By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    21 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    23 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    2 days ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    2 days ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    21 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    21 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    21 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    21 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    2 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    2 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    4 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    5 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    7 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    7 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    23 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    2 days ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    2 days ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પત્રકારત્વના એ તમામ વિદ્યાર્થીઓ-જેઓ સાચા અર્થમાં સંતુલિત પત્રકારત્વ વિશે જાણવા અને અનુસરવા માગે છે તેમના માટે ઉપયોગી પુસ્તક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > પત્રકારત્વના એ તમામ વિદ્યાર્થીઓ-જેઓ સાચા અર્થમાં સંતુલિત પત્રકારત્વ વિશે જાણવા અને અનુસરવા માગે છે તેમના માટે ઉપયોગી પુસ્તક
AuthorBhavy Raval

પત્રકારત્વના એ તમામ વિદ્યાર્થીઓ-જેઓ સાચા અર્થમાં સંતુલિત પત્રકારત્વ વિશે જાણવા અને અનુસરવા માગે છે તેમના માટે ઉપયોગી પુસ્તક

Khaskhabar Editor
Last updated: 2022/02/01 at 2:17 PM
Khaskhabar Editor 4 years ago
Share
11 Min Read
SHARE

– ભવ્ય રાવલ

મીડિયાનો સૌથી મોટો પડકાર પરિવર્તન છે.

જો પત્રકારો લોકલાગણીને ઓળખવા – સમજવામાં નિષ્ફળ જાય અને પોતાના અંગત અભિપ્રાયોને સમાચાર તરીકે ખપાવવા પ્રયાસ કરે તો પોતાની વિશ્વસનીયતા ગુમાવી દેશે. પત્રકારે ના પાડતા, સ્પષ્ટ ના પાડતા શીખવું જોઈએ. ’બસ આટલું, અહીંથી આગળ નહીં,’ એ તેમની કામગીરીનો સિદ્ધાંત હોવો જોઈએ. આવો સિદ્ધાંત રાખવાથી ટૂંકાગાળામાં તેમને કદાચ મુશ્કેલી પડી શકે, પરંતુ લાંબાગાળે તેમની વિશ્વસનીયતા વધશે. દુશ્મનોના હાથે વીરગતિ પામતા સૈનિકોને બહુ ઓછા લોકો ઓળખતા હોય છે, પરંતુ દરેકને તેના માટે માન હોય છે, તેને યાદ રાખતા હોય છે.
-વિરેન્દ્ર પંડિત

ઝૂલતા પુલ જેવી છે પત્રકારત્વની વિશ્વસનીયતા

પત્રકારત્વ હજી પણ લોકો અને તથ્યો વચ્ચેના પુલ તરીકે અડીખમ છે એમાં કોઈ સંદેહ નથી. આમ છતાં આજે એ પુલ ઝૂલતો પુલ જેવો થઈ ગયો છે, જેના પર સંતુલન જાળવવું જરૂરી છે. કારણ, પત્રકારત્વની વિશ્વસનીયતા પર ઊંડા ગોબા તો પડ્યા જ છે. એટલે જ આજે પત્રકારો માટે ‘પત્તરકાર’ અને ‘પ્રેસ્ટિટયુટ’ જેવા સસ્તા પોર્ટમેન્ટો (બે નોખા શબ્દોના અર્થ અને ઉચ્ચારનું સંયોજન કરીને રચાયેલો નવો શબ્દ) તથા ચાટુકારો ને ગોદીમીડિયા જેવાં વિશેષણો લોકમુખે ચડી ગયા છે. આ વાત જ સૂચવે છે કે આજે લોકોમાં પત્રકારત્વની છાપ કેવીક છે.
– નીલેશ રૂપાપરા

- Advertisement -

ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં પત્રકારત્વ પર કેટલાંક જૂજ પુસ્તકો લખાયા છે. જે પુસ્તકો લખાયા છે તે અભ્યાસ અને સંશોધન આધારિત છે. તેમાં મહત્તમ ઈતિહાસ અને તવારીખ જ રજૂ કરવામાં આવ્યા છે. ગુજરાતી ભાષામાં પત્રકારત્વની તત્કાલીન સ્થિતિની સમીક્ષા કરતું ક્યારેક જ કોઈક જ ભાગ્યે જ લખતું હોય છે. પત્રકારત્વના વર્તમાન પડકારો પર એક આખું પુસ્તક તૈયાર કરવાનો વિચાર તો આજ સુધી કોઈને પણ આવ્યો નહતો.

