By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    2 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    2 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    7 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    19 hours ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    19 hours ago
    હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો
    19 hours ago
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    19 hours ago
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    19 hours ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    5 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    6 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    5 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પત્રકારત્વના એ તમામ વિદ્યાર્થીઓ-જેઓ સાચા અર્થમાં સંતુલિત પત્રકારત્વ વિશે જાણવા અને અનુસરવા માગે છે તેમના માટે ઉપયોગી પુસ્તક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > પત્રકારત્વના એ તમામ વિદ્યાર્થીઓ-જેઓ સાચા અર્થમાં સંતુલિત પત્રકારત્વ વિશે જાણવા અને અનુસરવા માગે છે તેમના માટે ઉપયોગી પુસ્તક
AuthorBhavy Raval

પત્રકારત્વના એ તમામ વિદ્યાર્થીઓ-જેઓ સાચા અર્થમાં સંતુલિત પત્રકારત્વ વિશે જાણવા અને અનુસરવા માગે છે તેમના માટે ઉપયોગી પુસ્તક

Khaskhabar Editor
Last updated: 2022/02/01 at 2:17 PM
Khaskhabar Editor 4 years ago
Share
11 Min Read
SHARE

– ભવ્ય રાવલ

મીડિયાનો સૌથી મોટો પડકાર પરિવર્તન છે.

જો પત્રકારો લોકલાગણીને ઓળખવા – સમજવામાં નિષ્ફળ જાય અને પોતાના અંગત અભિપ્રાયોને સમાચાર તરીકે ખપાવવા પ્રયાસ કરે તો પોતાની વિશ્વસનીયતા ગુમાવી દેશે. પત્રકારે ના પાડતા, સ્પષ્ટ ના પાડતા શીખવું જોઈએ. ’બસ આટલું, અહીંથી આગળ નહીં,’ એ તેમની કામગીરીનો સિદ્ધાંત હોવો જોઈએ. આવો સિદ્ધાંત રાખવાથી ટૂંકાગાળામાં તેમને કદાચ મુશ્કેલી પડી શકે, પરંતુ લાંબાગાળે તેમની વિશ્વસનીયતા વધશે. દુશ્મનોના હાથે વીરગતિ પામતા સૈનિકોને બહુ ઓછા લોકો ઓળખતા હોય છે, પરંતુ દરેકને તેના માટે માન હોય છે, તેને યાદ રાખતા હોય છે.
-વિરેન્દ્ર પંડિત

ઝૂલતા પુલ જેવી છે પત્રકારત્વની વિશ્વસનીયતા

પત્રકારત્વ હજી પણ લોકો અને તથ્યો વચ્ચેના પુલ તરીકે અડીખમ છે એમાં કોઈ સંદેહ નથી. આમ છતાં આજે એ પુલ ઝૂલતો પુલ જેવો થઈ ગયો છે, જેના પર સંતુલન જાળવવું જરૂરી છે. કારણ, પત્રકારત્વની વિશ્વસનીયતા પર ઊંડા ગોબા તો પડ્યા જ છે. એટલે જ આજે પત્રકારો માટે ‘પત્તરકાર’ અને ‘પ્રેસ્ટિટયુટ’ જેવા સસ્તા પોર્ટમેન્ટો (બે નોખા શબ્દોના અર્થ અને ઉચ્ચારનું સંયોજન કરીને રચાયેલો નવો શબ્દ) તથા ચાટુકારો ને ગોદીમીડિયા જેવાં વિશેષણો લોકમુખે ચડી ગયા છે. આ વાત જ સૂચવે છે કે આજે લોકોમાં પત્રકારત્વની છાપ કેવીક છે.
– નીલેશ રૂપાપરા

- Advertisement -

ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં પત્રકારત્વ પર કેટલાંક જૂજ પુસ્તકો લખાયા છે. જે પુસ્તકો લખાયા છે તે અભ્યાસ અને સંશોધન આધારિત છે. તેમાં મહત્તમ ઈતિહાસ અને તવારીખ જ રજૂ કરવામાં આવ્યા છે. ગુજરાતી ભાષામાં પત્રકારત્વની તત્કાલીન સ્થિતિની સમીક્ષા કરતું ક્યારેક જ કોઈક જ ભાગ્યે જ લખતું હોય છે. પત્રકારત્વના વર્તમાન પડકારો પર એક આખું પુસ્તક તૈયાર કરવાનો વિચાર તો આજ સુધી કોઈને પણ આવ્યો નહતો.

