By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હુથી વિદ્રોહીઓના હુમલા બાદ યમનના સનામાં ઇઝરાયલી બોમ્બમારાથી છ લોકોના મોત
    2 days ago
    ભારત દ્વારા પાણી છોડવામાં આવતાં પંજાબની નદીઓમાં પાણી ભરાયા
    2 days ago
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    5 days ago
    દક્ષિણ અમેરિકામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો કોઈ ખતરો નથી
    5 days ago
    ટ્રમ્પનો અજીબો-ગરીબ હુકમ મેક્સિકો બોર્ડર વૉલ કાળા રંગે રંગાશે, ઘૂસણખોરોને રોકવા નવી તરકીબ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડોડામાં વાદળ ફાટવાથી જમ્મુ-કાશ્મીરના ગાંધોર અને થાથરીમાં અચાનક પૂર આવતા ચાર લોકોના મોત; અનેક ઘરોને નુકસાન
    12 hours ago
    ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ લાદતાં અમેરિકા-ભારત વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું
    13 hours ago
    પ્રધાનમંત્રી મોદીએ મારુતિ સુઝુકીના પ્રથમ ઇલેક્ટ્રિક વાહનોનું લોકાપર્ણ કર્યું
    14 hours ago
    Fake Medicine Racket: આવકવેરાની તપાસ શરૂ, નકલી દવા સિન્ડિકેટ ચેન્નાઈથી નેપાળ સુધી ફેલાયું; 450 કરોડનું ટર્નઓવર
    14 hours ago
    સમય રૈનાએ દિવ્યાંગોની મજાક ઉડાવવા બદલ સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી 
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચેતેશ્ર્વર પુજારાની ક્રિકેટમાંથી નિવૃત્તિ : ‘યંગ ક્રિકેટરોને તક મળે તે માટે લીધો નિર્ણય’
    1 day ago
    ડ્રીમ11 એ BCCI ને કહ્યું કે તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર કરશે નહીં; બોર્ડે સત્તાવાર રીતે કરાર સમાપ્ત કર્યો
    2 days ago
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    4 days ago
    એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યા કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન
    1 week ago
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાની ઘરે બંધાશે પારણું
    2 days ago
    સાઉથ ઈન્ડિયાની એ ફિલ્મ જેમાં બોબી દેઓલ થલાપતિ વિજયની સામે એક વિલનનો રોલ પ્લે કરશે
    2 days ago
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    5 days ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    7 days ago
    રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    15 hours ago
    Ganesh Chaturthi 2025: ક્યારે ગણપતિજીનું સ્થાપન અને વિસર્જનનું કરવું?
    2 days ago
    પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય
    3 days ago
    ગણેશ ચતુર્થી:ગણપતિજીની સ્થાપના કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
    4 days ago
    ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    દત્તોપંત ઠેંગડી લાયબ્રેરીની આરદેશણાનાં પાપે અવદશા: સુનિલ દેત્રોજાએ પાળ પીટી નાંખી
    1 day ago
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    5 days ago
    દિનેશ સદાદિયાને બચાવવા કિરીટ પરમાર, આરદેશણા, પૂજારા અને દિક્ષિત પટેલનાં ધમપછાડા
    6 days ago
    સુનિલ દેત્રોજાએ સાધુ વાસવાણી રોડ પર આવેલી શ્રી બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરીની પથારી ફેરવી નાંખી
    7 days ago
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જયસુખ પટેલ વિરુદ્ધ મૃતકનાં પરિવારજનો FIR કરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જયસુખ પટેલ વિરુદ્ધ મૃતકનાં પરિવારજનો FIR કરશે
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાતરાજકોટ

જયસુખ પટેલ વિરુદ્ધ મૃતકનાં પરિવારજનો FIR કરશે

Khaskhabar Editor
Last updated: 2022/11/04 at 6:18 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

મોટા મગરમચ્છો પર કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આફતગ્રસ્તોનો આક્ષેપ

મોરબીવાસીઓનો એક જ સૂર: ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપનીના જયસુખ પટેલ જ જવાબદાર

- Advertisement -

ખાસ-ખબર દ્વારા મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ગ્રાઉન્ડ ઝીરો પર જઈ હકીકતો મેળવવામાં અને વાસ્તવિકતા તપાસવામાં આવી હતી. મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાના આજે પાંચ-પાંચ દિવસ પછી પણ આ હોનારતમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોના આસું સુકાયા નથી. મોરબી ઝૂલતા પુલ હોનારત બાદ મોરબીવાસીઓમાં પ્રશાસન પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે સરકાર કે તંત્ર દ્વારા જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં ન આવતા હવે હોનારતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો ઓરેવા – જયસુખ પટેલ સામે કાયદાકીય લડાઈ લડવા મેદાનમાં પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોરબી ઝૂલતા પુલ જઘન્ય હત્યાકાંડના મુખ્ય આરોપી ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ પર હજુ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં નથી આવી. પોલીસે નવ લોકોની ધરપકડ કરી છે જેમાં ઝૂલતા પુલની ટિકિટ આપનાર, સિક્યુરિટી ગાર્ડ અને મેનેજરની ધરપકડ કરી કાર્યવાહી કર્યાનો સંતોષ માની લેવામાં આવ્યો છે.