છેલ્લા કેટલાંક દસકોમાં પત્રકારત્વની દશા અને દિશા બદલાઈ છે ત્યારે એકવીસમી સદીમાં ગુજરાતી ભાષામાં પત્રકારત્વની વિશ્વસનીયતા પર ચર્ચા વિષયક પુસ્તક પ્રથમવાર બહાર પડ્યું છે. નામ છે – પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર. આ પુસ્તકનો હિન્દી ભાષામાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે. પત્રકારત્વના વિવિધ પાસાંઓને ઉજાગર કરતું આ પુસ્તક પત્રકારત્વ સાથે સંકળાયેલા સૌ કોઈએ વાંચવા-વસાવવા જેવું છે ઉપરાંત આ પુસ્તકમાં રજૂ કરવામાં આવેલી વિવિધ બાબતો વિશે ચિંતન-મનન કરવા જેવું છે એટલું જ નહીં આ પુસ્તક ગુજરાતી પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં સમાવવાલાયક છે.

પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તકનું સંપાદન અને પ્રકાશન અલકેશ પટેલે કરેલું છે. ખ્યાતનામ પત્રકારોના ક્વોટ્સ-થોટ્સ સાથે 272 પૃષ્ઠ અને 225 રૂ.નું મૂલ્ય ધરાવતું આ પુસ્તક પત્રકારત્વના એ તમામ વિદ્યાર્થીઓને – જેઓ સાચા અર્થમાં સંતુલિત પત્રકારત્વ વિશે જાણવા અને અનુસરવા માગે છે તેમને અર્પણ કરવામાં આવ્યું છે. આ પુસ્તક મીડિયા સાથે સંકળાયેલા તમામ સારા-નરસા પાસાંઓને ઉજાગર કરનાર છે, લેટેસ્ટ છે – બેસ્ટ છે. પત્રકારત્વની ખાલીખોટી વાતો જ નહીં, નક્કર ઉદાહરણો સાથે વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે. પુસ્તકના પ્રારંભે અલકેશ પટેલે લખ્યું છે કે, ’વિશ્વસનીયતા ખરીદી શકાતી નથી, મહેનત અને ધીરજથી હાંસલ કરવી પડે છે.’ તો પુસ્તકના અંતિમ પુષ્ઠ પર અલકેશ પટેલે લખ્યું છે કે, ’આ પુસ્તકમાં કોઈ એકતરફી વિચારધારાની તરફેણ કર્યા વિના પત્રકારત્વની વિશ્વસનીયતાને ક્યાં – ક્યારે – કેવી રીતે – કેટલો – કેવો ધક્કો પહોંચ્યો તેની દાખલા, દલીલો અને પુરાવા સાથે ચર્ચા કરવામાં આવી છે.’

- Advertisement -

પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તક અંગે વિશેષ પરિચય કે વ્યક્તિગત અભિપ્રાય આપવાની જગ્યાએ અહીં પુસ્તકના વિવિધ લેખક-પત્રકાર દ્વારા રજૂ કરવામાં કેટલાંક વિચારોને જ શબ્દશ: રજૂ કરવાનું પસંદ કર્યું છે. વર્ષોથી વિવિધ માધ્યમોમાં ફરજ બજાવતા ચૌદ જેટલા વરિષ્ઠ પત્રકાર-લેખકોએ ખૂબ જ ઊંડાણપૂર્વક અને અભ્યાસપૂર્વક પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તકના વિષયને ન્યાય આપ્યો છે. પુસ્તકના મૂળ વિષયનું હાર્દ પકડીને રસ-સભર, ધારદાર, સચોટ રજૂઆત કરનારા પ્રથમ સાત લેખકો-પત્રકારોના ચૂંટેલા અવતરણ આ પ્રથમ ભાગમાં પ્રસ્તુત છે, બાકીના સાત લેખક-પત્રકારોના ચૂંટેલા અવતરણ આવતા ભાગમાં.

