માંડવી તાલુકાના જખણીયા ગામમાં પતિએ આખા પરિવારના સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા છે. પરિવારના મોભીએ 3 દીકરી અને તેની પત્નીને ધારદાર હથિયારની મદદથી હત્યા કરી દીધી હતી. આર્થિક સંકડામણના કારણે તેણે હત્યાને અંજામ આપ્યો હોવાની શક્યતા છે. પરિવારના 4 સભ્યોની હત્યા બાદ હત્યારાએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગ્રામજનો આવી જતા તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. સામુહિક હત્યાની ઘટનાની જાણ થતાં પશ્ચિમ કચ્છ એસપી અને માંડવી પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.
- Advertisement -
હર્યાભર્યા પરિવારને ખુદ પતિએ વિખેરી નાંખ્યો
જખણીયા ગામમાં રહી ખેતમજૂરીનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા શિવજી પંચાણ સંઘારે તેમનો હર્યોભર્યો પરિવાર વિખેરી નાખ્યો હતો. તેમણે પોતાની પત્ની ભાવનાબેન સંઘાર, મોટી પુત્રી ઘૃપ્તિ (ઉ.વ.10), કિંજલ (ઉ.વ.8) અને નાની પુત્રી ધર્મિષ્ઠા (ઉ.વ.2)ની હત્યા કરી હતી.
બીમાર દીકરીઓ અને આર્થિક સંકડામણ હત્યાનું કારણ હોઈ શકે
નાની અને વચેટ દીકરીઓને થાઈ રોગની બીમારી હોવાથી દવાનો ખર્ચ અને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી. જેથી આખા પરિવારના સભ્યોની હત્યા કરી આર્થિક સંકડામણના ભારથી મુક્ત કરવા હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ થયો ન હતો અને હત્યા બાદ નાસી છૂટ્યો હતો.
હત્યાનો ભોગ બનેલા પરિવારજનો
- Advertisement -
ભાવનાબેન સંઘાર (ઉ.વ.32)
ઘૃપ્તિબેન સંઘાર (ઉ.વ.10)
કિંજલબેન સંઘાર (ઉ.વ.8)
ધર્મિષ્ઠાબેન સંઘાર (ઉ.વ.2)
ચારેય લાશોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈ પશ્ચિમ કચ્છ પોલીસનો કાફલો હત્યાના બનાવને પગલે જખણીયા ગામે દોડી ગયો હતો. પોલીસે ડોગ સ્કવોડની મદદથી ઘટનાસ્થળે તપાસ કરી હતી. ત્યારબાદ મા અને 3 દીકરી એમ ચારેયની લાશોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. એક સાથે ચાર-ચાર પરિવારના સભ્યોની હત્યાથી ગામમાં હત્યારા માટે ફીટકાર વરસી રહ્યો છે.
ઘરમાં ઝેરી દવા પણ મળી
શિવજી સંઘારના ઘરમાં કપાસમાં છાંટવા માટેની ઝેરી દવા પણ મળી આવી છે. તેણે પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. શિવજી તેની પત્નીને ઝેરી દવા પીવડાવવા બળજબરી કરતો હતો. ત્યારે લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા.