ખાસ-ખબર સંવાદદાતા
જસદણના વીરનગર ગામમાં હજુ અનેક લોકો કોરોનાની રસી લેવામાં બાકી હતા જેને પગલે ગ્રામ પંચાયતના ઉપક્રમે રાત્રી વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો, મજૂરો ઊમટ્યાં હતા. દિવસે રોજગારીની દોટમાં સામેલ લોકોને રાતે સુરક્ષિત કરવા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું
રસીનો પૂરતો જથ્થો હોવા હોવા છતાં લોકો વેક્સિન લેવા તૈયાર નથી.
- Advertisement -
જસદણ તાલુકામાં વેક્સિનેશન માટે વીરનગર ગામે રાત્રિ કેમ્પ કરવામાં આવ્યો. જેમાં જિલ્લા એપેડેમીક ઓફિસર ડો.નીલેશ રાઠોડ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. સરકારનાં હર ઘર દસ્તક અંતર્ગત વિરનગર ગામે ઘરે ઘરે જઈને લોકોને ડો. રાઠોડ અને ટીમ દ્વારા રસીકરણ માટે સમજાવ્યા હતા. વીરનગરમા હજુ ઘણા લોકો વેકસીન લેવામા બાકી હોય ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે રસીકરણ ગ્રામ પંચાયતમા રાખ્યું હતું. આ કેમ્પમાં ખેડૂતો અને મજૂરો કે જેઓ દિવસે કામમાં વ્યસ્ત હોય છે તેમને સમજાવટ બાદ વેક્સિનેટેડ કરાયા હતા.
ફરી આજે કોરોનાનાં શૂન્ય કેસ
ગઈકાલે 6 દર્દીઓ કોરોનામુક્ત થતા એક્ટિવ કેસની સંખ્યા 22માંથી 15 થઇ
રાજકોટમાં આજે બપોર સુધીમાં શૂન્ય કેસ નોંધાયા છે. પરંતુ ગઈકાલે 2 કેસ નોંધાયા હતા.આથી કુલ કેસની સંખ્યા 42867 પર પહોંચી છે. ગઈકાલે એક જ દિવસમાં 6 દર્દીએ કોરોનાને માત આપી છે. આથી એક્ટિવ કેસની સંખ્યા 22માંથી 15 થઈ છે. રાજકોટ જિલ્લાના તમામ ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવા તંત્ર એલર્ટ થયું છે. નગરપાલિકાના સિટી વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ વેક્સિનેશન માટે આરોગ્ય વિભાગ દ્વારા વધુ 70 ટીમનો વધારો કરવામાં આવ્યો છે. જિલ્લાના 50 જેટલા ગામો હજુ 100 ટકા વેક્સિનેશન થવામાં બાકી છે. લાંબા સમયથી વેક્સિનેશન છતાં લોકો પહેલો ડોઝ લેવામાં પણ બાકી છે.