-પૃથ્વીની ફરવાની ધરીના ઝુકાવને કારણે આ ખગોળીય ઘટના બને છે
કહેવાય છે કે પડછાયો માણસને હંમેશા સાથ દેતો હોય છે પણ વર્ષમાં એક એવો દિવસ આવે છે કે જયારે પડછાયો પણ ગાયબ થઈ જાય છે. જીહા, અદભુત ખગોળીય ઘટનાને કારણે આજે બપોરે કેટલીક પળો માટે આપને સૂર્ય નીચે આપનો પડછાયો નહિં દેખાય. આ સ્થિતિ પૃથ્વીની ફરવાની ધરીના ઝુકાવને બને છે.
- Advertisement -
જોકે આ ખગોળીય ઘટના ઉતર ભારતમાં નજરે નહીં પડે પણ દક્ષિણ ભારતમાં અનેક રાજયોમાં આ સ્થિતિ જોવા મળશે. ખગોળ વિજ્ઞાનની ભાષામાં તેને શુન્ય પડછાયા દિવસ કહેવામાં આવે છે. નૈનિતાલ સ્થિત આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન શોધ સંસ્થાનાં પબ્લિક આઉટસીસ કાર્યક્રમ પ્રઅભારી ડો.વિરેન્દ્ર યાદવ કહે છે. વર્ષમાં બે વાર એવી ઘટના આવે છે જયારે પડછાયો નથી દેખાતો. જોકે આવુ ત્યારે બને જયારે આપ કર્ક રેખા અને મકર રેખાની વચ્ચે કયાંક રહેતા હો. આની વધુ અસર હૈદરાબાદમાં જોવા મળશે.