સંચાલિકા ભાવનાબેન જોષીની શોધખોળ : યુપી અને પશ્ચિમ બંગાળની બે રૂપલલના પાસે દેહવ્યાપાર કરાવાતો હતો
ફૂટણખાનાની બહાર “વજન ઘટાડો, વજન વધારો, રોગોની સારવાર’નું પાટીયું હતું : બેની ધરપકડ
- Advertisement -
શહેરના સાધુ વાસવાણી જેવા પોશ એરિયામાં હેલ્થ સેન્ટ ઓઠા નીચે ધમધમતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડો પાડી એક ગ્રાહક અને રિસેપ્શનીસ્ટ સહિત છ બેની ધરપકડ કરી હતી. આ કુટણખાનું ભાવનાબેન જોષી નામની મહિલા ચલાવતી હતી. જે સ્થળ પરથી હાજર મળી ન હતી.
રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર હેલ્થ સેન્ટરની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી આધારે એએચટીયુના પીઆઈ કે.કે.ગોહીલ છેલ્લા ૧૫ દિવસથી આ કુટણખાનું ઝડપી લેવા માટે મથતા હતા. કારણકે કુટણખાનામાં રેફરન્સ વગર રૂપલલના સપ્લાય કરાતી ન હતી. આખરે આજે મોકો મળી જતાં પીએસઆઈ આર.કે. ગોહીલે સ્ટાફના માણસો સાથે દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો. સ્થળ પરથી રિસેપ્શનીસ્ટ મૂળ દ્વારકાની હાલ પભીબેન કરમૂર અને ગ્રાહક મૂળ ધ્રોલનો અને હાલ રાજકોટમાં રહેતો ચિંતન ભાવેશ વાંસજાળીયાની ધરપકડ કરી હતી આ બંને આરોપીઓની પુછપરછમાં સંચાલિકા તરીકે ભાવનાબેનનું નામ ખુલતાં તેને વોન્ટેડ દર્શાવાઈ છે.કુટણખાનાની બહાર સરળ અને કુદરતી રીતે એક મહિનામાં વજન ઘટાડો-વધારો, દરેક પ્રકારના રોગોની દવા વગર સારવાર, ૧૦૦ ટકા રીઝલ્ટ આપતું સેન્ટર તેવા પાટીયા મળી આવ્યા હતા આસપાસના લોકો પાસેથી છેલ્લા બે વર્ષથી આ હેલ્થ સેન્ટર ચાલતું હોવાની માહિતી મળી હતી. જેમાં કુટણખાનું ખરેખર કેટલા સમયથી ચાલતું હતું તે અંગે સંચાલિકા ભાવનાબેન પકડાયા બાદ સ્પષ્ટતા થશે. ગ્રાહકો પાસેથી એન્ટ્રીફીના નામે રૂા.૧૦૦૦ વસૂલાતા હતા. જેમાંથી રૂા.૫૦૦ રૂપલલનાને અપાતા હતી. બાકીના 500 સંચાલિકા ભાવનાબેન પોતે રાખી લેતી હતી.કુટણખાનામાંથી ઉત્તરપ્રદેશ અને પશ્ચિમબંગાળની બે રૂપલલના મળી આવતાં બંનેને નિયમ મુજબ પોલીસે સાક્ષી બનાવી છે. કુટણખાનામાં વેઇટિંગમાં ત્રણ ગ્રાહકો પણ બેઠા હતા. પરંતુ નિયમ મુજબ તેમને આરોપી બનાવી શકાતા ન હોવાથી પોલીસ માત્ર નિવેદન લેશે એટલું જ નહીં આ કુટણખાનું મુખ્યત્વે બપોરે ૧થી ૫ વાગ્યા દરમિયાન કે જ્યારે લોકોની અવરજવર ઓછી હોય છે ત્યારે જ ચાલતું હતું. શહેરમાં આ અગાઉ સ્પાના ઓઠા નીચે ધમધમતા અનેક કુટણખાના પકડાઈ ચુક્યા છે. હવે હેલ્થ સેન્ટરના ઓઠાં નીચે ચાલતું કુટણખાનું મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી છે.
સંચાલિકા ભાવનાબેન શિક્ષિકા હોવાની ચર્ચા
- Advertisement -
એએચટીયુની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સંચાલિકા ભાવનાબેન જોષી ગર્વમેન્ટ કર્મચારી અને સંભવતઃ શિક્ષિકા છે. જે અંગે હવે તે પકડાયા પછી જ ખરાઈ થશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. આસપાસના લોકો પાસેથી તેની ફરિયાદ પણ પોલીસ સુધી પહોંચી હતી, જે અંગે વપરાતા રબેર શિક્ષિકા હોય અને કુટણખાનું ચલાવતા હોય તો તે બાબત અત્યંત શરમજનક અને ભાવનાબેન ઝડપાયા પછી નવા ખુલાસા થવાની સંભાવના નકારાતી નથી. ચોંકાવનારી છે. આ કેસની આગળની તપાસ હવે યુનિવર્સીટી પોલીસ કરશે.




