By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    24 hours ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    2 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 days ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    3 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    4 hours ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    24 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    1 day ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    1 day ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 day ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    2 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    3 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    30 minutes ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    24 hours ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 hours ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    3 hours ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 day ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    3 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: “ધ ઇમરજન્સી” પુસ્તક માટે ગુજરાત સૌરભ શાહનું ઋણી રહેશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > “ધ ઇમરજન્સી” પુસ્તક માટે ગુજરાત સૌરભ શાહનું ઋણી રહેશે
Author

“ધ ઇમરજન્સી” પુસ્તક માટે ગુજરાત સૌરભ શાહનું ઋણી રહેશે

Khaskhabar Editor
Last updated: 2023/08/12 at 6:10 PM
Khaskhabar Editor 3 years ago
Share
13 Min Read
SHARE

‘ધ ઈમરજન્સી’ ઈન્ડિયન એક્સપ્રેસના પત્રકાર અને લેખિકા કૂમી કપુર દ્વારા જાતે અનુભવેલી અને આંખે દેખેલી ઘટનાઓનો ચિતાર આપતું અંગ્રેજીમાં લખાયેલું 400 પાનાનું દળદાર પુસ્તક છે. સૌરભ શાહે આનો અત્યંત રસપ્રદ ગુજરાતી અનુવાદ ખૂબ જહેમતથી કર્યો છે

જર્મન ફિલોસોફર કાર્લ માર્કસે કહેલું કે ‘ઈતિહાસ ખુદને પુનરાવર્તિત કરે છે પ્રથમ ત્રાસરૂપે અને ફરી હાસ્યાસ્પદ બનીને…’ પરંતુ કમનસીબ ભારતીય પ્રજા પર ઈતિહાસ દરેક વાર ત્રાસદાયી બની તૂટ્યે રાખે છે તો પણ ટૂંકી યાદદાસ્તનો ભોગ બનેલી આ પ્રજાને સમયાંતરે નવા-નવા ‘રીંગ-માસ્ટર્સ’ મળ્યે રાખે છે, જેના ઈશારે ફરી અભિભૂત થઈ નાચ્યે રાખે છે. આતતાયીઓના, અત્યાચારીઓના કરતૂતો બે-પાંચ લીટીનો ઈતિહાસ બની ચોપડીઓમાં ધરબાઈ જાય છે. ઘા રૂઝાતા જાય છે તો ક્યાંક સમયની સપાટી નીચે દબાયેલો અન્યાય, લાચારી કે પીડારૂપી લાવા વલોવાતો રહે જે તક મળ્યે ડોકિયા કરી પ્રજાને જગાડવાનો પ્રયાસ કરે કે ‘મુજ વીતી તુજ વીતશે…’ બસ આવો જ એક પ્રયત્ન લાગ્યું આ પુસ્તક ‘ધ ઈમરજન્સી ‘ધ ઈમરજન્સી’ ઈન્ડિયન એક્સપ્રેસના પત્રકાર અને લેખિકા કૂમી કપુર દ્વારા જાતે અનુભવેલી અને આંખે દેખેલી ઘટનાઓનો ચિતાર આપતું અંગ્રેજીમાં લખાયેલ 400 પાનાનું દળદાર પુસ્તક છે. શ્રી સૌરભ શાહે આનો અત્યંત રસપ્રદ ગુજરાતી અનુવાદ ખૂબ જહેમતથી કરેલ છે, જે દરેક ગુજરાતી પર શાહના ઋણરૂપે છે જેને દરેક સમજદાર ગુજરાતીએ વાંચીને ચૂકવવાનું છે જેથી અનેક નામી-અનામી શહીદોના બલિદાન બાદ મળેલ લોકતંત્રને કલંક લગાડનારી હરકતો કરનાર, દેશને હડપવાનો મનસૂબો રાખનારી તાકાતોને નવી પેઢી ઓળખી કાઢે.

