By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    8 hours ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    8 hours ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    8 hours ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    9 hours ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શારદા: સાહિત્ય અને સંસ્કારનું સામયિક, કૌમુદી: સાહિત્ય સમીક્ષાનું સ્વતંત્ર સામયિક, માનસી: સર્જન અને ચિંતનની ગ્રંથશ્રેણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > શારદા: સાહિત્ય અને સંસ્કારનું સામયિક, કૌમુદી: સાહિત્ય સમીક્ષાનું સ્વતંત્ર સામયિક, માનસી: સર્જન અને ચિંતનની ગ્રંથશ્રેણી
AuthorBhavy Raval

શારદા: સાહિત્ય અને સંસ્કારનું સામયિક, કૌમુદી: સાહિત્ય સમીક્ષાનું સ્વતંત્ર સામયિક, માનસી: સર્જન અને ચિંતનની ગ્રંથશ્રેણી

Khaskhabar Editor
Last updated: 2022/08/08 at 12:03 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

ચિત્રકાર કલાબ્ધિની ચિત્રકૃતિ અને એસ.એમ. ડાભીના ઠઠ્ઠાચિત્રો શારદામાં પ્રસિદ્ધ થતા હતા, આજથી એકાદ સદી પૂર્વે રાજકોટથી પ્રસિદ્ધ થતું આ સામયિક એટલું દળદાર અને દમદાર હતું કે તેની પાસે વર્તમાન સામયિકો અને દિવાળી અંકો ફિક્કા લાગે!

શારદા : ગોકુળદાસ રાયચુરાના તંત્રીપદ હેઠળ એપ્રિલ 1924માં રાજકોટમાંથી શારદા બહાર પડવાનું શરૂ થયું હતું. સાહિત્ય, કળા, સંસ્કાર અને લોકસાહિત્યના પ્રસાર અર્થેનું આ સામયિક દર મહિનાની 15 તારીખે પ્રસિદ્ધ થતું હતું. શારદાની છૂટક કિંમત બાર આના અને વાર્ષિક લવાજમ છ રૂપિયા હતું. શારદા પ્રથમ અંકથી જ આર્ટ પેપર પર છપાતું આવ્યું હતું, તેમાં રંગબેરંગી ચિત્રો અને તસવીરો મોટા પ્રમાણમાં છપાતા હતા. તેનું મુખપૃષ્ઠ ત્રીરંગી આવતું હતું અને દરેક અંકમાં ચારથી છ પાનાં જેટલી રંગીન તસવીરો-ચિત્રો પણ આવતા હતા. શારદાનું કદ ડેમીથી થોડું મોટું અને ક્રાઉનથી પહોળાઈમાં સહેજ નાનું હતું. શારદાના પ્રત્યેક અંકમાં સો જેટલા પાનાં રહેતા હતા જેમાં વાંચકોને લેખ, વાર્તા, કવિતા, નાટક, જીવનચરિત્ર, લોકકથા, સાહસકથા અને પ્રવાસવર્ણન વગેરે વૈવિધ્યપૂર્ણ વાંચનસામગ્રી વાંચવા મળતી હતી. અન્ય કોઈ સામાયિકની છાપવા જેવી સામગ્રી મહાગુજરાત શીર્ષક હેઠળ શારદામાં પ્રગટ કરવામાં આવતી હતી. શારદામાં લેખ, વાર્તા, કવિતાના મથાળા ખાસ રીતે ડિઝાઈન કરીને તૈયાર કરવામાં આવતા હતા. ચિત્રકાર કલાબ્ધિની ચિત્રકૃતિ અને એસ.એમ. ડાભીના ઠઠ્ઠાચિત્રો શારદામાં પ્રસિદ્ધ થતા હતા. આજથી એકાદ સદી પૂર્વે રાજકોટથી પ્રસિદ્ધ થતું આ સામયિક એટલું દળદાર અને દમદાર હતું કે તેની પાસે વર્તમાન સામયિકો અને દિવાળી અંકો
ફિક્કા લાગે!

- Advertisement -

શારદાના દર મહિને પ્રગટ થતા અંકો સિવાય તેના લોકસાહિત્યના વિશેષાંકો પણ આકર્ષક હતા, હાલની તારીખે પણ ધ્યાન ખેંચે અને બે ઘડી વાંચવા મજબૂર કરે એવા છે. શારદાના તંત્રી ગોકુળદાસ રાયચુરા પત્રકાર ઉપરાંત સારા લેખક પણ હતા, તેમના દ્વારા લખેલા લોકસાહિત્યના પુસ્તકોની જાહેરખબર શારદામાં આવતી હતી. ગોકુળદાસ રાયચુરા દાલચીવડાના ઉપનામથી શારદામાં હાસ્યલેખ લખતા હતા. શારદામાં શરૂઆતના અને અંતના થોડા પાનાંઓમાં વિવિધ વિષયને લગતી જાહેરખબરો આવતી હતી. આ સિવાય અંદરના પાનાં પર સાહિત્ય અને સંશોધન વિષયક લેખનસામગ્રી પ્રકાશિત થતી હતી જેના લેખકો ઝવેરચંદ મેઘાણી, ડોલરરાય માંકડ, નાનજી કાલિદાસ મહેતા, જદુરામ ખંધેરિયા, મોહનલાલ ચુનીલાલ ધામી, મેઘાણંદ ગઢવી, મેરૂભા ગઢવી, રાજકવિ માવદાનજી, કુસુમાકર, કલ્યાણરાય જોશી વગેરે હતા. નવોદિત અને અજાણ્યા સર્જકોની કૃતિઓ શારદામાં વધુ છપાતી એટલે ઘણીવાર તેની ટિકા પણ થતી હતી.