છેલ્લા કેટલાંક દસકોમાં પત્રકારત્વની દશા અને દિશા બદલાઈ છે ત્યારે એકવીસમી સદીમાં ગુજરાતી ભાષામાં પત્રકારત્વની વિશ્વસનીયતા પર ચર્ચા વિષયક પુસ્તક પ્રથમવાર બહાર પડ્યું છે. નામ છે – પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર. આ પુસ્તકનો હિન્દી ભાષામાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે. પત્રકારત્વના વિવિધ પાસાંઓને ઉજાગર કરતું આ પુસ્તક પત્રકારત્વ સાથે સંકળાયેલા સૌ કોઈએ વાંચવા-વસાવવા જેવું છે ઉપરાંત આ પુસ્તકમાં રજૂ કરવામાં આવેલી વિવિધ બાબતો વિશે ચિંતન-મનન કરવા જેવું છે એટલું જ નહીં આ પુસ્તક ગુજરાતી પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં સમાવવાલાયક છે.

પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તકનું સંપાદન અને પ્રકાશન અલકેશ પટેલે કરેલું છે. ખ્યાતનામ પત્રકારોના ક્વોટ્સ-થોટ્સ સાથે 272 પૃષ્ઠ અને 225 રૂ.નું મૂલ્ય ધરાવતું આ પુસ્તક પત્રકારત્વના એ તમામ વિદ્યાર્થીઓને – જેઓ સાચા અર્થમાં સંતુલિત પત્રકારત્વ વિશે જાણવા અને અનુસરવા માગે છે તેમને અર્પણ કરવામાં આવ્યું છે. આ પુસ્તક મીડિયા સાથે સંકળાયેલા તમામ સારા-નરસા પાસાંઓને ઉજાગર કરનાર છે, લેટેસ્ટ છે – બેસ્ટ છે. પત્રકારત્વની ખાલીખોટી વાતો જ નહીં, નક્કર ઉદાહરણો સાથે વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે. પુસ્તકના પ્રારંભે અલકેશ પટેલે લખ્યું છે કે, ’વિશ્વસનીયતા ખરીદી શકાતી નથી, મહેનત અને ધીરજથી હાંસલ કરવી પડે છે.’ તો પુસ્તકના અંતિમ પુષ્ઠ પર અલકેશ પટેલે લખ્યું છે કે, ’આ પુસ્તકમાં કોઈ એકતરફી વિચારધારાની તરફેણ કર્યા વિના પત્રકારત્વની વિશ્વસનીયતાને ક્યાં – ક્યારે – કેવી રીતે – કેટલો – કેવો ધક્કો પહોંચ્યો તેની દાખલા, દલીલો અને પુરાવા સાથે ચર્ચા કરવામાં આવી છે.’

- Advertisement -

પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તક અંગે વિશેષ પરિચય કે વ્યક્તિગત અભિપ્રાય આપવાની જગ્યાએ અહીં પુસ્તકના વિવિધ લેખક-પત્રકાર દ્વારા રજૂ કરવામાં કેટલાંક વિચારોને જ શબ્દશ: રજૂ કરવાનું પસંદ કર્યું છે. વર્ષોથી વિવિધ માધ્યમોમાં ફરજ બજાવતા ચૌદ જેટલા વરિષ્ઠ પત્રકાર-લેખકોએ ખૂબ જ ઊંડાણપૂર્વક અને અભ્યાસપૂર્વક પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તકના વિષયને ન્યાય આપ્યો છે. પુસ્તકના મૂળ વિષયનું હાર્દ પકડીને રસ-સભર, ધારદાર, સચોટ રજૂઆત કરનારા પ્રથમ સાત લેખકો-પત્રકારોના ચૂંટેલા અવતરણ આ પ્રથમ ભાગમાં પ્રસ્તુત છે, બાકીના સાત લેખક-પત્રકારોના ચૂંટેલા અવતરણ આવતા ભાગમાં.