- Advertisement -

દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ અને સૌથી મોટું લોકતંત્ર હોવાનું માન મળ્યું છે, તે દેશમાં પોતાની સત્તા બચાવવા એક જ વ્યક્તિ આંતરિક વિખવાદના નામે કટોકટી લાદે તેના મૂળરૂપ બનાવો અને ત્યારબાદના અત્યાચારોની સાલવાર યાદી પુસ્તકની શરૂઆતે આપેલ છે. ઈમરજન્સીની તરફેણ કે વિરૂદ્ધમાં થોડું છુટુંછવાયું વાંચવાનું થયેલું જેમાં એલ. કે. અડવાણીએ ઈન્દિરા ગાંધીને કટોકટીનો વિચાર ઈરવીંગ વોલેસના પુસ્તક ‘આર-ડોક્યુમેન્ટ’ને વાંચ્યા બાદ આવેલો તેવો ઉલ્લેખ યાદ આવે છે પરંતુ આટલી ઊંડાણપૂર્વકની માહિતી તો આ પુસ્તક દ્વારા જ મળી. બ્રિટિશ શાસનમાં વિના વકીલ, વિના દલીલ અને વિના અપીલનો રોલેટ એકટ જે ભારતીયોના મૂળભૂત હક્કોને છીનવી લેનાર હોય ગાંધીજીએ તેને ‘કાળો કાયદો’ કહી નકારી કાઢેલ, એ જ ભારતમાં બીજા ગાંધીએ 19-19 મહીના બંધારણે આપેલ મૂળભૂત હક્કો છીનવી લીધા. 25 જૂન 1975થી 27 માર્ચ 1977 સુધી એક કુટુંબે દેશના તમામ
કુટુંબને બાનમાં લીધા અને તેના અત્યાચારોની

ઈમરજન્સીનો વિરોધ કરનારાંઓના સગાં-સંબંધીઓ, મિત્રોને પણ હદબહાર હેરાન કરાતાં આવા લોકો બધી બાજુથી એકલા પડી ગયા

આર્થિક રીતે નોકરી-ધંધો ગુમાવી બેઠાં તે તથા આની વિરોધ અને તરફેણમાં બનેલા બનાવોનું વર્ણન રોચક છે

- Advertisement -

સજા ભારતની એકપણ કોર્ટ ન આપી શકી. તેના કાળા કામોને ન વર્તમાન પત્રો ચીતરી શક્યા, ન રેડિયો વર્ણવી શક્યો. જાણે એક આસુરી શક્તિએ કાળને કેવો બાંધી રાખ્યો તે ભયાનકતા પુસ્તકના પાને-પાને અનુભવાઈ છે.

1971ની ચૂંટણીમાં શ્રીમતી ગાંધી સરકારી નાણાં અને માણાનો દુરુપયોગ કરી જીતેલા, એ આક્ષેપો પૂરવાર થતાં 1975માં અલાહાબાદ કોર્ટે તેમનું સંસદસભ્યપદ રદ થયાનો ચૂકાદો આપ્યો તે તો બારૂદ પર જામગરી ચાંપવાનું માત્ર કારણ હતું, મૂળમાં કોંગ્રેસના શાસનમાં વ્યાપેલ ભ્રષ્ટાચાર, મોંઘવારી, સગાવાદ વિરૂદ્ધ આંદોલન ચલાવનાર જયપ્રકાશ નારાયણ જેવા નેતા નાના-મોટા પક્ષ જે કોંગ્રેસ અને શ્રીમતી ગાંધી અને તેના અવિચારી પુત્રના પગલાંઓ વિરૂદ્ધ લડતાં, જેને સાથ આપનાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ જેવા અખબારના જાંબાઝ માલિક રામનાથ ગોએન્કા, જનસંઘના અનેક કાર્યકર્તાઓ વગેરેનો શિકાર કરવા શ્રીમતી ગાંધી આણી ટોળકીએ અગાઉથી જે પ્લાનીંગ કરી રાખેલ તે હતું. આ સમગ્ર ષડયંત્રના પાત્રો અને ઘટનાઓનું દિલધડક વર્ણન પુસ્તકને રોમાંચક બનાવે છે. ‘ઈન્દિરા ઈઝ ઈન્ડિયા’ના નારાના શરણે જનારા તરી ગયા અને વિરોધ કરનારાઓથી દેશની જેલો ઉભરાઈ ગઈ છતાં પ્રજાને આ બધું દેશના હિતમાં થઈ રહ્યું છે-ની ખાતરી આપવામાં પણ આ ધુતારાઓ સફળ રહ્યાં, જાણે ફુંકી-ફુંકીને કરડનારા મૂષકો માનવદેહે અવતરેલાં!! શ્રીમતી ગાંધીના રબ્બર સ્ટેમ્પસમા રાષ્ટ્રપતિજી ફખરૂદ્દીન અલીઅહમદ પાસે ચાર લીટીના આદેશ પર કરાવાયેલી સહી અને મા-દીકરો ને એના સાથીદારો બેલગામ બની કાળોકેર વર્તાવા લાગ્યા.

