ગદરમાં સરકારને વફાદાર અધિકારીઓનાં ખૂન કરવા, ક્રાંતિકારી ધ્વજ ફરકાવવા, જેલો તોડવી, સરકારી તિજોરી અને થાણાં લૂંટવાં, રાજદ્રોહી સાહિત્યના ફેલાવા, શસ્ત્રો મેળવવાં, બોમ્બ બનાવવા, ગુપ્ત મંડળો રચવાં, રેલવે અને તારમાં ભંગાણ કરવા, ક્રાંતિકારી કાર્યો માટે યુવાનોની ભરતી કરવી વગેરે કાર્યો સૂચવવામાં આવતાં હતાં.
બ્રિટિશ અને અમેરિકી દસ્તાવેજોમાં જેમના ત્રણ નામો મળે છે. એક – છગન ખેરાજ માતા-પિતાએ આપેલું નામ, બીજું – ખેમચંદ દામજી અને ત્રીજું – હુસેન રહીમ. એ ગુજરાતના પોરબંદરના વતની છગન ખેરાજ વર્મા વિદેશમાં જઈ ખેમચંદ દામજી અને હુસેન રહીમના નામે ઓળખાતા આદમી વિદેશની ધરતી પરથી પ્રકાશિત થતા અને સ્વદેશીઓની આઝાદીની ચળવળને વેગવંતી બનાવતા ગુજરાતી પત્ર ગદરના તંત્રી – પત્રકાર હતા. પીળાં પાના પર છપાતા આ પત્રનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવતું હતી. ક્રાંતિના પ્રચારાર્થે વિનામૂલ્યે વિતરણ એવી ઘોષણા તેના પર છપાયેલી આવતી હતી. ગુજરાતી ગદરનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતીઓમાં આઝાદીની ભાવના મજબૂત કરવાનો હતો. ગદરમાં છપાયેલી લેખનસામગ્રીની અસર ભારત સુધી થતી હતી. અમેરિકા, કેનેડા અને ભારતમાં ગદર પત્રની નોંધ લેવાતી હતી!
મે-જૂન 1914માં શરૂ થયેલું ગુજરાતી પત્ર ગદર આશરે એક કે બે વર્ષ માંડ ચાલ્યું હતું. છગન ખેરાજ વર્મા પર બગાવતનો આરોપ લાગ્યો અને તેમને ફાંસીની સજા થઈ. માર્ચ, 1915માં તેમના પર મુકદ્દમો ચાલ્યો, અને તત્કાળ મૃત્યુદંડની સજા થઈ. સિંગાપુરની જેલમાં તેમને 4 મે, 1915ના દિવસે ફાંસી અપાઈ હતી. અન્ય એક જગ્યાએ એવી નોંધ છે કે, છગન ખેરાજ વર્માને 1920માં સિંગાપુરમાં ફાંસી આપવામાં આવી હતી. જોકે બંને જગ્યાએ ફાંસી આપવાનું કારણ એક સરખું જોવા મળે છે, છગન ખેરાજ વર્મા ઉર્ફે ખેમચંદ દામજી ઉર્ફે હુસેન રહીમને ભારતની સ્વતંત્રતા માટે બ્રિટિશ આધિપત્યના લશ્કરમાં બગાવત કરવા બદલ ફાંસીની સજા આપવામાં આવી હતી. સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આઝાદીની લડત માટે ગદર ચળવળ અને ગદર પત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ક્રાંતિકારી ચળવળ અને પત્ર ચલવવા બદલ જે હજારો હિંદુસ્તાનીઓએ શહીદી વહોરી તેમાના એકમાત્ર ગુજરાતી પત્રકાર એટલે છગન ખેરાજ વર્મા.
વધારો : વિદેશી ધરતી પર થયેલા ગુજરાતી ક્રાંતિકારી પત્રકારત્વે આઝાદીની લડતમાં ઉત્તમ ભાગ ભજવ્યો હતો જેમાં પંડિત શ્યામજીકૃષ્ણ વર્માના ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ, મેડમ કામાના તલવાર અને વંદે માતરમ, છગન ખેરાજ વર્માના ગદર નામના પત્રો અગ્રેસર હતા. મેડમ કામાએ થોડો સમય ગદરમાં પણ કામ કરેલું હતું. ક્રાંતિકારી છગન ખેરાજ વર્માના ગુજરાતી પત્ર ગદરમાં લખાયેલા કેટલાંક તંત્રીલેખ ઉપલબ્ધ છે જે વાંચવાલાયક છે, છગન ખેરાજ વર્મા પત્રકારત્વ અને ઈતિહાસના વિદ્યાર્થીઓ માટે શોધ – સંશોધન – મહાશોધ નિબંધનો વિષય છે.

You Might Also Like

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

TAGGED: પત્રકારત્વ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંતાનોને કેળવવાની કળા
Next Article ખેતીની જમીનમાં દિશાનું મહત્વ, મુહૂર્ત- પંચાંગની ભૂમિકા અને અણધાર્યા ખર્ચા અટકાવવાનાં ઉપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
રાજકોટ કેન્સર હોસ્પિટલ બહાર આડેધડ પાર્કિંગ, રોડ પર ખોદકામ, ટ્રાફિક જામ અને ગંદકીથી હજારો દર્દીઓ પરેશાન
ધોરાજીના મોટી મારડ ગામે વાડીમાં દંપતિની ઘાતકી હત્યા
વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?