પત્રકારત્વ વિશ્ર્વસનીયતાનો પડકાર પુસ્તકના સંપાદક અને પ્રકાશક છે અલકેશ પટેલ : પત્રકારત્વના અભ્યાસક્રમમાં સમાવવાલાયક પુસ્તક

પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તકનું સંપાદન અને પ્રકાશન અલકેશ પટેલે કરેલું છે. ખ્યાતનામ પત્રકારોના ક્વોટ્સ-થોટ્સ સાથે 272 પૃષ્ઠ અને 225 રૂ.નું મૂલ્ય ધરાવતું આ પુસ્તક પત્રકારત્વના એ તમામ વિદ્યાર્થીઓને – જેઓ સાચા અર્થમાં સંતુલિત પત્રકારત્વ વિશે જાણવા અને અનુસરવા માગે છે તેમને અર્પણ કરવામાં આવ્યું છે. આ પુસ્તક મીડિયા સાથે સંકળાયેલા તમામ સારા-નરસા પાસાંઓને ઉજાગર કરનાર છે, લેટેસ્ટ છે – બેસ્ટ છે. પત્રકારત્વની ખાલીખોટી વાતો જ નહીં, નક્કર ઉદાહરણો સાથે વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે. પુસ્તકના પ્રારંભે અલકેશ પટેલે લખ્યું છે કે, ’વિશ્વસનીયતા ખરીદી શકાતી નથી, મહેનત અને ધીરજથી હાંસલ કરવી પડે છે.’ તો પુસ્તકના અંતિમ પુષ્ઠ પર અલકેશ પટેલે લખ્યું છે કે, ’આ પુસ્તકમાં કોઈ એકતરફી વિચારધારાની તરફેણ કર્યા વિના પત્રકારત્વની વિશ્વસનીયતાને ક્યાં – ક્યારે – કેવી રીતે – કેટલો – કેવો ધક્કો પહોંચ્યો તેની દાખલા, દલીલો અને પુરાવા સાથે ચર્ચા કરવામાં આવી છે.’

પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તક અંગે વિશેષ પરિચય કે વ્યક્તિગત અભિપ્રાય આપવાની જગ્યાએ અહીં પુસ્તકના વિવિધ લેખક-પત્રકાર દ્વારા રજૂ કરવામાં કેટલાંક વિચારોને જ શબ્દશ: રજૂ કરવાનું પસંદ કર્યું છે. વર્ષોથી વિવિધ માધ્યમોમાં ફરજ બજાવતા ચૌદ જેટલા વરિષ્ઠ પત્રકાર-લેખકોએ ખૂબ જ ઊંડાણપૂર્વક અને અભ્યાસપૂર્વક પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તકના વિષયને ન્યાય આપ્યો છે. પુસ્તકના મૂળ વિષયનું હાર્દ પકડીને રસ-સભર, ધારદાર, સચોટ રજૂઆત કરનારા પ્રથમ સાત લેખકો-પત્રકારોના ચૂંટેલા અવતરણ આ પ્રથમ ભાગમાં પ્રસ્તુત છે, બાકીના સાત લેખક-પત્રકારોના ચૂંટેલા અવતરણ આવતા ભાગમાં.

વધારો : પત્રકારના આદર્શનો હું જ્યારે વિચાર કરું છું અને મારા અંત:કરણને પૂછું છું કે પત્રકારનો આરાધ્યદેવ કોણ – વર્તમાનપત્ર? જવાબ ‘ના’માં મળે છે. ‘લોકકલ્યાણ’ ઉપર પણ મન ઠરતું નથી. પત્રકારનો આરાધ્યદેવ તો સત્ય સિવાય બીજો કોઈ હોઈ શકે નહીં – થઈ શકે નહીં. સમાચારમાં અને વિચારમાં એણે નિરંતર એ જ દેવની ઉપાસના કરવી જોઈએ. આવી ઉપાસના નિર્ભયતા વિના, લોકકલ્યાણની ઉચ્ચ ભાવના વિના, રાગદ્વેષરહિત તટસ્થ દૃષ્ટિ વિના, વ્યવસાયની પ્રામાણિકતા વિના, સતત અભ્યાસ, અવલોકન, ચિંતન વિના શક્ય નથી, એટલે આરાધ્યદેવ તરીકે સત્યનું પ્રતિષ્ઠાપન અને પૂજા-ભક્તિ થતાં આપોઆપ અન્ય દેવોની આરાધના થઈ જાય છે.
– મોહનલાલ મહેતા ‘સોપાન’ 1980માં પ્રકાશિત પુસ્તક ‘સાહિત્ય અને પત્રકારત્વ’
સંપાદક: ડો. કુમારપાળ દેસાઈ, પાના નં. 89