બધું કાયદાકીય દેખાડવા ‘મિસા’ એક્ટ હેઠળ તમામ વિરોધીઓની ધરપકડો કરાઈ. દરેક ધરપકડની અને તેના જેલવાસની સ્ટોરી અલગ, રાજકીય ધરપકડો ઉપરાંત નાના-મોટા ગુંડાઓ અને સામાન્ય પ્રજામાંથી પણ વાંકગુનો દર્શાવ્યા વિના સેંકડોને ઉપાડી લઈ પ્રજામાં જબરદસ્ત ભય ફેલાવી દીધો. જેલોની ક્ષમતા કરતાં ચાર-પાંચગણા કેદીઓ ભરાતાં સર્જાયેલી અવ્યવસ્થા, શારીરિક અને માનસિક રીતે તૂટી જતાં પાત્રો, રાજમાતા ગાયત્રીદેવી અને રાજમાતા વિજ્યારાજે સિંધિયાનો કષ્ટદાયક જેલવાસ, ધરપકડથી બચવા ભાગનારા ફરી પકડાતા વર્તાવાતો કહેર… આ બધું લોખંડી દિવાલમાં અકબંધ રખાતું હોવાછતાં અને અખબારો પર કડક સેન્સરશિપ હોવા છતાં ‘સ્ટેટસમેન’ જેવા અખબારોમાં બીટવીન ધ લાઈન્સ લખાતું રહેતું. વિદેશી પત્રકારોને પણ ન બક્ષાયાં. બાંહેધરીપત્રક પર સહી ન કરનારાને હાંકી કઢાયા જેમાં બીબીસીનો પણ સમાવેશ હતો. ત્યારપછી બીબીસીની વિશ્ર્વસનીયતા 100 ટકા ગેરેન્ટેડ બની ગઈ. તે સમયના સંજય ગાંધીના પરાક્રમોના અને અન્ય બ્લેકઆઉટ કરાયેલા ન્યુઝ અંગે પુસ્તકમાં વાંચવા મળશે.

ઈમરજન્સીનો વિરોધ કરનારાંઓના સગાં-સંબંધીઓ, મિત્રોને પણ હદબહાર હેરાન કરાતાં આવા લોકો બધી બાજુથી એકલા પડી ગયા. આર્થિક રીતે નોકરી-ધંધો ગુમાવી બેઠાં તે તથા આની વિરોધ અને તરફેણમાં બનેલા બનાવોનું વર્ણન રોચક છે. જેમકે ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં છપાયેલી લોકશાહીની મરણનોંધ, રાષ્ટ્રપતિજીએ ઉતાવળે કરેલી સહીનું કાર્ટુન, મા-દીકરાની સ્તુતિ ગાતા સમાચારપત્રો અને ઓલ ઈન્ડિયા રેડિયોની વાતો, સરકારી કાર્યક્રમોમાં ગાવાની ના પાડનાર મનમોજી પણ મહાન એવા ગાયક કિશોરકુમારની હેરાનગતિ ને શરણાગતિ, લેખિકાના બનેવી, જનસંઘના સંસદસભ્ય અને ઈકોનોમિસ્ટ એવા સુબ્રહ્મણ્યમ સ્વામીએ દેશ-વિદેશમાં સરકારના કારનામાઓના કરેલા પર્દાફાશ, લેખિકાના પતિ વિરેન્દ્ર કપુરની વિનાકારણે કરાયેલી ધરપકડ અને તેમાં સંજય ગાંધીની નિકટ રહેતી અંબિકા સોનીની વરવી ભૂમિકા, વીરેન્દ્ર કપૂરનો જેલવાલ, જુલમો, રામનાથ ગોએન્કા જેવા તાકાતવર વ્યક્તિની હેરાનગતિ વગેરે અંગેના પ્રકરણો માહિતીસભર અને સાથેસાથે ‘શોકિંગ’ પણ ખરાં.