પત્રકારત્વ વિશ્ર્વસનીયતાનો પડકાર પુસ્તકના સંપાદક અને પ્રકાશક છે અલકેશ પટેલ : પત્રકારત્વના અભ્યાસક્રમમાં સમાવવાલાયક પુસ્તક

પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તકનું સંપાદન અને પ્રકાશન અલકેશ પટેલે કરેલું છે. ખ્યાતનામ પત્રકારોના ક્વોટ્સ-થોટ્સ સાથે 272 પૃષ્ઠ અને 225 રૂ.નું મૂલ્ય ધરાવતું આ પુસ્તક પત્રકારત્વના એ તમામ વિદ્યાર્થીઓને – જેઓ સાચા અર્થમાં સંતુલિત પત્રકારત્વ વિશે જાણવા અને અનુસરવા માગે છે તેમને અર્પણ કરવામાં આવ્યું છે. આ પુસ્તક મીડિયા સાથે સંકળાયેલા તમામ સારા-નરસા પાસાંઓને ઉજાગર કરનાર છે, લેટેસ્ટ છે – બેસ્ટ છે. પત્રકારત્વની ખાલીખોટી વાતો જ નહીં, નક્કર ઉદાહરણો સાથે વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે. પુસ્તકના પ્રારંભે અલકેશ પટેલે લખ્યું છે કે, ’વિશ્વસનીયતા ખરીદી શકાતી નથી, મહેનત અને ધીરજથી હાંસલ કરવી પડે છે.’ તો પુસ્તકના અંતિમ પુષ્ઠ પર અલકેશ પટેલે લખ્યું છે કે, ’આ પુસ્તકમાં કોઈ એકતરફી વિચારધારાની તરફેણ કર્યા વિના પત્રકારત્વની વિશ્વસનીયતાને ક્યાં – ક્યારે – કેવી રીતે – કેટલો – કેવો ધક્કો પહોંચ્યો તેની દાખલા, દલીલો અને પુરાવા સાથે ચર્ચા કરવામાં આવી છે.’

પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તક અંગે વિશેષ પરિચય કે વ્યક્તિગત અભિપ્રાય આપવાની જગ્યાએ અહીં પુસ્તકના વિવિધ લેખક-પત્રકાર દ્વારા રજૂ કરવામાં કેટલાંક વિચારોને જ શબ્દશ: રજૂ કરવાનું પસંદ કર્યું છે. વર્ષોથી વિવિધ માધ્યમોમાં ફરજ બજાવતા ચૌદ જેટલા વરિષ્ઠ પત્રકાર-લેખકોએ ખૂબ જ ઊંડાણપૂર્વક અને અભ્યાસપૂર્વક પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તકના વિષયને ન્યાય આપ્યો છે. પુસ્તકના મૂળ વિષયનું હાર્દ પકડીને રસ-સભર, ધારદાર, સચોટ રજૂઆત કરનારા પ્રથમ સાત લેખકો-પત્રકારોના ચૂંટેલા અવતરણ આ પ્રથમ ભાગમાં પ્રસ્તુત છે, બાકીના સાત લેખક-પત્રકારોના ચૂંટેલા અવતરણ આવતા ભાગમાં.

