By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    12 hours ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    12 hours ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    1 day ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    2 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    12 hours ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    12 hours ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    13 hours ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    1 day ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    2 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    6 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    6 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    6 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    12 hours ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    10 hours ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    2 days ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    2 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    4 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અગ્રલેખ એટલે અખબાર કે સામયિકનો અવાજ: તંત્રીલેખ અને તંત્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > અગ્રલેખ એટલે અખબાર કે સામયિકનો અવાજ: તંત્રીલેખ અને તંત્રી
AuthorBhavy Raval

અગ્રલેખ એટલે અખબાર કે સામયિકનો અવાજ: તંત્રીલેખ અને તંત્રી

Khaskhabar Editor
Last updated: 2022/06/04 at 6:06 PM
Khaskhabar Editor 4 years ago
Share
11 Min Read
SHARE

તંત્રીલેખ અખબાર કે સામયિકના સમગ્ર તંત્રને ચલાવનાર, અખબાર કે સામયિકનો મુખ્ય સૂત્રધાર એટલે તંત્રી. અંગ્રેજીમાં જેને ઊમશજ્ઞિિં કહેવાય છે તેને ગુજરાતીમાં તંત્રી કે સંપાદક કહેવાય છે. તંત્રીલેખને અંગ્રેજીમાં ઊમશજ્ઞિંશિફહ અથવા કયફમયિ કહેવાય છે. તંત્રી કે સંપાદક જે લેખ લખે તેને ગુજરાતીમાં તંત્રીલેખ કે અગ્રલેખ કહેવાય છે. તંત્રીલેખને સામાન્ય રીતે અગ્રલેખ તરીકે નિર્દેશાય છે. તંત્રી કે સંપાદક દ્વારા લખવામાં આવેલા તંત્રીલેખ કે અગ્રલેખને સંપાદકીય લેખ પણ કહેવાય છે. સંપાદકીય લેખમાં તંત્રી કે સંપાદક કોઈપણ ગરમાગરમ વિષય કે તરોતાજા ઘટનાઓ પર લખે છે. તંત્રીલેખમાં તંત્રી અખબારોની નીતિ, વિચાર અને વિચારધારા રજૂ કરે છે. અગ્રલેખને કોઈપણ અખબાર કે સામયિકનો અવાજ ગણવામાં આવે છે. અખબાર કે સામયિકનો કોઈ વિષય પરનો પોતાનો અભિપ્રાય અગ્રલેખમાં હોય છે. તંત્રીલેખ – અગ્રલેખ પત્રની વિચારધારાનું પ્રતિબિંબ છે. એડિટર દ્વારા એડિટોરિયલ્સમાં પેપરની પોલિસીને પ્રસ્તુત કરવામાં આવે છે.

તંત્રી પોતાના સ્થાનેથી જે લેખ લખે તેને તંત્રીલેખ કહેવાય છે, તેથી તંત્રીલેખમાં નીચેની બાજુએ તંત્રીસ્થાનેથી લખેલું વાંચવા મળે છે. અસરકારક તંત્રીલેખ લખવા માટે કેટલીક બાબતો અનિવાર્ય છે જેમ કે, એક આદર્શ સંપાદકીય લેખન 600થી 800 શબ્દોમાં તેમજ ત્રણ ફકરામાં હોવું જોઈએ. તંત્રીલેખનું લખાણ સન્ક્ષિપ્તમાં અને સચોટ હોવું જોઈએ. તંત્રીલેખમાં વિશ્વસનીયતા, આત્મીયતા, રસિકતા જેવા ગુણો હોવા જોઈએ. તંત્રીલેખ વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખી લખેલો હોવો જોઈએ. તંત્રીલેખ અખબારના નીતિ-નિર્માણના તત્વો સાથે જોડાયેલો હોવો છે. તંત્રીલેખનું લેખન પક્ષપાતથી મુક્ત રહીને તટસ્થતાપૂર્વક સરળ અને સ્પષ્ટ ભાષામાં થયેલું હોવું જોઈએ. તંત્રીલેખ વ્યક્તિગત પૂર્વગ્રહથી મુક્ત રહીને ચોક્કસ વિચાર અને દૃષ્ટિકોણ રજૂ કરનારો હોવો જોઈએ. તંત્રીલેખમાં સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચારની સમજ, ત્યારબાદ સમગ્ર સમાચાર પર અભિપ્રાય કે વિચાર અને અંતમાં સમાચારની સમજ પર રજૂ કરેલા અભિપ્રાય કે વિચારનું નિષ્કર્ષના આપવામાં આવેલું હોવું જોઈએ.