શારદાના તંત્રી ગોકુળદાસ રાયચુરા શારદા પર થતી ટિકા-ટિપ્પણીને અવગણતા હતા. આ એ શારદા જ હતું જેણે રાજકોટમાં અનેક લોકોને લખતા કર્યા હતા. સાહિત્ય અને સંસ્કારનું સામયિક શારદા 1924માં શરૂ થઈ 40 વર્ષ બાદ 1964માં બંધ પડ્યું ત્યારે રાજકોટ-સૌરાષ્ટ્રના પત્રકારત્વને એક મોટી ખોટી પડી હતી.

કૌમુદી : વિજયરાય કલ્યાણરાય વૈદ્યે 1924માં કૌમુદીનો પ્રથમ અંક પ્રગટ કર્યો હતો. કૌમુદી સાહિત્ય સમીક્ષાનું સ્વતંત્ર સામયિક હતું. કૌમુદી અમદાવાદમાં છપાતું હતું અને તેનું વ્યવસ્થા સરનામું કુમાર કાર્યાલય તથા સંપાદન સંપર્ક માટેનું સરનામું વિજયરાય વૈદ્યનું વિલેપાર્લેનું રહેતું હતું. કૌમુદીના દરેક અંક 200 પાનાંના રહેતા હતા, એક પુસ્તક જેટલા મોટા. જેમાં વિવિધતાસભર વાંચનસામગ્રી આવતી હતી. આ ત્રીમાસિક સામયિકનું લવાજમ સાડા ત્રણ રૂપિયા હતું. કૌમુદી શરૂ થયા બાદ સમયની સાથે તેનું સ્વરૂપ પણ બદલતું જતું હતું. 1927માં એને નવું પુસ્તક ગણી નવેસરથી પ્રથમ વર્ષ ગણવામાં આવે છે. તેનું કદ ડેમીથી થોડું મોટું અને ક્રાઉનથી પહોળાઈમાં સહેજ નાનું હતું. ક્યારેક ભાવનગર, ક્યારેક અમદાવાદ, ક્યારેક વડોદરા તો વળી ક્યારેક મુંબઈથી બહાર પડનાર કૌમુદી વારંવાર તેનું કદ અને કલેવર બદલતું રહેતું હતું. શારદાની જેમ જ કૌમુદી પણ પોતાના વિશેષાંકો માટે જાણીતું બનેલું હતું. કૌમુદી દ્વારા કલાપી અંક (1925), સાહિત્ય અંક (1926), નાન્હાલાલ અંક (1927), અંબાલાલ દેસાઈ અંક (1929), અરવિંદ અંક (1935) વિશેષાંક બહાર પાડવામાં આવ્યા હતા. આકર્ષક અંકની સાથે અવનવા વિશેષાંકો આપનાર કૌમુદીનું ત્રીમાસિકમાંથી માસિકમાં પણ રૂપાંતર થયું હતું. વિજયરાય વૈદ્યએ કૌમુદીમાં સેવકગણની યોજના દ્વારા સાહિત્યવ્રતનો આદર્શ મૂક્યો હતો. કૌમુદીને ચલાવવા માટે આશ્રયદાન લેવામાં આવતું હતું.

