By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    2 hours ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    3 hours ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    1 day ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    4 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    32 minutes ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    2 hours ago
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    1 day ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    1 day ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    1 hour ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    3 hours ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    1 day ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    2 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    47 minutes ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    1 day ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    1 day ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    1 day ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?
AuthorParakh Bhatt

શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?

Khaskhabar Editor
Last updated: 2022/04/23 at 3:18 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE
સામાન્ય રીતે પારિજાત વૃક્ષ 10 ફૂટથી માંડીને 25 ફૂટ સુધીની ઊંચાઈના જોવા મળતાં હોય છે, પરંતુ કિંટૂરમાં રહેલું પારિજાતનું ઝાડ લગભગ 45 ફૂટ ઉંચાઈ અને 50 ફૂટની જાડાઈ ધરાવે છે! 

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

પારિજાત : એક પરિચય 

સામાન્ય રીતે પારિજાત વૃક્ષ 10 ફૂટથી માંડીને 25 ફૂટ સુધીની ઊંચાઈના જોવા મળતાં હોય છે, પરંતુ કિંટૂરમાં રહેલું પારિજાતનું ઝાડ લગભગ 45 ફૂટ ઉંચાઈ અને 50 ફૂટની જાડાઈ ધરાવે છે! જેની સૌથી મોટી વિશેષતા તો એ છે કે એના પર ક્યારેય બીજ નથી આવતાં! તદુપરાંત, આ વૃક્ષની કલમ વાવી દેવાથી પણ બીજું કોઇ વૃક્ષ ઉગવાની સંભાવના નથી! વૈજ્ઞાનિકોએ ઘણા પ્રયાસ કરી જોયા કે પારિજાતનાં આ વૃક્ષમાંથી જ બીજું ઝાડ ઉગાડવામાં આવે, પરંતુ તમામ પ્રયોગો તદ્દન નિષ્ફળ ઠર્યા! જૂન મહિનાની આજુબાજુ પારિજાત પર ખૂબસૂરત સફેદ રંગના ફૂલ ખીલે છે. ફક્ત રાતનાં સમયે ઊગી નીકળનાર આ પુષ્પ સવાર થતાંવેંત જ કરમાઈ જાય છે. લક્ષ્મીપૂજનમાં આ પુષ્પનું મહત્વ સવિશેષ માનવામાં આવે છે, પરંતુ નોંધવા જેવી વાત એ છે કે પારિજાત પરથી ખરી પડેલા પુષ્પને જ પૂજામાં ઉપયોગમાં લઈ શકાય છે, બાકી વૃક્ષ પરથી પુષ્પ તોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

Contents
સામાન્ય રીતે પારિજાત વૃક્ષ 10 ફૂટથી માંડીને 25 ફૂટ સુધીની ઊંચાઈના જોવા મળતાં હોય છે, પરંતુ કિંટૂરમાં રહેલું પારિજાતનું ઝાડ લગભગ 45 ફૂટ ઉંચાઈ અને 50 ફૂટની જાડાઈ ધરાવે છે! મોડર્ન ધર્મ – પરખ ભટ્ટપારિજાત : એક પરિચય અંતે સત્યભામાની જીદ્દ પાસે નમતું જોખીને શ્રીકૃષ્ણએ પોતાનાં દૂતને આદેશ આપ્યો કે સ્વર્ગલોકમાંથી પારિજાતનું વૃક્ષ લઈ આવે, પરંતુ ઇન્દ્ર તો ભારે હઠીલા! એમણે કૃષ્ણના દૂતને પારિજાત આપવાની મનાઈ ફરમાવી દીધી…! પારિજાત કિંટૂર કેવી રીતે પહોંચ્યુ?પારિજાતનાં ઔષધિય ગુણ

Buy Parijat Tree, Parijatak, Night Flowering Jasmine - Plant online from  Nurserylive at lowest price.