વધારો : પત્રકારના આદર્શનો હું જ્યારે વિચાર કરું છું અને મારા અંત:કરણને પૂછું છું કે પત્રકારનો આરાધ્યદેવ કોણ – વર્તમાનપત્ર? જવાબ ‘ના’માં મળે છે. ‘લોકકલ્યાણ’ ઉપર પણ મન ઠરતું નથી. પત્રકારનો આરાધ્યદેવ તો સત્ય સિવાય બીજો કોઈ હોઈ શકે નહીં – થઈ શકે નહીં. સમાચારમાં અને વિચારમાં એણે નિરંતર એ જ દેવની ઉપાસના કરવી જોઈએ. આવી ઉપાસના નિર્ભયતા વિના, લોકકલ્યાણની ઉચ્ચ ભાવના વિના, રાગદ્વેષરહિત તટસ્થ દૃષ્ટિ વિના, વ્યવસાયની પ્રામાણિકતા વિના, સતત અભ્યાસ, અવલોકન, ચિંતન વિના શક્ય નથી, એટલે આરાધ્યદેવ તરીકે સત્યનું પ્રતિષ્ઠાપન અને પૂજા-ભક્તિ થતાં આપોઆપ અન્ય દેવોની આરાધના થઈ જાય છે.
– મોહનલાલ મહેતા ‘સોપાન’ 1980માં પ્રકાશિત પુસ્તક ‘સાહિત્ય અને પત્રકારત્વ’
સંપાદક: ડો. કુમારપાળ દેસાઈ, પાના નં. 89

એક તરફી સેક્યુલારિઝમની ઈકોસિસ્ટમનો છેડો મીડિયા સુધી પહોંચે છે
હવે સમય બદલાઈ રહ્યો છે. આજથી દસ વર્ષ પહેલાં અને એ અગાઉ પણ બાયર્ડ મીડિયા, કરપ્ટ મીડિયા, ગટરક્લાસ મીડિયા..નાં જુઠાણાને એક્સપોઝડ કરવા માટે આંગળીને વેઢે ગણાય એટલાં માધ્યમો જ હતાં. એમની તમામ ચાલબાજી, બદમાશી અને વિકૃતિ અનચેલેન્જડ રીતે તરત જ વાઇરલ થઈ જતી. હવે સમય બદલાયો છે. અખબારોના જુઠાણાનો સામનો કરવા માટે વાચકોના પત્રો કે ટી.વી. ચેનલોનાં સ્ટુડિયો પર ફોન કરીને નપુંસક વિરોધ નોંધાવવાને બદલે જાગૃત અને ચતુર વાચકો – દર્શકો સોશ્યલ મીડિયામાં તરત જ બીજો પક્ષ રજૂ કરે છે.
– વિક્રમ વકીલ

મીડિયાની ભૂમિકા : નરેન્દ્રથી નરેન્દ્ર – કંઈ જ બદલાયું નથી
આજની જનરેશનના લબરમૂછિયા યુવાનો કે બેબલીઓ મીડિયાજગતમાં આવી છે એને પણ ધરાર આ ડાબેરી ગીરોહમાં ભરતી કરાય અને એ પછી એમની પાસે નરેન્દ્ર મોદી હોય કે રામ મંદિર હોય, આ દેશની પરંપરા છે કે સાંસ્કૃતિક ઉત્સવો હોય, આ દેશનો ઇતિહાસ હોય કે મહાપુરુષો હોય એની વિરુદ્ધ લખવાની કે બોલવાની ફરજ પાડવામાં આવે એને લોકશાહીની પરંપરા કેવી રીતે કહેવાશે? અથવા જર્નાલિઝમ યુનિ.માં ઘૂસેલા ટુકડે ગેંગના માસ્ટરમાઈન્ડના હાથ નીચેથી નીકળેલા આ બાબલા-બેબલીઓ કઈ રીતે બંધારણ કે લોકશાહીની રક્ષા કરશે જેમને ગળથૂથીમાં જ ટુકડે ગેંગની ઘૂંટી પીવરાવી છે? આવા પ્રશ્ર્નોની ચર્ચા થવી જોઈએ, તો જ મીડિયાની સચ્ચાઈ લોકોની સામે આવી શકે અને એ લોકતંત્રના હિતમાં પણ છે.
– કિશોર મકવાણા

