નૈતિક દૃષ્ટિએ રાજકોટ પોલીસે છેલ્લાં દાયકા દરમિયાન દેવાળું ફૂંક્યું છે. તાજેતરમાં થયેલાં વિવાદો તેનો પુરાવો છે. પણ પોલીસ ખાતાનાં કેટલાંક લોકો કેટલી હદા કરોડરજ્જુ વગરનાં થઈ ગયાં છે- તેનો પુરાવો આજે જોવા મળ્યો. આજે શહેરની આમ્રપાલી પોલીસ ચોકીએ પાટિયું લગાવ્યું છે – જેમાં નીચે ‘શ્રીજી વડાપાંઉ’નું નામ લખેલું છે. ટૂંકમાં કહીએ તો બોર્ડ બનાવવા માટે પોલીસે એક વડાપાંઉવાળાની સ્પોન્સરશિપ લીધી છે. આનાથી વધુ અધ:પતન બીજું ક્યું હોય? બીજો મુદ્દો એ છે કે, શું સરકાર માટે પણ આ વાત શરમજનક ન ગણાય?
રાજકોટ પોલીસની કફોડી હાલત: પોલીસ ચોકીનું બોર્ડ બનાવવા વડાપાંઉવાળાની સ્પોન્સરશિપ!
You Might Also Like
Follow US
Find US on Social Medias