By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    3 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    4 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    4 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    5 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    2 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    3 days ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    3 days ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    3 days ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    3 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    3 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    4 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    3 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    4 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    5 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    6 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અસામાન્ય સવાલો, અકલ્પ્ય જવાબો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > અસામાન્ય સવાલો, અકલ્પ્ય જવાબો
ASTROLOGERAuthorRajesh Bhatt

અસામાન્ય સવાલો, અકલ્પ્ય જવાબો

Khaskhabar Editor
Last updated: 2022/06/04 at 6:09 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

આપણાં મનમાં વાસ્તુ વગેરેને લગતાં અગણિત પ્રશ્ર્નો ઉદ્દભવે છે, આવાં અનેક સવાલોનાં જવાબ અહીં મળી રહે છે…

પ્રશ્ર્ન 1 : અમારા ઘર પાસે મધમાખીએ પૂડો (મધપૂડો) બનાવ્યો છે તો તે વાસ્તુ મુજબ શુભ છે?
જવાબ : મધમાખીનો પૂડો એટલે કે મધપૂડો ઘરની આસપાસ થાય તો તે શુભ ઊર્જા છે કે અશુભ તે અંગે ઘણી લોકમાન્યતાઓ છે. આ લેખમાળાની શરૂઆતના અંકોમાં પૃથ્વીની નીચેથી આવતી નકારાત્મક ઊર્જા વિશે આપણે વિગતવાર ચર્ચા કરી હતી. જેમાં પશુ-પંખી પર આ નકારાત્મક ઊર્જાની અસર અને શુભ ઊર્જાને પસંદ કરતાં પ્રાણીઓ અને અશુભ ઊર્જાને પસંદ કરતાં પ્રાણીઓ વિશે પણ વાત કરી હતી.

- Advertisement -

જેવી રીતે ગાય, કૂતરો, ઘોડો, ઘેટું વગેરે પ્રાણીઓ જમીનની સારી ઊર્જાને પસંદ કરે છે. જ્યારે સાપ, બિલાડી, કીડી, ઉધઈ અને મધમાખી જમીનની નેગેટિવ ઊર્જાને પસંદ કરે છે. એક વાત ખાસ યાદ રાખશો, આ પ્રાણીઓ શુભ કે અશુભ નથી પરંતુ તેમની પસંદગી સારી કે ખરાબ ઊર્જા તરફના આકર્ષણની છે. આ જ રીતે મધમાખી પણ જમીનની નકારાત્મક ઊર્જામાં વધુ સાનુકુળ રહે છે, ક્યારેક આવી નકારાત્મક ઊર્જા પણ તેનો મધપૂડો બનાવે તો ત્યાં મધનું વધુ ઉત્પાદન પણ કરી શકે છે, માટે ઘરની આસપાસ મધપૂડો બનાવે તો ત્યાં કોઈ જમીનની ઊર્જાની નકારાત્મક લાઈન હોવાની શક્યતા રહેલ છે.

પ્રશ્ર્ન 2 : ઘરની અંદર બીમારી સતત રહેતી હોય છે અને દવા લેવાનું પ્રમાણ પણ વધારે હોય છે, તો વાસ્તુ મુજબ દવાઓ કઈ દિશામાં રાખવી, જેનાથી તેની સારી અસર બીમારી પર થાય?
જવાબ : જો ઘરની અંદર સતત બીમારી રહેતી હોય તો તે થવાના કારણો સમજવા જોઈએ. કેમકે ફકત દવા સાચી દિશામાં રાખવાથી બીમારી દૂર નહીં થાય. ઘરની અંદર ઉદ્ભવેલા ભૂમિદોષ કે વાસ્તુદોષને લઈ બીમારી થઈ શકે છે અને બધા જ રિપોર્ટ નોર્મલ હોવા છતાં બીમારી ઠીક ન થવી કે કોઈ દવા લાગુ ન પડવી તેવા કિસ્સાઓ પણ અમોએ અનુભવ્યા છે. ઘણાં કિસ્સામાં ભાગ્ય આધિન કર્મપીડા કે ગ્રહદોષ પણ જવાબદાર હોઈ શકે છે.

જમીન દોષને કારણે રહેતી બીમારીના કિસ્સામાં સૂવાની જગ્યા બદલવાથી પણ સારા પરિણામો જોવા મળ્યા છે. અને તે જ દવાની અસર અનેકગણી વધી ગઈ હોય તેવું પણ અનુભવ્યું છે એટલે જો દવા અસર જ ન કરતી હોય તેવું લાગતું હોય તે લોકોએ પોતાની સૂવાની જગ્યા કે બેડની પોઝિશન બદલીને પણ અનુભવ કરી શકાય. ઘણાં લોકો પોતાની બીમારી સાથે જ્યારે ઘરની બહાર રહે છે ત્યારે પણ ઘણું સારૂં લાગતું હોય છે, જે સૂચવે છે કે જગ્યાના પ્રભાવને લઈને બીમારી વધારે તકલીફ આપે છે, એની-વે, વાસ્તુ પ્રમાણે દવા ઘરના ઈશાન ખૂણામાં રાખવી જોઈએ.
જો ઘરના ઈશાન ખૂણામાં પર્યાપ્ત જગ્યા ન હોય તો ઉત્તર દિશામાં દવાઓ રાખી શકાય. આ દિશામાં રાખેલી દવાઓ બીમારીઓમાં રાહત આપવામાં સહાયરૂપ બનશે.