પત્રકારત્વ : અત્ર, તત્ર, સર્વત્ર
ગુજરાતી પત્રકારત્વની પાયાની નબળાઈ તેની ટોચથી શરૂ થાય છે એટલે પત્રકારત્વની શાન – ભાન વિનાનાં તત્ત્વોનો અખબારો પર અંકુશ બીજાં ઘણાં દૂષણો તરફ ધકેલે છે. તેની અસર મુખ્યત્વે સામગ્રી પર થતી રહે છે. ઊંડાણથી માહિતી મેળવીને તેના આંતરપ્રવાહોને બરાબર ચકાસ્યા સિવાય કંઈક વિસ્ફોટક અને સંશોધનાત્મક લખી મારવું એ ઉદિત પત્રકારોની પણ ફેશન થઈ પડી છે. ગુજરાતી પત્રકારત્વના શિક્ષણ અને સીધા પત્રકારત્વ સાથે જોડાયેલા રહેવાથી મને દુ:ખપૂર્વકનો અંદાજ છે કે બે સાચાં વાક્ય પણ ન લખનારા સંવાદદાતાઓ કોઈક મહત્ત્વની ઘટના વિશે તો તથ્યાત્મક રિપોર્ટ કઈ રીતે આપી શકે? તેઓ પત્રકાર પરિષદોમાં જાય છે ને નેતાઓના મોંએથી નીકળતા શબ્દ કાગળ પર ઉતારવાનો પુરુષાર્થ કરી આવે છે. થોડાક સવાલો પૂછવામાં આવે તો તે પણ એટલા છીછરા હોય છે કે નેતાને કાં તો હસવું આવે યા રડવું. – ડો. વિષ્ણુ પંડ્યા

વિશ્ર્વસનીયતાની બજારમાં કોણ જેન્યુઈન માલ રાખે છે અને કઈ દુકાનોમાં ચાઈનીઝ આઈટમો મળે છે
તટસ્થતા ન્યૂઝમાં હોય, વ્યૂઝમાં નહીં.
પત્રકારત્વમાં બે જડબેસલાક કમ્પાર્ટમેન્સ છે: ન્યૂઝ અને વ્યૂઝ.
પક્ષકારત્વનું એક સુવર્ણસૂત્ર છે: ફેટ્સ આર સેક્રેડ ઍન્ડ કમેન્ટ ઈઝ ફ્રી. બ્રિટનના ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ના તંત્રી (અને પછીથી માલિક બનેલા) ચાલર્સ પ્રેસ્ટવિચ સ્કોટના ગઈ સદીથી જગમશહૂર થયેલા આ વાક્યમાં ફ્રીનો મતલબ મફત નહી પણ મુક્ત.
નિષ્પક્ષતા, તટસ્થતા, નિરપેક્ષતા આ બધું ન્યૂઝ આપતી વખતે અનિવાર્ય છે. એમાં એક-અડધા ટકા જેટલી પણ ગોબાચારી ન ચાલે. – સૌરભ શાહ

દર્પણ એડિટીંગ નથી કરતું, તેમાં લેન્સ અને ફિલ્ટર્સ પણ નથી હોતાં
જર્નાલિસ્ટ એક્ટિવિસ્ટ થઈ જાય ત્યારે જર્નાલિઝમ રહેતું નથી કારણ કે તેનું સ્થાન એક્ટિવિઝમ લઈ લે છે. જર્નાલિસ્ટ ઘણી વખત પોલીસ કે જજ પણ બની જાય છે. વિશેષ કરીને ટીવી પર્દાના પત્રકારો વડીલ પત્રકાર, આમ તો કોઈએ નામ પણ નહી સાંભળ્યું હોય તેવું સાવ નાનકડું છાપું ચલાવતા પણ તેમના સત્સંગે મને યુવાન વયે પત્રકારત્વને લગતી કેટલીક ઊંડી સ્પષ્ટતાઓ મળતી. એક વખત તેમણે મને ઉપયોગી સ્પષ્ટતા કરી આપી હતી કે પત્રકાર એ જજ નથી, પત્રકાર એ પોલીસ નથી, પત્રકાર એ માત્ર પત્રકાર છે.
– જપન પાઠક

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘કહો ઔર કાન પકડ લો’ વાલી નઝમેં
Next Article રાજકોટમાં આજે વિકાસકાર્યોની છુટા હાથે કરાઈ લ્હાણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?