- Advertisement -

અખબાર કે સામયિકમાં એડિટર પેઈજ હોય છે. એડિટર પેઈજને તંત્રીનું પાનું કહેવાય છે. તંત્રીના પાનામાં ડાબી બાજુ શીર્ષ પર એક ઉભા પટ્ટામાં, ત્રણથી ચાર કોલમ જેટલી જગ્યામાં તંત્રીલેખ પ્રકાશિત કરવામાં આવે છે. તંત્રીલેખ વાસ્તવમાં તંત્રી કે સંપાદક દ્વારા લખાવવો જોઈએ પરંતુ મોટાભાગના તંત્રીલેખ સહતંત્રી કે ઉપસંપાદક દ્વારા લખવામાં આવે છે. પહેલાના સમયમાં તંત્રી ભાગ્યે જ તંત્રીલેખ સિવાય કશું લખતા હતા તો હાલના સમયમાં તંત્રી પોતે જ તંત્રીલેખ લખતાં હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આજકાલ તંત્રીઓ પાસે તંત્રીલેખના લેખન સિવાય અઢળક લેખનકાર્ય હોય છે. તંત્રીઓ દ્વારા તંત્રીલેખ લખવામાં આવતા ન હોવાથી તેની ગુણવત્તા પર અસર પડી છે. ગુજરાતી પત્રકારત્વના શરૂઆતના સમયગાળામાં તંત્રીલેખનું મહત્વ જબરદસ્ત હતું પરંતુ આઝાદી બાદ તંત્રીલેખની અસર કમશ: ઘટતી આવી છે. જેઓ પોતાનું નામ-સરનામું પણ ભૂલ વિના લખી શકતા નથી તેઓ ભૂલભૂલમાં તંત્રી બની બેઠા છે કે બનાવી દેવામાં આવ્યા છે! તળિયા વગરની વિચારધારા ધરાવતા તંત્રીઓ તંત્રીલેખ લખી શકતા નથી એટલે બીજા પાસે લખાવે છે! વધુ એક દુ:ખદ બાબત છે, એકવીસમી સદીમાં નવી પેઢીના વાંચકોને તંત્રીલેખ કોને કહેવાય, તંત્રીલેખ કોણ લખે છે, અખબાર કે સામયિકમાં તંત્રીલેખ કઈ જગ્યાએ હોય છે તેની ખબર હોતી નથી!

તંત્રી અંગ્રેજી શબ્દ ઊમશજ્ઞિિં છે. તેનો અર્થ સંપાદક થાય છે. જે સમાચારોનું સંપાદન કરે છે તેને ગુજરાતીમાં તંત્રી કે સંપાદક કહેવાય છે. અંગ્રેજીમાં શબ્દ ઊમશશિંક્ષલ છે, સંસ્કૃતમાં શબ્દ ર્લૈક્ષળડણ છે. સંસ્કૃતમાં ર્લૈક્ષળડણ શબ્દનો અર્થ પૂર્ણ કરવું કે મેળવવું એવો છે. ગુજરાતી પત્રકારત્વમાં તંત્રી કે સંપાદક દ્વારા થતું સંપાદન એટલે સમાચાર, લેખ, ભાષા, તસવીરો વગેરેમાં જરૂરી સુધારા-વધારા કરી તેને પ્રકાશનક્ષમ બનાવવાની પ્રક્રિયા. સંપાદન કરનાર વ્યક્તિને સંપાદક તરીકે ઓળખવામાં આવે છે, તંત્રીને પણ સંપાદક કહેવાય છે. તંત્રી સંપાદનક્રિયા કરે છે. સંપાદન એક મહત્વપૂર્ણ કામ છે. સંપાદકની કામગીરી સૌથી વધુ જટિલ અને જવાબદારીવાળી હોય છે. તંત્રી – સંપાદક એ સમાચાર પત્રનો સારથિ છે. અખબાર કે સામયિકના તમામ તંત્રનો સંચાલક એટલે તંત્રી. તંત્રી – સંપાદક સાથે સહતંત્રી, સહસંપાદક, ઉપતંત્રી, ઉપસંપાદક પણ હોય છે. એડિટર જેટલું જ કાર્ય ડેપ્યુટી એડિટર, સબ એડિટર, એસોસિએટ એડિટરનું હોય છે. એક અખબાર કે સામયિકમાં તંત્રી સાથે એકથી વધુ સહતંત્રી, સહસંપાદક, ઉપતંત્રી, ઉપસંપાદક હોય છે. અખબારો કે સામયિકોમાં રહેલી નાની-મોટી ક્ષતિ દૂર કરી સમાચાર, લેખ, ભાષા, તસવીરો વગેરેને પ્રસિદ્ધ કરવા જેવી બનાવનાર – સૂચવનાર તંત્રી કે સંપાદક હોય છે.