- Advertisement -

ઘણી વખત ડાયાબિટીસ કે બ્લડપ્રેશર જેવી બીમારીઓમાં જીવનભર દવાઓ લેવાની હોય છે તો દવાની સારી અસર થાય અને બીમારી નિયંત્રણમાં રહે તે માટે તેને ઈશાન ખૂણામાં રાખવી.

પ્રશ્ર્ન 3 : અમારી ફેકટરીમાં કામદારોની સમસ્યાઓ કાયમ રહે છે. બધી જ સુવિધા આપવા છતાં તેમની સાથે ઘર્ષણ સતત થયા કરે છે.
જવાબ : આપની આ સમસ્યા થવી ખૂબ જ સ્વાભાવિક બાબત છે. કેમકે આપની ફેકટરીમાં કામદારો માટે રહેવાના બધા રૂમ એટલે કે લેબર રૂમ આપે નૈઋત્ય ખૂણામાં બનાવેલા છે, જે માલિકો માટેની જગ્યા છે જેથી કામદારો પણ માલિક જેવી ઊર્જા મેળવે છે અને નાની-નાની વાતમાં પણ પોતાનું વર્ચસ્વ સ્થાપવાના પ્રયત્ન કરે છે. આપે હાલના લેબર કવાર્ટર નૈઋત્ય ખૂણામાંથી હટાવી અગ્નિ ખૂણામાં કે વાયવ્ય ખૂણામાં ગોઠવશો એટલે થોડા સમયમાં આપની સમસ્યાનું સમાધાન આવી જશે.

આ પ્રકારની સમસ્યાઓ અમે રિેટેઈલ દુકાનમાં અને ઓફિસોમાં પણ ઘણી વખત જોઈ છે. જ્યારે માલિક પોતે નૈઋત્ય ખૂણામાં બેસતાં ન હોય અને સેલ્સમેન કે અન્ય સ્ટાફની બેઠક નૈઋત્ય ખૂણામાં હોય ત્યારે તેઓ માલિક જેવું વર્તન કરતાં હોય છે અને માલિકની વાત ન માનવી અને પોતાની મનમરજી મુજબ કામ કરતા હોય છે. આવા સંજોગોમાં માલિકોએ હંમેશા નૈઋત્ય ખૂણામાં જ મહત્તમ સમય પસાર કરવો જોઈએ.

પ્રશ્ર્ન 4: હું એક નાનું વ્યવસાયિક સાહસ કરી રહ્યો છું પરંતુ સગવડતાના અભાવે ઘરના પાર્કીંગ એરિયામાંથી ઓફિસ ઓપરેટ કરવાની છે, તો આટલી નાની જગ્યામાં વાસ્તુના નિયમો અનુસરી શકાય?
જવાબ : ચોક્કસ નાની જગ્યામાં પણ વાસ્તુના નિયમોને અનુસરી શકાય. આપનું કામ ક્રિએટિવિટી સાથે સંકળાયેલું છે અને આપ પ્રોફેશ્નલ કામ કરો છો, એટલે જગ્યાના નૈઋત્ય ખૂણામાં બેસી કામ કરતી વખતે આપ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને કામ કરી શકો.

આપના કામને અનુરૂપ નિષ્ણાંતની સલાહ લઈને દીવાલના રંગ કરશો, જગ્યા નાની હોવાથી વસ્તુ અસ્ત-વ્યસ્ત ન રાખતાં બધું જ વ્યવસ્થિત ગોઠવીને નકામી બિનજરૂરી વસ્તુઓ નિયમિત નિકાલ કરતાં રહેશો. તમારા કામને અનુરૂપ ઈન્ડોર પ્લાન્ટને ઓફિસમાં ચોક્કસ રાખશો. આ બધા ફેરફારો ચોક્કસપણે ઊર્જાને સંતુલિત કરી આપ માટે સાનુકૂળરૂપ વાતાવરણ બનાવવામાં મદદ થશે.

પ્રશ્ર્ન 5 : મેં એક ઘર રિ-સેલમાં ખરીદ કરેલ છે, પરંતુ તેમાં થોડા વાસ્તુ દોષ છે તેવું મને સમજમાં આવે છે. હું હજુ તે ઘરમાં રહેવા ગયો નથી તો ઉપાય બતાવશો.
જવાબ : સારી બાબત એ છે કે આપ તે ઘરમાં રહેવા ગયા નથી એટલે સિવિલ લેવલના ફેરફારો આપ કરી શકો છો. આપના ડ્રોઈંગનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે ઈશાન ખૂણા અને નૈઋત્ય ખૂણામાં રહેલા ટોયલેટ વાસ્તુ મુજબ યોગ્ય નથી. કદાચ બધા જ વાસ્તુ મુજબના સિવિલ ફેરફારો આપના દ્વારા શક્ય ન હોય તો ઈશાન, ઉત્તર અને નૈઋત્ય ખૂણામાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ ન રહે તેનો ખ્યાલ રાખશો અને તેને ઠીક કરવા માટેના ફેરફાર અવશ્ય કરશો તથા જમીનમાંથી આવતી નકારાત્મક ઊર્જાઓને જમીનની અંદર ગ્રાઉન્ડ કરી અને ઘરની શુભ ઊર્જામાં વધારો થાય તેવા ઉપાય કરવા તેના માટે આપે કોઈ વાસ્તુ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.

You Might Also Like

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

વરસાદ : ઇન્દ્ર દેવનું વરદાન !

TAGGED: astro
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અગ્રલેખ એટલે અખબાર કે સામયિકનો અવાજ: તંત્રીલેખ અને તંત્રી
Next Article બેન્ગ્લોર, કમર્શિયલ સ્ટ્રીટ અને M.G. રોડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?