એક તરફી સેક્યુલારિઝમની ઈકોસિસ્ટમનો છેડો મીડિયા સુધી પહોંચે છે
હવે સમય બદલાઈ રહ્યો છે. આજથી દસ વર્ષ પહેલાં અને એ અગાઉ પણ બાયર્ડ મીડિયા, કરપ્ટ મીડિયા, ગટરક્લાસ મીડિયા..નાં જુઠાણાને એક્સપોઝડ કરવા માટે આંગળીને વેઢે ગણાય એટલાં માધ્યમો જ હતાં. એમની તમામ ચાલબાજી, બદમાશી અને વિકૃતિ અનચેલેન્જડ રીતે તરત જ વાઇરલ થઈ જતી. હવે સમય બદલાયો છે. અખબારોના જુઠાણાનો સામનો કરવા માટે વાચકોના પત્રો કે ટી.વી. ચેનલોનાં સ્ટુડિયો પર ફોન કરીને નપુંસક વિરોધ નોંધાવવાને બદલે જાગૃત અને ચતુર વાચકો – દર્શકો સોશ્યલ મીડિયામાં તરત જ બીજો પક્ષ રજૂ કરે છે.
– વિક્રમ વકીલ

મીડિયાની ભૂમિકા : નરેન્દ્રથી નરેન્દ્ર – કંઈ જ બદલાયું નથી
આજની જનરેશનના લબરમૂછિયા યુવાનો કે બેબલીઓ મીડિયાજગતમાં આવી છે એને પણ ધરાર આ ડાબેરી ગીરોહમાં ભરતી કરાય અને એ પછી એમની પાસે નરેન્દ્ર મોદી હોય કે રામ મંદિર હોય, આ દેશની પરંપરા છે કે સાંસ્કૃતિક ઉત્સવો હોય, આ દેશનો ઇતિહાસ હોય કે મહાપુરુષો હોય એની વિરુદ્ધ લખવાની કે બોલવાની ફરજ પાડવામાં આવે એને લોકશાહીની પરંપરા કેવી રીતે કહેવાશે? અથવા જર્નાલિઝમ યુનિ.માં ઘૂસેલા ટુકડે ગેંગના માસ્ટરમાઈન્ડના હાથ નીચેથી નીકળેલા આ બાબલા-બેબલીઓ કઈ રીતે બંધારણ કે લોકશાહીની રક્ષા કરશે જેમને ગળથૂથીમાં જ ટુકડે ગેંગની ઘૂંટી પીવરાવી છે? આવા પ્રશ્ર્નોની ચર્ચા થવી જોઈએ, તો જ મીડિયાની સચ્ચાઈ લોકોની સામે આવી શકે અને એ લોકતંત્રના હિતમાં પણ છે.
– કિશોર મકવાણા

પત્રકારત્વ : અત્ર, તત્ર, સર્વત્ર
ગુજરાતી પત્રકારત્વની પાયાની નબળાઈ તેની ટોચથી શરૂ થાય છે એટલે પત્રકારત્વની શાન – ભાન વિનાનાં તત્ત્વોનો અખબારો પર અંકુશ બીજાં ઘણાં દૂષણો તરફ ધકેલે છે. તેની અસર મુખ્યત્વે સામગ્રી પર થતી રહે છે. ઊંડાણથી માહિતી મેળવીને તેના આંતરપ્રવાહોને બરાબર ચકાસ્યા સિવાય કંઈક વિસ્ફોટક અને સંશોધનાત્મક લખી મારવું એ ઉદિત પત્રકારોની પણ ફેશન થઈ પડી છે. ગુજરાતી પત્રકારત્વના શિક્ષણ અને સીધા પત્રકારત્વ સાથે જોડાયેલા રહેવાથી મને દુ:ખપૂર્વકનો અંદાજ છે કે બે સાચાં વાક્ય પણ ન લખનારા સંવાદદાતાઓ કોઈક મહત્ત્વની ઘટના વિશે તો તથ્યાત્મક રિપોર્ટ કઈ રીતે આપી શકે? તેઓ પત્રકાર પરિષદોમાં જાય છે ને નેતાઓના મોંએથી નીકળતા શબ્દ કાગળ પર ઉતારવાનો પુરુષાર્થ કરી આવે છે. થોડાક સવાલો પૂછવામાં આવે તો તે પણ એટલા છીછરા હોય છે કે નેતાને કાં તો હસવું આવે યા રડવું. – ડો. વિષ્ણુ પંડ્યા

