પેટ્રોલીંગ ટુકડી નિશાન પર: ઓપરેશન કમાન્ડર પણ મરાયો
પાકિસ્તાનમાં હજુ પણ લાશોનો ધેર થવાનું ચાલુ છે. ગઇકાલે ભારતે એરસ્ટ્રાઈક કર્યા પછી હવે BLA એ પાકિસ્તાનની સેના પર હુમલો કર્યો છે. જેના લીધે ત્યાં અફરાતફરીનો માહોલ છે.
- Advertisement -
હજુ એક માસ પુર્વે આ ક્ષેત્રમાં બલુચ અલગતાવાદીઓએ એક ટ્રેનને હાઈજેક કરી હતી જેને છોડાવવા ગયેલા પાક સૈન્યને પણ મોટી ખુવારી સહન કરવી પડી હતી.
હકીકતમાં છેલ્લા કેટલાક સમયથી બલૂચિસ્તાનની બલૂચ લિબરેશન આર્મી પાકિસ્તાનને મુશ્કેલીમાં મૂકી રહી છે. બલૂચિસ્તાનના બોલાન જિલ્લાના માચ કુંડ વિસ્તારમાં બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાન આર્મીના વાહન પર રિમોટ-કંટ્રોલ્ડ IED હુમલો કર્યો. આ હુમલામાં 12 પાકિસ્તાની સૈનિકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
હુમલો ક્યારે થયો
- Advertisement -
આ હુમલો 7 મે 2025 ના રોજ શોરકંદ વિસ્તારમાં થયો હતો. જ્યારે પાકિસ્તાની સેનાનો કાફલો પેટ્રોલિંગ પર હતો. આ હુમલાની જવાબદારી BLA એ લીધી છે. આ હુમલો BLA ના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડ (STOS) દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું અને તેમાં સવાર તમામ સૈનિકો માર્યા ગયા હતા.
પાકિસ્તાનમાં ભારતે ગઇકાલે પહેલેથી જ આતંકીઓના લાશન ઢગલા કરી દીધા હતા ત્યારે હવે સેનાના સૈનિકોની લાશ પણ ઢેર થઈ છે. ભારતે 7 મેના રોજ મધ્યરાત્રિએ મિસાઇલોથી હુમલો કર્યો હતો. ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. ભારતના હુમલામાં 70 થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા. જોકે પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે 26 આતંકવાદીઓ માર્યા ગયા છે.