શેરનીનું બિરૂદ લઈને ફરતાં શ્રીમતી ગાંધી ખુદના નાના દીકરા સંજય સામે બકરી બની દોરવાયા કરે, અપમાનિત અને બ્લેકમેઈલ થયા કરે, સતત ચિંતિત અને અસલામતીથી પીડાયા કરે અને દીકરાનો માર પણ ખાય તેવા માની ન શકાય તેવા શ્રીમતી ગાંધીના વ્યક્તિત્વના પાસા બાબતે પુસ્તકમાં અનેક પ્રસંગો અપાયેલ છે. ‘અક્કલનો અધૂરો ને જીદે પૂરો’ એવી ગુજરાતી કહેવતને સાર્થક કરનાર દીકરો અને તેના અવિચારી કૃત્યોથી પુસ્તકના પાનાંઓ ભરાઈ ગયા છે. જેની સાથે ગાઢ અને પારિવારિક સંબંધો હતા એવા જયપ્રકાશ નારાયણ-જે.પી. જે સરકારના ભ્રષ્ટાચાર અને તાનાશાહ વિરૂદ્ધ આંદોલન ચલાવતા હોવાથી શ્રીમતી ગાંધીએ તેમની કીડનીઓ ફેઈલ થઈ ગઈ તે હદે જેલમાં અત્યાચાર ગુજારાવ્યો. દેશને લાખો-કરોડોમાં પડેલ સંજય ગાંધીની ઘેલછા સમાન મારૂતિ પ્રોજેકટ, માના વીસ મુદ્દાના અને દીકરીના પાંચ મુદ્દાના કાર્યક્રમે પ્રજાને હેરાન-પરેશાન કરી દીધેલ. બંધારણની ઐસીતૈસી કરી 1 વર્ષ ચૂંટણી પાછી ઠેલ્યા બાદ જાસુસીતંત્રએ જીતની ખાતરીનો રિપોર્ટ આપતાં માર્ચ 1977માં ચૂંટણી જાહેર કરાઈ અને ફંડની કમીથી લઈ વેરવિખેર કાર્યકર્તાઓ અને મા-બેટાની વફાદાર ટોળકીના હવનમાં હાડકા નાખવાના તમામ પ્રયત્નો છતાં મા-બેટાની કારમી હાર, નવી સરકાર તથા બંને પક્ષે અસરકારક ભૂમિકા ભજવી તે વ્યક્તિઓનું આગળ શું થયું તેનું વર્ણન અને રેફરન્સની યાદી સાથે પુસ્તક પૂર્ણ થાય છે ત્યારે મન ઉદાસ થઈ જાય છે પણ આગળ જતાં થયેલા કુદરતના ન્યાયે બધું સરભર કરી આપ્યું તેવી ધરપત પણ થાય છે.

સજા ભારતની એકપણ કોર્ટ ન આપી શકી. તેના કાળા કામોને ન વર્તમાન પત્રો ચીતરી શક્યા, ન રેડિયો વર્ણવી શક્યો. જાણે એક આસુરી શક્તિએ કાળને કેવો બાંધી રાખ્યો તે ભયાનકતા પુસ્તકના પાને-પાને અનુભવાઈ છે.

1971ની ચૂંટણીમાં શ્રીમતી ગાંધી સરકારી નાણાં અને માણાનો દુરુપયોગ કરી જીતેલા, એ આક્ષેપો પૂરવાર થતાં 1975માં અલાહાબાદ કોર્ટે તેમનું સંસદસભ્યપદ રદ થયાનો ચૂકાદો આપ્યો તે તો બારૂદ પર જામગરી ચાંપવાનું માત્ર કારણ હતું, મૂળમાં કોંગ્રેસના શાસનમાં વ્યાપેલ ભ્રષ્ટાચાર, મોંઘવારી, સગાવાદ વિરૂદ્ધ આંદોલન ચલાવનાર જયપ્રકાશ નારાયણ જેવા નેતા નાના-મોટા પક્ષ જે કોંગ્રેસ અને શ્રીમતી ગાંધી અને તેના અવિચારી પુત્રના પગલાંઓ વિરૂદ્ધ લડતાં, જેને સાથ આપનાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ જેવા અખબારના જાંબાઝ માલિક રામનાથ ગોએન્કા, જનસંઘના અનેક કાર્યકર્તાઓ વગેરેનો શિકાર કરવા શ્રીમતી ગાંધી આણી ટોળકીએ અગાઉથી જે પ્લાનીંગ કરી રાખેલ તે હતું. આ સમગ્ર ષડયંત્રના પાત્રો અને ઘટનાઓનું દિલધડક વર્ણન પુસ્તકને રોમાંચક બનાવે છે. ‘ઈન્દિરા ઈઝ ઈન્ડિયા’ના નારાના શરણે જનારા તરી ગયા અને વિરોધ કરનારાઓથી દેશની જેલો ઉભરાઈ ગઈ છતાં પ્રજાને આ બધું દેશના હિતમાં થઈ રહ્યું છે-ની ખાતરી આપવામાં પણ આ ધુતારાઓ સફળ રહ્યાં, જાણે ફુંકી-ફુંકીને કરડનારા મૂષકો માનવદેહે અવતરેલાં!! શ્રીમતી ગાંધીના રબ્બર સ્ટેમ્પસમા રાષ્ટ્રપતિજી ફખરૂદ્દીન અલીઅહમદ પાસે ચાર લીટીના આદેશ પર કરાવાયેલી સહી અને મા-દીકરો ને એના સાથીદારો બેલગામ બની કાળોકેર વર્તાવા લાગ્યા. બધું કાયદાકીય દેખાડવા ‘મિસા’ એક્ટ હેઠળ તમામ વિરોધીઓની ધરપકડો કરાઈ. દરેક ધરપકડની અને તેના જેલવાસની સ્ટોરી અલગ, રાજકીય ધરપકડો ઉપરાંત નાના-મોટા ગુંડાઓ અને સામાન્ય પ્રજામાંથી પણ વાંકગુનો દર્શાવ્યા વિના સેંકડોને ઉપાડી લઈ પ્રજામાં જબરદસ્ત ભય ફેલાવી દીધો. જેલોની ક્ષમતા કરતાં ચાર-પાંચગણા કેદીઓ ભરાતાં સર્જાયેલી અવ્યવસ્થા, શારીરિક અને માનસિક રીતે તૂટી જતાં પાત્રો, રાજમાતા ગાયત્રીદેવી અને રાજમાતા વિજ્યારાજે સિંધિયાનો કષ્ટદાયક જેલવાસ, ધરપકડથી બચવા ભાગનારા ફરી પકડાતા વર્તાવાતો કહેર… આ બધું લોખંડી દિવાલમાં અકબંધ રખાતું હોવાછતાં અને અખબારો પર કડક સેન્સરશિપ હોવા છતાં ‘સ્ટેટસમેન’ જેવા અખબારોમાં બીટવીન ધ લાઈન્સ લખાતું રહેતું. વિદેશી પત્રકારોને પણ ન બક્ષાયાં. બાંહેધરીપત્રક પર સહી ન કરનારાને હાંકી કઢાયા જેમાં બીબીસીનો પણ સમાવેશ હતો. ત્યારપછી બીબીસીની વિશ્ર્વસનીયતા 100 ટકા ગેરેન્ટેડ બની ગઈ. તે સમયના સંજય ગાંધીના પરાક્રમોના અને અન્ય બ્લેકઆઉટ કરાયેલા ન્યુઝ અંગે પુસ્તકમાં વાંચવા મળશે.

