ધર્મધ્વજની સમાન્તર રાષ્ટ્રધ્વજ લહેરાય તેવા શ્રી રૂદ્રેશ્ર્વર જાગીર ભારતી આશ્રમનાં
મહંત શ્રી ઇન્દ્રભારતીબાપુની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત
- Advertisement -
જૂનાગઢનાં ભવનાથ તળેટીમાં મુખ્ય ધાર્મીક સ્થાનો અને આશ્રમો આવેલા છે. અહીં મુખ્ય આશ્રમોમાં રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમ બધાથી અલગ ઓળખાઇ છે. અહીં પ્રવેશતા જ અલૌકિક ઉર્જાની અનુભુતી થાય છે. અહીંથી ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવા અને સમૃદ્ધ સંસ્કૃતીને ફેલાવવાની સાથે રાષ્ટ્રપ્રેમની લાગણી અને રાષ્ટ્ર પ્રથમની ભાવની જ્યોત પ્રજ્વલીત છે. શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમમાં ધર્મધ્વજની સમાન્તર રાષ્ટ્રધ્વજ લહેરાય છે. અહીં 24 કલાક અને 365 દિવસ રાષ્ટ્રધ્વજ ફરકતો રહે છે. રાષ્ટ્રભાવ દરેકમાં જગાવનાર ભેખધારી શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમનાં શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુની ખાસ ખબર સાથે વિશેષ મુલાકાત…
પૂર્વાશ્રમમાં સાયકલ ઉપર નોકરીએ જતાં: સંન્યાસી બન્યા બાદ ફરી ગૃહસ્થ બન્યા, માતાની અનુમતીથી સન્યાસી બન્યાં
- Advertisement -
આઝાદી કા અમૃત મહોત્સવની દેશમાં ઉજવણી થઇ રહી છે. 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દરેક ઘર પર તિરંગો લહેરાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. આઝાદીનાં 75 વર્ષની ઉજવણી દેશભરમાં થઇ રહી છે. ત્યારે દેશની આઝાદી માટે સંન્યાસીઓ, સંતો, મહંતોનાં બલિદાનો પણ ભુલી શકાય નહી. સંતો, મહંતોએ આઝાદી પહેલાં દેશમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવનાની જ્યોત પ્રજ્વલીત રાખી હતી. આઝાદીનાં 75 વર્ષ પછી પણ દેશમાં સંન્યાસી, સંતોની એટલી જ ભૂમિકા છે જેટલી આઝાદી પહેલા હતી. રાષ્ટ્રભાવનાની જ્યોત આજે પણ ભવનાથ સ્થિત શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમમાં પ્રગટી રહી છે. ગીરનાર મંડળનાં પ્રમુખ અને શ્રી પંચદશનામ જુના અખાડા કાશીનાં આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુ ગુરૂ પ્રેમભારતીબાપુનાં સાનીધ્યમાં રાષ્ટ્રધર્મનો ફેલાવો થઇ રહ્યો છે. શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમ બે સ્થળે આવેલા છે. એક ઘાંટવડ અને બીજો ભવનાથ. આ ઉપરાંત મુંબઇ, દ્વારકા, કચ્છમાં પણ આશ્રમ આવેલા છે. પરંતુ ઘાંટવડમાં આવેલા આશ્રમ ગુરૂગાદી આશ્રમ છે. ઘાંટવડનાં આશ્રમની જગ્યા અતિપ્રાચીન અને પાંડવો સાથે જોડાયેલી છે. પુરાણોનાં ઉલ્લેખ મુજબ ભારતમાં વિશ્ણુ ગયા, બ્રહ્મ ગયા અને રૂદ્ર ગયા તીર્થ છે. રૂદ્ર ગયા પ્રભાસ તીર્થ હાલ ગીર સોમનાથમાં આવેલું છે. પુરાણોનાં ઉલ્લેખ મુજબ પાંડવો અને માતા કુંતી અહીં આવ્યા હતાં. અર્જૂનનો નિયમ હતો કે ભગવાન શિવની પુજા કરીને ભોજન લેવું. એકાદશીનાં નિરજળા ઉપવાસ હતાં. બારસનાં દિવસે ભીમને ખુબ જ ભુખ લાગી. ભીમે માટીનાં ઘડો ઉંધો કરી તેની શિવ લીંગ બનાવી અને અર્જૂન કહ્યું કે તું અહીં પુજા કરી લે. અર્જૂને પુજા કરી લીધી.બાદ પાંડવો અને માતાએ ભોજન લીધી. બાદ ભીમે કહ્યું અર્જૂન મે તારું વ્રત તોડાવી નાખ્યું. તે શિવ લીંગ નહીં માટીનો ઘડો છે. અર્જૂન કહે, મને તો મહાદેવનો ભાષ થયો છે.
રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમમાં 24 કલાક અને 365 દિવસ રાષ્ટ્રધ્વજ લહેરાય: આશ્રમમાં ક્રાંતિકારીઓની તસવીરો
આશ્રમમાં સંતવાણીનાં કાર્યક્રમમાં પહેલાં રાષ્ટ્રગાન પછી ગણેશવંદના
શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમમાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવે છે. તેમજ આશ્રમમાં સંતવાણી કે ભજનનાં કાર્યક્રમ હોય ત્યારે સ્ટેજ પર પહેલા રાષ્ટ્રગાન થાય છે. બાદ ગણેશવંદના પછી કાર્યક્રમની શરૂઆત થયા છે. આશ્રમમાંથી ગુજરાતનાં નામી અનામી કલાકારોને સ્ટેજ મળ્યું છે. આજે કલાકારો દેશભક્તનાં ગીતો સ્ટેજ પરથી ગાતા થયા હોય તો તેનો શ્રેય શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમને જાય છે. આજે પણ 15મી ઓગસ્ટ પહેલા દરેક લોકો ઘેર તિરંગો લહેરાવે તેવી મુહીમમાં શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુ જોડાયા છે. લોકોને સંદેશ આપી રહ્યાં છે.
