ધાણાની આવક માટે રાત્રે 9થી સવારે 9 અને ઘઉં માટે રાત્રે 9થી 12નો સમય
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક શરૂ થઈ છે. જેને લઈને યાર્ડે ગાઈડલાઈન જારી કરી છે. જણસીની આવક દાગીનામાં હશે તે દાગીનામાં અને પાલમાં હશે તે પાલ માં ઉતારવાની રહેશે. તેમજ જો કોઈ દાગીનામાંથી પાલ કરતા મજુરભાઈઓ તથા વાહનમાલિકો પકડાશે તો માર્કેટિંગ યાર્ડ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી આવક આવવા દેવામાં આવશે,આવક બાબતે વાહન માલિકો ની કોઈપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી.
તમામ જણસીની હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઇ ચાલુ કરવામાં આવશે. જેને લઈને નવો ટાઈમ જારી કરવામાં આવશે. ધાણાની આવક રાત્રે 9થી સવાર ના 9 વાગ્યા સુધી ઘઉંની આવક રાત્રે 9થી 12 વાગ્યા સુધી જ્યારે કપાસ તથા જીરૂની આવક સાંજે 4 થી સવારના 10 સુધી આવવા દેવામાં આવશે. ચણા,મગફળી,રાય,રાયડો,મેથી તથા લસણની આવક બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે.


