ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ છે.ધોરણ 12 સાયન્સ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા યોજાઈ રહી છે. આજે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પરીક્ષા યોજાઈ હતી. અલગ અલગ તબક્કામાં આજે 3 વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં 10 થી 12 વાગ્યા સુધી ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની પરીક્ષા, 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી બાયોલોજીની પરીક્ષા અને 3 થી 4 વાગ્યા સુધી મેથ્સની પરીક્ષા લેવામાં આવી હતી. રાજકોટમાં પણ અનેક કેન્દ્રો પર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આજની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કેલ્ક્યુલેટર અને કાળી પેન સિવાય અન્ય કોઈ સાહિત્ય લઈ જવામાં દેવામાં આવી રહ્યું નથી. આજની પરીક્ષા કુલ 120 માર્કસની છે. જેમાં 3 વિષયોના 40 -40 ગુણભાર છે. આજના પરિણામના 40 ટકા અને બોર્ડની પરીક્ષાના 60 ટકા એમ ગણતરી કરીને એન્જીનિયરિંગ અને ફાર્મસી માટે મેરીટ જાહેર થશે.
- Advertisement -
1.07 લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી રહ્યા છે
રાજ્યમાં કુલ 1.07 લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી રહ્યા છે. જેમાં અમદાવાદમાં પણ 9189 વિદ્યાર્થીઓ 46 કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે.આજની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કેલ્ક્યુલેટર અને કાળી પેન સિવાય અન્ય કોઈ સાહિત્ય લઈ જવામાં દેવામાં આવી રહ્યું નથી. આજની પરીક્ષા કુલ 120 માર્કસની છે. જેમાં 3 વિષયોના 40 -40 ગુણભાર છે. આજના પરિણામના 40 ટકા અને બોર્ડની પરીક્ષાના 60 ટકા એમ ગણતરી કરીને એન્જીનિયરિંગ અને ફાર્મસી માટે મેરીટ જાહેર થશે.