બાદ ભીમ પોતાની ગદાથી માટીનાં ઘડાનાં બનાવેલા શિવ લીંગ ઉપર પ્રહાર કરે છે. તેમાથી રૂદ્રની ધારા વહેવા લાગે છે. ત્યારથી રૂદ્રેશ્ર્વર મહાદેવનાં નામે ઓળખાય છે.આજે પણ જે શિવ લીંગ છે, તેની જમણી બાજુ ખંડિત છે. આજે પણ અનેક લોકો, સંતો, સંન્યાસીઓને અહીંથી રૂદ્રની ધારા નિકળતી હોવાની અનુભુતી થઇ છે. રાજા નહુસ શાપમાંથી મુક્તિ માટે અહીં શાપ સ્વરૂપે આવ્યા હતાં. જેના લીસોટા આજે પણ જોવા મળે છે. શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમ ઘાંટવડ બાદ 2007માં ભવનાથમાં આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. આજે ભવનાથનાં આશ્રમોમાં પ્રથમ હરોળમાં આશ્રમનું સ્થાન છે. શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમનાં શ્રી મહંત ઇન્દ્રભારતી બાપુનો જન્મ કચ્છનાં જખૌમાં થયો હતો. મોસાળમાં મોટા થયા હતાં. 14 વર્ષની ઉંમરે ભેખધારણ કર્યો હતો. ધર્મની સાથે રાષ્ટ્રપ્રેમનાં સંસ્કાર ગ્રહણ કર્યા હતાં. શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુનાં આશ્રમમાં 365 દિવસ રાષ્ટ્રધ્વજ ફરકતો જોવા મળે છે. રાષ્ટ્રપ્રેમનાં સંસ્કાર શ્રી ઇન્દ્રભારતીબાપુને તેમનાં નાનીમા શ્રી મમ્મીબાઇ કલ્યાણગીરી ગૌસ્વામી અને માતા જમનાબાઇ શીવગીરી ગૌસ્વામી પાસે મળ્યાં હતાં. માતા બાપુને હંમેશા કહેતા, બેટા રાષ્ટ્ર પહેલા પછી ધર્મ. રાષ્ટ્રપ્રેમનાં સંસ્કાર માવતરમાંથી મળ્યાં. આજે આશ્રમમાં 24 કલાક અને 365 દિવસ તિરંગો લહેરાય છે. તેમજ આશ્રમમાં ક્રાંતિકારીઓની તસવીરો જોવા મળે છે. પૂર્વાશ્રમમાં બાપુ સાયકલ ઉપર નોકરીએ જતા હતા અને સેલ્સમેનની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. સન્યાસ બાદ ભાઇનું નિધન થયું. એક ભાઇ અલગારી જીવન જીવતા હતાં. માતાએ કહ્યું મારૂં કોણ? બાદ બાપુ ફરી ગૃહસ્થ જીવનમાં ગયા. સાત વર્ષ માતા સાથે રહ્યાં. બાદ માતાની આજ્ઞાનાં મેળવી ફરી ભગવાધારણ કરી લીધા અને 1999માં દિગમ્બર દિક્ષા લીધી.
ઘાંટવડ આશ્રમમાં શિવ લિંગની સ્થાપનાં પાંડવોએ કર્યાનો પુરાણોમાં ઉલ્લેખ: 2007થી ભવનાથમાં આશ્રમ
પિતૃક અને મોસાળ પક્ષમાં માત્ર એક બહેન જ હયાત છે
શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમનાં શ્રી મહંત ઇદ્રભારતીબાપુનાં પિતૃક પરિવાર કે મોસાળ પરિવારમાં માત્ર બાપુનાં બહેન જ હયાત છે. દુરનાં સંગા છે. પરંતુ પિતૃક કે મોસાળ પરિવારનાં કોઇ હયાત નથી. બાપુનું વતન કચ્છનુ જખૌ છે. બાપુનું બાળપણ નાનીમા પાસે વીત્યું હતું.
સંતનાં દાતારીનાં કિસ્સાની દેશભરનાં મીડિયાએ નોંધ લીધી હતી
કે.રસીકલાલ એન્ડ કંપનીનાં માલીક બાબુલીનભાઇએ 2004માં શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુને જમીન આપી હતી.દાતાનો નબળો સમય આવ્યો અને તેની માહિતી બાપુને મળી ત્યારે બાપુએ તે જમીન પરત આપી હતી. જ્યારે શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુને જમીન આપી હતી ત્યારે લાખોની હતી અને પરત આપી ત્યારે કરોડોની હતી. આ ઘટનાની ગુજરાતી અને હિન્દી મિડિયાએ પણ નોંધ લીધી હતી. હંમેશા પોતાનાં ભક્તો અને સેવકોનાં પડખે ઢાલ બનીને શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુ ઉભા રહ્યાં છે.