વિશ્ર્વસનીયતાની બજારમાં કોણ જેન્યુઈન માલ રાખે છે અને કઈ દુકાનોમાં ચાઈનીઝ આઈટમો મળે છે
તટસ્થતા ન્યૂઝમાં હોય, વ્યૂઝમાં નહીં.
પત્રકારત્વમાં બે જડબેસલાક કમ્પાર્ટમેન્સ છે: ન્યૂઝ અને વ્યૂઝ.
પક્ષકારત્વનું એક સુવર્ણસૂત્ર છે: ફેટ્સ આર સેક્રેડ ઍન્ડ કમેન્ટ ઈઝ ફ્રી. બ્રિટનના ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ના તંત્રી (અને પછીથી માલિક બનેલા) ચાલર્સ પ્રેસ્ટવિચ સ્કોટના ગઈ સદીથી જગમશહૂર થયેલા આ વાક્યમાં ફ્રીનો મતલબ મફત નહી પણ મુક્ત.
નિષ્પક્ષતા, તટસ્થતા, નિરપેક્ષતા આ બધું ન્યૂઝ આપતી વખતે અનિવાર્ય છે. એમાં એક-અડધા ટકા જેટલી પણ ગોબાચારી ન ચાલે. – સૌરભ શાહ

દર્પણ એડિટીંગ નથી કરતું, તેમાં લેન્સ અને ફિલ્ટર્સ પણ નથી હોતાં
જર્નાલિસ્ટ એક્ટિવિસ્ટ થઈ જાય ત્યારે જર્નાલિઝમ રહેતું નથી કારણ કે તેનું સ્થાન એક્ટિવિઝમ લઈ લે છે. જર્નાલિસ્ટ ઘણી વખત પોલીસ કે જજ પણ બની જાય છે. વિશેષ કરીને ટીવી પર્દાના પત્રકારો વડીલ પત્રકાર, આમ તો કોઈએ નામ પણ નહી સાંભળ્યું હોય તેવું સાવ નાનકડું છાપું ચલાવતા પણ તેમના સત્સંગે મને યુવાન વયે પત્રકારત્વને લગતી કેટલીક ઊંડી સ્પષ્ટતાઓ મળતી. એક વખત તેમણે મને ઉપયોગી સ્પષ્ટતા કરી આપી હતી કે પત્રકાર એ જજ નથી, પત્રકાર એ પોલીસ નથી, પત્રકાર એ માત્ર પત્રકાર છે.
– જપન પાઠક

You Might Also Like

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે કાનૂની જોગવાઈઓ

રતિ : બોસના દબાણથી ચિડચિડિયા બનેલા પતિનો ગુસ્સો પત્ની અને સંતાન પર ઉતરતાં દાંપત્યમાં વધ્યો વિવાદ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘કહો ઔર કાન પકડ લો’ વાલી નઝમેં
Next Article રાજકોટમાં આજે વિકાસકાર્યોની છુટા હાથે કરાઈ લ્હાણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !
અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો
પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો
રાજકોટ RTO કચેરી રામભરોસે ? સમયપાલનનો અભાવ, અરજદારો પરેશાન
સ્મિતની સારવાર માટે રોજ 1 લાખથી વધુનો ખર્ચ : પરિવાર અને મિત્રોની તમામ સમાજને સહાયની અપીલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
AuthorBhavy Raval

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?