- Advertisement -

હરિવંશ પુરાણમાં પણ પારિજાતનાં વૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. હરિવંશ પુરાણમાં એને કલ્પવૃક્ષની ઉપાધિ આપવામાં આવી છે, જેની ઉત્પત્તિ સમુદ્રમંથન દરમિયાન થઈ હતી. બાદમાં ઇન્દ્રએ તેને સ્વર્ગલોકમાં સ્થાપિત કર્યુ હતું. પુરાણમાં વર્ણવ્યાનુસાર, પારિજાતનાં સ્પર્શમાત્રથી જ દેવ નર્તકી ઉર્વશીનો થાક પળવારમાં ઉતરી જતો હતો.

અંતે સત્યભામાની જીદ્દ પાસે નમતું જોખીને શ્રીકૃષ્ણએ પોતાનાં દૂતને આદેશ આપ્યો કે સ્વર્ગલોકમાંથી પારિજાતનું વૃક્ષ લઈ આવે, પરંતુ ઇન્દ્ર તો ભારે હઠીલા! એમણે કૃષ્ણના દૂતને પારિજાત આપવાની મનાઈ ફરમાવી દીધી…! 
પારિજાત કિંટૂર કેવી રીતે પહોંચ્યુ?

એક વાર દેવઋષિ નારદ પૃથ્વી પર ભગવાન શ્રીકૃષ્ણને મળવા પહોંચ્યા, ત્યારે પોતાની સાથે પારિજાતનાં સુંદર પુષ્પ લેતાં આવ્યા. એમણે કૃષ્ણનાં ચરણોમાં એ ફૂલો ભેટ ધર્યા. શ્રીકૃષ્ણે એ પુષ્પો બાજુમાં બેસેલી એમની અર્ધાંગિની રૂક્મણિને આપી દીધા, પરંતુ શ્રીકૃષ્ણની બીજી પત્ની સત્યભામાને જ્યારે ખબર પડી કે સ્વર્ગલોકમાંથી આવેલા પારિજાતનાં પુષ્પોને પ્રભુએ રૂક્મણિને ભેટ આપી દીધા, ત્યારે તેને ક્રોધ આવ્યો. પરિણામસ્વરૂપ, નાના બાળકની માફક તેઓ જીદ્દ પકડીને બેસી ગયા કે એમને પણ પોતાની વાટિકા માટે પારિજાતનું વૃક્ષ જોઇએ છે! શ્રીકૃષ્ણએ અનેક વખત સમજાવ્યા છતાં પણ સત્યભામા પોતાના આ નિર્ણય પર એકના બે ન થયા!

અંતે સત્યભામાની જીદ્દ પાસે નમતું જોખીને શ્રીકૃષ્ણએ પોતાનાં દૂતને આદેશ આપ્યો કે સ્વર્ગલોકમાંથી પારિજાતનું વૃક્ષ લઈ આવે, પરંતુ ઇન્દ્ર તો ભારે હઠીલા! એમણે કૃષ્ણના દૂતને પારિજાત આપવાની મનાઈ ફરમાવી દીધી. દૂતે ધરતી લોક પર આવીને કૃષ્ણને આ વિશે જણાવ્યું તો ભગવાને પોતે સ્વર્ગલોક પર આક્રમણ કર્યુ અને ઇન્દ્રને પરાજિત કરીને પારિજાતનું વૃક્ષ ધરતી પર લઈ આવ્યા. શ્રીકૃષ્ણથી રિસાઈને ઇન્દ્રએ પારિજાતને ફળથી વંચિત રહેવાનો શ્રાપ આપી દીધો. બસ, ત્યારથી જ પારિજાત ફળવિહીન થયું હોવાનું માનવામાં આવે છે. શ્રીકૃષ્ણે સત્યભામાની વાટિકામાં પારિજાતનું રોપણ તો કર્યુ, પરંતુ સત્યભામાને પાઠ ભણાવવા માટે એમણે એવી ગોઠવણ કરી કે પારિજાતનાં વૃક્ષ પર જેટલા પણ પુષ્પ આવે એ તમામ ખરીને રૂક્મણિની વાટિકામાં જ એકઠા થાય! આ કારણોસર, પારિજાતનાં વૃક્ષની નીચે ફૂલો ન ખરતાં, એનાથી થોડાક દૂરનાં અંતરે એ પુષ્પ એકઠા થતાં હતાં.