પત્રકારત્વમાં તંત્રી – સંપાદકનું પદ સર્વોપરી માનવામાં આવે છે, પત્રની નીતિનું નિર્ધારણ કરનાર અને તેને અમલમાં મૂકનાર તંત્રી – સંપાદક હોય છે. તંત્રી – સંપાદક ક્યાં સમાચાર પ્રસિદ્ધ કરવા, ક્યાં સમાચાર પ્રસિદ્ધ ન કરવા, ક્યાં સમાચારને કેટલી માત્રામાં મહત્વ આપવું કે ન આપવું એ વિશે તો નિર્ણય લે જ છે

- Advertisement -

ટૂંકમાં અત્ર, તત્ર, સર્વત્રથી જે સમાચાર સામગ્રીઓ તંત્રીવિભાગમાં આવે છે તે સમાચાર સામગ્રીઓમાંથી આખરી પસંદગી કરીને તેને પ્રકાશન યોગ્ય કરવાની પ્રક્રિયાને સંપાદન કહી શકાય, આ જવાબદારી નિભાવનાર વ્યક્તિને સંપાદક – તંત્રી તરીકે ઓળખી શકાય. આ કાર્ય સહતંત્રી, સહસંપાદક, ઉપતંત્રી, ઉપસંપાદક પણ કરતા હોય છે. કેટલાંક અખબારોમાં તંત્રી અને સંપાદક બંને હોય છે. કેટલાંક અખબારોમાં એકથી વધુ તંત્રી અને સંપાદક હોય છે. જે-તે શહેરની અલગ આવૃત્તિ હોય તો ત્યાં નિવાસી તંત્રી પણ નિયુક્ત કરેલા હોય છે. એક ઉત્તમ તંત્રીમાં પત્રકારત્વ સિવાય કાયદાનું જ્ઞાન હોવું જરૂરી જોઈએ. વિવિધ ક્ષેત્રોના અનુભવોના નીચોડ સિવાય તંત્રી બનવા માટેની યોગ્યતા તથા પ્રતિભા પણ આવશ્યક છે. તદુપરાંત તંત્રી પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ. તંત્રીમાં ધીરજ, સંયમ, પ્રામાણિકતા, નિષ્ઠા જેવા ગુણો પણ હોવા જોઈએ. તે સ્વસ્થ્ય માનસિકતા, મજબૂત મનોબળ સાથે આત્મવિશ્વાસથી છલોછલ નીડર અને ઉત્સાહી હોવો જોઈએ. તંત્રી સમયની કદર કરનારો અને સંજોગને ઓળખી જનારો હોવો જોઈએ. વધુમાં તંત્રી કોઈપણ ઘટના કે સમાચાર પાછળનાં તથ્યને પારખી શકે તેવો હોશિયાર હોવો જોઈએ. અન્યથી વધુ આવડત અને અન્ય કરતા વધુ અનુભવ તંત્રીને તાકાતવર બનાવે છે. તંત્રી – સંપાદકનો કાંટાળો તાજ પહેરી તમામ જવાબદારી પર ખરું ઉતરવું જેવા તેવાનું કામ નથી એટલે તંત્રી – સંપાદક બનવા માટે સૌ પ્રથમ વર્ષોનું તપ અને સદીઓની સાધના જોઈએ.