- Advertisement -

કૌમુદીમાં સાહિત્યિક વિવેચન ઉપરાંત જીવનલક્ષી લેખો પ્રસિદ્ધ થતા હતા. ઝવેરચંદ મેઘાણી, નરસિંહ રાવ, દેશળજી પરમાર, ચં.ચી. મહેતા, નૃસિંહ વિભાકર, ગજેન્દ્ર પંડ્યા, ગગનવિહારી મહેતા વગેરે ખ્યાતનામ સર્જકો કૌમુદીમાં નિયમિત લખતા જ હતા. આમ છતાં આ સામયિકમાં મોટા લેખકોના નામ અને લેખન પર વિશેષ ધ્યાન આપવામાં આવતું નહતું. કૌમુદીમાં લેખનની ગુણવત્તા પર વધુ ભાર મૂકવામાં આવતો હતો, તેથી તેમાં મોટાભાગના લખનારાઓ અજાણ્યા હતા, જાણીતા લેખકોની કૃતિઓનો ઓછો સમાવેશ કરવામાં આવતો હતો. સાહિત્ય, કળા અને વિવેચનનું આ સામયિક એનાં પ્રકાશન વર્ષ દરમિયાન ગુજરાતી પત્રકારત્વમાં ખાસ્સું એવું આદર પામ્યું હતું. સાહિત્ય પરિષદ પણ તેની નોંધ લેતું થઈ ગયું હતું. દુ:ખદ ઘટના એ બની કે, સમય પસાર થતા આ સામયિક પર મોટું દેવું થઈ ગયું હતું. કૌમુદીનું પ્રકાશન અનિયમિત બનતું ગયું હતું. અચાનક જ મે-જૂન 1936થી કૌમુદીમાં વિજયરાય વૈદ્યનું નામ આવતું બંધ થઈ ગયું, તેની જગ્યાએ પહેલા પ્રકાશક અને પછી સંપાદક તરીકે પણ મૂળશંકર સોમનાથ ભટ્ટનું નામ આવવાનું શરૂ થઈ ગયું હતું. વિજયરાય વૈદ્ય કૌમુદીમાંથી છૂટા પડ્યા. લેખક, પત્રકાર, વિવેચક, ચેતનના સહતંત્રી, હિંદુસ્તાનના ઉપતંત્રી, ગુજરાતના ઉપતંત્રી, યુગધર્મના ઉપતંત્રી વિજયરાય વૈદ્ય દ્વારા તન, મન, ધનથી કૌમુદી ચલાવ્યા બાદ માનસી નામનું સામયિક 1938માં શરૂ કરવામાં આવ્યું હતું.

વધારો : વિજયરાય વૈદ્યએ કૌમુદી અને માનસી બંને સામયિકો દ્વારા કુલ મળી સાડા ત્રણ દસક ગુજરાતી પત્રકારત્વમાં પોતાનું યોગદાન આપ્યું હતું. વિજયરાય વૈદ્ય કૌમુદીની જેમ જ માનસીના અંક પ્રસિદ્ધ કરવામાં નિયમિતતા જાળવી શક્યા નહતા. માનસીના વાંચકોને જૂન 1939 તેમજ સપ્ટેમ્બર 1939ના અંક રૂપે પોતાનું પુસ્તક જૂઈ અને કેતકી મોકલી પુસ્તકને જ અંક તરીકે ગણી લેવાની વિનંતી કરવામાં આવી હતી. વિજયરાય વૈદ્ય માનસીને સર્જન અને ચિંતનની ગ્રંથશ્રેણી તરીકે ઓળખાવતા હતા. તેઓ માનસી એટલે સકલ મનોવ્યાપારનો આવિર્ભાવ એવું કહેતા હતા. ડેમી સાઈઝના ત્રીમાસિક માનસીના મુખપૃષ્ઠ પર એક ચિત્ર આવતું હતું જેમાં ભગવાન શંકર અને તેમના આયુધો દર્શવાતા હતા. આ સામયિકમાં વાર્તા, કવિતા, નાટક, નિબંધ, પ્રવાસવર્ણન, જીવનચરિત્ર, શબ્દચિત્ર અને વિવેચન આવતા હતા, નિકષ, મનન, મંજુષા, વાસરિકા જેવા વિવિધ વિભાગોમાં ગ્રંથસમીક્ષા, ચિંતનાત્મક, પ્રેરણાત્મક લખાણો, હિંદી-સંસ્કૃત સાહિત્યની જાણકારી, સાંપ્રત સાહિત્યિક ઘટનાઓની ચર્ચા આવતા હતા. માનસીમાં વિશ્વનાથ ભટ્ટ, ડોલરરાય માંકડ, અંબાલાલ પુરાણી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, દુર્ગાશંકર શાસ્ત્રી, ધનસુખલાલ મહેતા, કે.કા. શાસ્ત્રી વગેરે લેખકોના લેખો આવતા હતા. વિજયરાય વૈદ્યએ વાંચકોને વિશેષાંકોની ભેટ આપવાની પરંપરા માનસીમાં જાળવી રાખી હતી. ધનસુખલાલ મહેતા સ્મૃતિ અંક (1940), ધ મૂન ઈઝ ડાઉન – મૂળશંકર ભટ્ટ દ્વારા જ્હોન સ્ટાઈન બેકની અનુવાદિત નવલકથા (1942), આનંદ શંકર ધ્રુવ સંસ્મરણ અંક (1947) અને બટુભાઈ ઉમરવાળી (1950) માનસીના મુખ્ય વિશેષાંક હતા. માનસી અઢી દાયકા જેટલું ચાલીને ડિસેમ્બર 1960માં બંધ પડ્યું હતું. વિજરાય વૈદ્યએ કૌમુદી અને માનસી પછી રોહિણી સામયિક પ્રગટ કરવાનું શરૂ કર્યું હતું.

You Might Also Like

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

ખાસ-ખબરની છ વર્ષની ખબર

TAGGED: JOURNALISM, kaumudi, manshi, sharda
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જમ્મૂ-કાશ્મીર: ટેરર ફંડિંગ કેસમાં જમ્મૂ અને ડોડા જિલ્લામાં NIAએ પાડયા દરોડા
Next Article મોરબી નગરપાલિકાના મેદાનમાં જ દેશી દારૂનો ઢીંચતો શખ્સ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા
રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું
MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?