 

સામાજીક કાર્યકર રાજુભાઈ દવેએ તંત્ર વિશે શું કહ્યું જોવા અહીં ક્લિક કરો…

- Advertisement -

સામાજીક કાર્યકર હસીનાબેન લંઘાનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…

સ્વજન ગુમાવનાર ઈબ્રાહીમ માંજોઠીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…

જેનાં પર ઘરનું ગુજરાન ચાલતું હતું તેવી દીકરી આ હોનારતમાં હોમાઈ ગઈ: પરિવાર પર વજ્રઘાત

ઓરેવા કંપનીની જ કર્મચારી હતી મનિષા

મનિષાનાં ઘરની પરિસ્થિતિ એટલી દયનીય છે કે ભલભલાના કાળજા કંપી ઉઠે

મનિષાનાં માતા સવિતાબેન અને તેમનાં ઘરનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…

નજરબાગ વિસ્તારમાં એક કાચા મકાનમાં રહેતા સવિતાબેન ચૌહાણ પર પુલ દુર્ઘટનાના લીધે આભ ફાટ્યું છે. તેમના ઘરનું આશાનું કિરણ અને જેના પર ઘરનું ગુજરાન ચાલતું હતું તેવી દીકરા સમાન 21 વર્ષીય દીકરી મનિષા ચૌહાણને કાળ ભરખી જતા સવિતાબેન પર કરમની કઠણાઈ બેઠી છે. સવિતાબેન અવાચક બની ગયા છે ભગવાન જાણે સવિતાબેનની પરીક્ષા લઈ રહ્યા હોય તેમ જેના પૈસાથી જ ઘર ચાલતુ હતું તેને જ પોતાની પાસે લઈ લેતા સવિતાબેનના આસું સુકાતા નથી. દિવસેને દિવસે શોક ઘેરો બનતો જાય છે. પરિવારમાં બે નાનાભાઈ અને એક નાની બહેનને ભણાવવાનો ખર્ચ પર દીકરી ઉપાડતી હતી જે હવે નોંધારા બની ગયા છે. માતા સવિતાબેને જણાવ્યું હતું કે, દીકરી મનિષા ઓરેવા કંપનીમાં નોકરી કરતી હતી જેના જવાથી હવે પરિવારમાં કમાવનાર કોઈ રહ્યું નથી. બે ભાઈ અને એક બહેનની જવાબદારી કોણ ઉપાડશે? સતત નજર સમક્ષ મનીષા જ દેખાઈ રહી છે વિશ્વાસ જ નથી આવતો કે, મનીષા હવે નથી રહી. ખાસ ખબરના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટીંગમાં માલૂમ પડ્યું કે, સવિતાબેન કાચા મકાનમાં રહે છે. ઘરની પરિસ્થિતી જોઈએ તો ફક્ત એક માટલું, થોડા વાસણ અને એક લાઈટ છે માટીના મકાનમાં કુલ પાંચ સભ્યો રહેતા હતા. જેમાંથી હવે ફક્ત ચાર જ રહ્યા. સવિતાબેનને હાલ વિધ્વા સહાયના ફક્ત 1200 રૂપિયા જ આવે છે.