પત્રકારત્વમાં તંત્રી – સંપાદકનું પદ સર્વોપરી માનવામાં આવે છે. પત્રની નીતિનું નિર્ધારણ કરનાર અને તેને અમલમાં મૂકનાર તંત્રી – સંપાદક હોય છે. તંત્રી – સંપાદક ક્યાં સમાચાર પ્રસિદ્ધ કરવા, ક્યાં સમાચાર પ્રસિદ્ધ ન કરવા, ક્યાં સમાચારને કેટલી માત્રામાં મહત્વ આપવું કે ન આપવું એ વિશે તો નિર્ણય લે જ છે, અહીંથી તેમનું કાર્ય પૂર્ણ ન થતા તંત્રીલેખ, અન્ય લેખો તેમજ વાચકોના પત્રો વગેરેની પસંદગી-નાપસંદગી પણ કરવાની હોય છે. તમામ સમાચાર સામગ્રી તપાસવી, તેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવા વગેરે કામગીરી સાથે ક્યાં પત્રકારને ક્યાં ક્ષેત્રનું રિપોટિંગ સોંપવું, ક્યાં પત્રકારને કોની મુલાકાત કરવી? ક્યાં સવાલો પૂછી શકાય કે કઈ નવી સ્ટોરી કરી શકાય તેની પણ જાણકારી આપતી રહેવી પડે છે. ક્યાં પાનાં પર ક્યાં સમાચાર લેવા? પેઈજનું પ્રૂફ ચકાસવું વગેરે વગેરે.. વળી આ બધા સાથે પોતાનું પણ લેખનકાર્ય કરવાનું તો ખરું જ. એક આખા અખબાર કે સામયિકનું સંચાલન – સંકલન કરવાનું કાર્ય એકમાત્ર તંત્રી – સંપાદકના શિરે હોય છે અને એટલે જ કોઈપણ અખબારી તંત્રની સફળતા કે નિષ્ફળતા માટે માત્રને માત્ર જવાબદાર જો કોઈ હોય તો એ છે : તંત્રી – સંપાદક.

વધારો : આજનો પત્રકાર એ આવતીકાલનો તંત્રી છે!

પત્રકારત્વનું સર્વોપરી
પદ: તંત્રી – સંપાદક,
પત્રનું મહત્વપૂર્ણ અંગ: તંત્રીલેખ – સંપાદકીય લેખન

તંત્રીમાં પત્રકારત્વ સિવાય કાયદાનું જ્ઞાન હોવું જરૂરી જોઈએ, વિવિધ ક્ષેત્રોના અનુભવોના નીચોડ સિવાય તંત્રી બનવા માટેની યોગ્યતા તથા પ્રતિભા પણ આવશ્યક છે, તદુપરાંત તંત્રી પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ. તંત્રીમાં ધીરજ, સંયમ, પ્રામાણિકતા, નિષ્ઠા જેવા ગુણો પણ હોવા જોઈએ

