‘હમે અધૂરી દી આઝાદી, બિના ખડગ ઔર ઢાલ કી’
મધ્યપ્રદેશના કવિ દેવકૃષ્ણ વ્યાસની કાવ્ય પંક્તિથી વિવાદ સર્જાયો
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલા અખંડ કવિ સંમેલનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિરોધમાં કવિતાનું પઠન કરતા રોષ ફેલાયો છે. મધ્યપ્રદેશના કવિ દેવકૃષ્ણ વ્યાસ ગાંધીજીને અનુલક્ષીને કવિતા લલકારી હતી જેના શબ્દો આ મુજબ હતા ’સુભાષ કા ઉપહાસ ઉડાયા ઔર નહેરુ સે મોહ કિયા; એક હઠ ધર્મી જીન્હા થા તો ઉસકી બાતેં માની કયો, આઝાદી કે નાયક થે તુમ કૈસે ખલનાયક જીત ગયે,માતા કે બટવારે કો સાલ પચ્ચતર બિત ગયે; હમે અધૂરી દી આઝાદી, બિના ખડગ ઔર ઢાલ કી’. જેને લઈને હાલ વિવાદ સર્જાયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં કાર્યરત ગુલાબદાસ બ્રોકર ચેર દ્વારા અખિલ ભારતીય શૈક્ષિક સંઘ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે અખંડ કાવ્ય સંમેલન યોજાયું હતું. જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 કવિઓએ સતત 24 કલાક સુધી કવિતાનું પઠન કર્યુ હતું. જેમાં મધ્યપ્રદેશના દેવાસ શહેરના કવિ દેવકૃષ્ણ વ્યાસની કાવ્ય પંક્તિથી વિવાદ સર્જાયો છે. ત્યારે જોવાનું રહેશે કે ગાંધીપ્રેમીઓ દ્વારા આ મુદ્દે શું પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવે છે.