ઝૂલતા પુલ દુર્ઘટના બાદની ચોંકવનારી વિગતો

ત્યારે મોરબીવાસીઓનો એક જ સૂર છે કે, ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપનીના જયસુખ પટેલ જ જવાબદાર છે. તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ પરંતુ સમગ્ર મામલે નાની માછલીઓની ધરપકડ થતા અને મોટા મગરમચ્છ બચી જતા મોરબીના સ્થાનિકોથી લઈ સામાજિક કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે. ખાસ-ખબરને મોરબી ઝૂલતા પુલ હોનારતમાં એક જ પરિવારના આઠ વ્યક્તિના મૃત્યુ પામતા તેમના આઠ પરિવારજનએ જયસુખ પટેલ વિરુદ્ધ એફઆઈઆર કરશે એવું જણાવ્યું હતું. મોરબીના કાંતીનગરમાં રહેતા એક પરિવારના જ 8 લોકોના મૃત્યુ થયા છે. ઝૂમાભાઈના પત્ની તેના દીકરી અને અન્ય સગા આ તમામ ઝૂલતો પુલ જોવા ગયા હતા. જ્યારે બીજા દિવસે દીકરીની સગાઈ હતી અને તેનું મૃત્યું થયું. ઝૂમાભાઈના ભાઈ ઈબ્રાહીમ માજોઠીએ ખાસ-ખબરને જણાવ્યું હતું કે, અમને ન્યાય મળવો જ જોઈએ. અમે જયસુખ પટેલ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવીશું અને ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. મોરબી સિવિલ હોસ્પિટલમાં સેવાકીય કાર્યો કરતા હસીનાબેન લંઘાએ ખાસ-ખબર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં 134 લોકોના મોત થયા છે તે આંકડો ખોટો છે અંદાજે 200 લોકોના મોત થયા છે. મને અહીં કોઈ પગાર નથી આપતું અને જ્યારે મીડિયા સમક્ષ સાચી વાત પ્રસ્તુત કરી ત્યારથી હોસ્પિટલ તંત્ર દ્વારા મને માનસિક રીતે ટોર્ચર પણ કરવામાં આવે છે. જ્યારે વડાપ્રધાન મોદી આવ્યા ત્યારે હોસ્પિટલની કાયાપલટ થઈ ગઈ. બેડના ઓશીકા અને ઓછાડ બદલાવી નાખવામાં આવ્યા. જ્યારે રવિવારે આ દુર્ઘટના ઘટી ત્યારે અહીં એક બેડ પર ત્રણ ત્રણ બોડી રાખવામાં આવી હતી. તે દ્રશ્યો ભયાનક હતા. જેમણે સ્વજનો ગુમાવ્યા એ પરિવારોની વેદનાનું વર્ણન શક્ય નથી. તેમનું સર્વસ્વ છીનવાઈ ગયું. હસતા, રમતા, આનંદ માણવા ગયા હતા એ સ્વજનો સદા માટે ચાલ્યા ગયા. જે પાછળ રહી ગયા તેમના જીવન સૂના બની ગયાં. પોલીસે નાની માછલીઓને પકડી છે જ્યારે મોટા મગરમચ્છ નગરપાલિકા અને ઓરેવા ગૃપના માલિક હજુ પકડથી દૂર છે. મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવેએ ખાસ-ખબરને જણાવ્યું હતું કે, મોટા મગરમચ્છ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે તેને પકડવા જોઈએ.

You Might Also Like

રાજુલા પોલીસે પોકસો કેસના ફરાર આરોપીની ધરપકડ કરી

રાજકોટ ભાજપ દ્વારા રેસકોર્સમાં ગણપતિ મહોત્સવનું આયોજન

રવિવારે શ્રી પંચમુખી હનુમાનજીના મંદિર પાસે, ગરેડીયા કુવા રોડ, રાજકોટ ખાતે વિતરણ કરાશે

ખંડણી અને લૂંટના ચકચારી કિસ્સામાં ક્રાઈમ બ્રાન્ચની કાબિલેદાદ કામગીરી

રાજકોટમાં સિઝનનો સરેરાશ 27.11 ઈંચ વરસાદ: આજી-ન્યારી છલોછલ

TAGGED: BRIDGE, death, JAYSUKHPATEL, machhuriver, morbi, people
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખાસ-ખબરનાં અહેવાલનાં જબરદસ્ત પડઘાં: આખા દેશનાં મીડિયાએ નોંધ લીધી!
Next Article કર્ણાટકના બિદરમાં ટ્રક અને ઑટો રિક્ષા વચ્ચે ટક્કર: 7 મહિલાઓના મોત, 11 ઘાયલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજુલા પોલીસે પોકસો કેસના ફરાર આરોપીની ધરપકડ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ ભાજપ દ્વારા રેસકોર્સમાં ગણપતિ મહોત્સવનું આયોજન
રવિવારે શ્રી પંચમુખી હનુમાનજીના મંદિર પાસે, ગરેડીયા કુવા રોડ, રાજકોટ ખાતે વિતરણ કરાશે
ખંડણી અને લૂંટના ચકચારી કિસ્સામાં ક્રાઈમ બ્રાન્ચની કાબિલેદાદ કામગીરી
રાજકોટમાં સિઝનનો સરેરાશ 27.11 ઈંચ વરસાદ: આજી-ન્યારી છલોછલ
કડવા પટેલ સમાજ નોર્થ અમેરિકા દ્વારા લાસવેગાસમાં ત્રિદિવસીય ગ્લોબલ ક્ધવેન્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

રાજુલા પોલીસે પોકસો કેસના ફરાર આરોપીની ધરપકડ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટ ભાજપ દ્વારા રેસકોર્સમાં ગણપતિ મહોત્સવનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રવિવારે શ્રી પંચમુખી હનુમાનજીના મંદિર પાસે, ગરેડીયા કુવા રોડ, રાજકોટ ખાતે વિતરણ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?