ટૂંકમાં અત્ર, તત્ર, સર્વત્રથી જે સમાચાર સામગ્રીઓ તંત્રીવિભાગમાં આવે છે તે સમાચાર સામગ્રીઓમાંથી આખરી પસંદગી કરીને તેને પ્રકાશન યોગ્ય કરવાની પ્રક્રિયાને સંપાદન કહી શકાય, આ જવાબદારી નિભાવનાર વ્યક્તિને સંપાદક – તંત્રી તરીકે ઓળખી શકાય. આ કાર્ય સહતંત્રી, સહસંપાદક, ઉપતંત્રી, ઉપસંપાદક પણ કરતા હોય છે. કેટલાંક અખબારોમાં તંત્રી અને સંપાદક બંને હોય છે. કેટલાંક અખબારોમાં એકથી વધુ તંત્રી અને સંપાદક હોય છે. જે-તે શહેરની અલગ આવૃત્તિ હોય તો ત્યાં નિવાસી તંત્રી પણ નિયુક્ત કરેલા હોય છે. એક ઉત્તમ તંત્રીમાં પત્રકારત્વ સિવાય કાયદાનું જ્ઞાન હોવું જરૂરી જોઈએ. વિવિધ ક્ષેત્રોના અનુભવોના નીચોડ સિવાય તંત્રી બનવા માટેની યોગ્યતા તથા પ્રતિભા પણ આવશ્યક છે. તદુપરાંત તંત્રી પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ. તંત્રીમાં ધીરજ, સંયમ, પ્રામાણિકતા, નિષ્ઠા જેવા ગુણો પણ હોવા જોઈએ. તે સ્વસ્થ્ય માનસિકતા, મજબૂત મનોબળ સાથે આત્મવિશ્વાસથી છલોછલ નીડર અને ઉત્સાહી હોવો જોઈએ. તંત્રી સમયની કદર કરનારો અને સંજોગને ઓળખી જનારો હોવો જોઈએ. વધુમાં તંત્રી કોઈપણ ઘટના કે સમાચાર પાછળનાં તથ્યને પારખી શકે તેવો હોશિયાર હોવો જોઈએ. અન્યથી વધુ આવડત અને અન્ય કરતા વધુ અનુભવ તંત્રીને તાકાતવર બનાવે છે. તંત્રી – સંપાદકનો કાંટાળો તાજ પહેરી તમામ જવાબદારી પર ખરું ઉતરવું જેવા તેવાનું કામ નથી એટલે તંત્રી – સંપાદક બનવા માટે સૌ પ્રથમ વર્ષોનું તપ અને સદીઓની સાધના જોઈએ.

પત્રકારત્વમાં તંત્રી – સંપાદકનું પદ સર્વોપરી માનવામાં આવે છે. પત્રની નીતિનું નિર્ધારણ કરનાર અને તેને અમલમાં મૂકનાર તંત્રી – સંપાદક હોય છે. તંત્રી – સંપાદક ક્યાં સમાચાર પ્રસિદ્ધ કરવા, ક્યાં સમાચાર પ્રસિદ્ધ ન કરવા, ક્યાં સમાચારને કેટલી માત્રામાં મહત્વ આપવું કે ન આપવું એ વિશે તો નિર્ણય લે જ છે, અહીંથી તેમનું કાર્ય પૂર્ણ ન થતા તંત્રીલેખ, અન્ય લેખો તેમજ વાચકોના પત્રો વગેરેની પસંદગી-નાપસંદગી પણ કરવાની હોય છે. તમામ સમાચાર સામગ્રી તપાસવી, તેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવા વગેરે કામગીરી સાથે ક્યાં પત્રકારને ક્યાં ક્ષેત્રનું રિપોટિંગ સોંપવું, ક્યાં પત્રકારને કોની મુલાકાત કરવી? ક્યાં સવાલો પૂછી શકાય કે કઈ નવી સ્ટોરી કરી શકાય તેની પણ જાણકારી આપતી રહેવી પડે છે. ક્યાં પાનાં પર ક્યાં સમાચાર લેવા? પેઈજનું પ્રૂફ ચકાસવું વગેરે વગેરે.. વળી આ બધા સાથે પોતાનું પણ લેખનકાર્ય કરવાનું તો ખરું જ. એક આખા અખબાર કે સામયિકનું સંચાલન – સંકલન કરવાનું કાર્ય એકમાત્ર તંત્રી – સંપાદકના શિરે હોય છે અને એટલે જ કોઈપણ અખબારી તંત્રની સફળતા કે નિષ્ફળતા માટે માત્રને માત્ર જવાબદાર જો કોઈ હોય તો એ છે : તંત્રી – સંપાદક.

વધારો : આજનો પત્રકાર એ આવતીકાલનો તંત્રી છે!

You Might Also Like

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

TAGGED: ARTICLE, EDITORIAL
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તમામ પ્રકારનાં દુન્યવી સુખો ક્ષણિક અને નાશવંત
Next Article અસામાન્ય સવાલો, અકલ્પ્ય જવાબો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNગુજરાત

રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
એમ્બ્યુલેન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : એમપીથી શબપેટીમાં દારૂ-બિયર સંતાડી રાજકોટ લાવતા બે શખ્સ ઝડપાયા
ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો
નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ
જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
Author

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
Author

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?