ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જુનાગઢ નજીક રેલવે ટ્રેક પર વેરાવળ – ગાંઘીનગર સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના એન્જીન આગળ પડતુ મુકી યુવકે આપઘાત કરી લેતા અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં 35 વર્ષીય અજાણ્યા યુવકનું ઘટના સ્થળે પર મૃત્યુ નીપજ્યું હતું આ યુવક ટ્રેન હડફેટે આવી જતા રેલવે પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને યુવકના મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો અને તેના વાલી વારસની શોધખોળ શરૂ કઈ હતી રેલવે પોલીસના તપાસ કરનાર એએસઆઇ ભુરાભાઈ કરગટિયા જુનાગઢ રેલ્વે પોલીસ સ્ટેશન મો.7096961424 વાલી વારસ મળી આવે તો ઉપરોક્ત મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવો તેમ જણાવ્યું છે.
જૂનાગઢ નજીક રેલવે ટ્રેક પર વેરાવળ-ગાંધીનગર રૂટની ટ્રેનમાં પડતુ મુકી યુવકે જિંદગી ટૂંકાવી નાંખી