ઈમરજન્સીનો વિરોધ કરનારાંઓના સગાં-સંબંધીઓ, મિત્રોને પણ હદબહાર હેરાન કરાતાં આવા લોકો બધી બાજુથી એકલા પડી ગયા. આર્થિક રીતે નોકરી-ધંધો ગુમાવી બેઠાં તે તથા આની વિરોધ અને તરફેણમાં બનેલા બનાવોનું વર્ણન રોચક છે. જેમકે ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં છપાયેલી લોકશાહીની મરણનોંધ, રાષ્ટ્રપતિજીએ ઉતાવળે કરેલી સહીનું કાર્ટુન, મા-દીકરાની સ્તુતિ ગાતા સમાચારપત્રો અને ઓલ ઈન્ડિયા રેડિયોની વાતો, સરકારી કાર્યક્રમોમાં ગાવાની ના પાડનાર મનમોજી પણ મહાન એવા ગાયક કિશોરકુમારની હેરાનગતિ ને શરણાગતિ, લેખિકાના બનેવી, જનસંઘના સંસદસભ્ય અને ઈકોનોમિસ્ટ એવા સુબ્રહ્મણ્યમ સ્વામીએ દેશ-વિદેશમાં સરકારના કારનામાઓના કરેલા પર્દાફાશ, લેખિકાના પતિ વિરેન્દ્ર કપુરની વિનાકારણે કરાયેલી ધરપકડ અને તેમાં સંજય ગાંધીની નિકટ રહેતી અંબિકા સોનીની વરવી ભૂમિકા, વીરેન્દ્ર કપૂરનો જેલવાલ, જુલમો, રામનાથ ગોએન્કા જેવા તાકાતવર વ્યક્તિની હેરાનગતિ વગેરે અંગેના પ્રકરણો માહિતીસભર અને સાથેસાથે ‘શોકિંગ’ પણ ખરાં. શેરનીનું બિરૂદ લઈને ફરતાં શ્રીમતી ગાંધી ખુદના નાના દીકરા સંજય સામે બકરી બની દોરવાયા કરે, અપમાનિત અને બ્લેકમેઈલ થયા કરે, સતત ચિંતિત અને અસલામતીથી પીડાયા કરે અને દીકરાનો માર પણ ખાય તેવા માની ન શકાય તેવા શ્રીમતી ગાંધીના વ્યક્તિત્વના પાસા બાબતે પુસ્તકમાં અનેક પ્રસંગો અપાયેલ છે. ‘અક્કલનો અધૂરો ને જીદે પૂરો’ એવી ગુજરાતી કહેવતને સાર્થક કરનાર દીકરો અને તેના અવિચારી કૃત્યોથી પુસ્તકના પાનાંઓ ભરાઈ ગયા છે. જેની સાથે ગાઢ અને પારિવારિક સંબંધો હતા એવા જયપ્રકાશ નારાયણ-જે.પી. જે સરકારના ભ્રષ્ટાચાર અને તાનાશાહ વિરૂદ્ધ આંદોલન ચલાવતા હોવાથી શ્રીમતી ગાંધીએ તેમની કીડનીઓ ફેઈલ થઈ ગઈ તે હદે જેલમાં અત્યાચાર ગુજારાવ્યો. દેશને લાખો-કરોડોમાં પડેલ સંજય ગાંધીની ઘેલછા સમાન મારૂતિ પ્રોજેકટ, માના વીસ મુદ્દાના અને દીકરીના પાંચ મુદ્દાના કાર્યક્રમે પ્રજાને હેરાન-પરેશાન કરી દીધેલ. બંધારણની ઐસીતૈસી કરી 1 વર્ષ ચૂંટણી પાછી ઠેલ્યા બાદ જાસુસીતંત્રએ જીતની ખાતરીનો રિપોર્ટ આપતાં માર્ચ 1977માં ચૂંટણી જાહેર કરાઈ અને ફંડની કમીથી લઈ વેરવિખેર કાર્યકર્તાઓ અને મા-બેટાની વફાદાર ટોળકીના હવનમાં હાડકા નાખવાના તમામ પ્રયત્નો છતાં મા-બેટાની કારમી હાર, નવી સરકાર તથા બંને પક્ષે અસરકારક ભૂમિકા ભજવી તે વ્યક્તિઓનું આગળ શું થયું તેનું વર્ણન અને રેફરન્સની યાદી સાથે પુસ્તક પૂર્ણ થાય છે ત્યારે મન ઉદાસ થઈ જાય છે પણ આગળ જતાં થયેલા કુદરતના ન્યાયે બધું સરભર કરી આપ્યું તેવી ધરપત પણ થાય છે.

You Might Also Like

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

ગ્રીક પુરાણો, ક્રિસ્ટોફર નોલાન અને એકિલીસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

TAGGED: Gujarat, SAURABHSHAH, TheEmergency
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફેક્ટ અને ફેક ન્યૂઝનું સત્ય, અર્ધસત્ય, અસત્ય
Next Article હિમાચલ-ઉત્તરાખંડમાં ફરી તબાહી: વાદળ ફાટતા એક જ પરિવારના 7નાં મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Authorમનીષ આચાર્ય

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો
ગ્રીક પુરાણો, ક્રિસ્ટોફર નોલાન અને એકિલીસ
કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
બેડલા ગામે મકાનમાં સંતાડેલો 2.84 લાખનો દારૂ ઝડપી લેતી પીસીબી
શાપરમાં ધારાસભ્યના ભત્રીજાની ફેક્ટરીમાંથી 50 લાખના ભંગારની ચોરી કરતા બે કર્મચારીઓ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
Author

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
Author

ગ્રીક પુરાણો, ક્રિસ્ટોફર નોલાન અને એકિલીસ

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?