- Advertisement -

ત્યારબાદ જ્યારે પાંડવોએ કિંટૂરમાં અજ્ઞાતવાસ કર્યો, એ સમયે માતા કુંતી માટે એમણે ભગવાન શિવના મંદિરની સ્થાપના કરી, જે હાલમાં કુંતેશ્વર મહાદેવના નામે પ્રસિદ્ધ છે. કહેવામાં આવે છે કે માતા કુંતી પારિજાતનાં પુષ્પથી નિત્યપૂજા કરી શકે એ માટે પાંડવોએ સત્યભામાની વાટિકામાંથી પારિજાતનાં વૃક્ષને લાવીને અહીં સ્થાપિત કરી દીધું અને ત્યારથી જ એ વૃક્ષ અહીં હોવાની માન્યતા છે!

અન્ય એક માન્યતા એવી પણ છે કે, પારિજાત નામે એક રાજકુમારી હતી, જેને ભગવાન સૂર્ય સાથે પ્રેમ થઈ ગયો. રાજકુમારીએ અથાક પ્રયત્નો કર્યા હોવા છતાં પણ ભગવાન સૂર્યએ એનાં પ્રેમનો અસ્વીકાર કર્યો. રોષે ભરાઈને રાજકુમારી પારિજાતે આત્મહત્યા કરી લીધી! જે સ્થાન પર એની સમાધિ બનાવવામાં આવી હતી, ત્યાં આજે પારિજાતનું વૃક્ષ ઊગ્યું હોવાની ધારણા છે! પારિજાતનાં આ વૃક્ષનું ઐતિહાસિક તથા પૌરાણિક મહત્વ હોવાથી સરકારે એને સંરક્ષિત ઘોષિત કરી દીધું છે. અત્યંત દુર્લભ મનાતું એવું આ વૃક્ષ દેશની મહત્વની ધરોહરમાંનું એક છે, જેનાં લીધે તેના પર ટપાલ-ટિકિટ પણ જારી કરી દેવાઈ છે.

પારિજાતનાં ઔષધિય ગુણ

પારિજાતને આયુર્વેદમાં હરસિંગારનાં નામે પણ ઓળખવામાં આવે છે. એનાં ફૂલ, પાન અને છાલનો ઉપયોગ ઔષધિ બનાવવા માટે કરવામાં આવે છે. પારિજાતનાં પાંદડાનો સૌથી વધુ ઉપયોગ સાયટિકાનો રોગ દૂર કરવા માટે થાય છે. હ્રદયરોગ સંબંધિત વ્યાધિઓમાં એનાં પુષ્પ ઉત્તમ અસર દેખાડતાં હોવાનું વર્ણન છે.

વર્ષમાં એકવાર પારિજાત પર આવનારા ફૂલોનાં રસનું સેવન કરવામાં આવે, તો હ્રદયરોગથી બચી શકાય એમ છે. પારિજાતના પાંદડાને પીસીને મધમાં ભેળવી તેનું સેવન કરવામાં આવે, તો સૂકી ઉધરસનો ઇલાજ થઈ શકે છે. તેને ત્વચા પર લગાવવાથી ચામડી સંબંધિત રોગ મટી શકે છે. પારિજાતની કૂંપળ સ્ત્રી-રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. તેનાં બીજનો ઉપયોગ વાળ માટે સીરપ બનાવવામાં થાય છે. પારિજાતના પાનનો રસ તો ગમે એવા ક્રોનિક તાવને પણ મટાડી શકવાની ક્ષમતા ધરાવે છે!

You Might Also Like

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5 વર્ષમાં 14,398 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો 
Next Article માય ડેન્જરસ વાઈફ: રગ રગમાં રહસ્ય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો
રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે
સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?