8 PIને નવા પોલીસ મથકનો હવાલો સોંપાયો જ્યારે 6 ઙઈંની આંતરિક બદલી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં એક સાથે 443 પોલીસ કર્મચારીની બદલી બાદ હવે વધુ 14 પીઆઇની બદલી અને પોલીસ સ્ટેશનનો હવાલો ફાળવવામાં આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 14 પીઆઇને બદલી કરવામાં આવી હતી. આ બદલીમાં 8 પીઆઇને પોલીસ મથકનો હવાલો સોંપવામાં આવ્યો છે જ્યારે 6 પીઆઇને આંતરિક બદલી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પીઆઇ ડી.એ.ક્રિશ્ચિયનને લાઈવ રીઝર્વમાં મુકવામાં આવ્યા હતા તેઓની જગ્યા પર કે.ડી.જાટને ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પીઆઇ તરીકે મૂકવામાં આવ્યા છે. ત્યારે લીવ રીઝર્વમાં રહેલા આર.એમ.સંગાડાને સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક એમ.બી. બાંભાને એ.એચ.ટી.યુ તથા જે.એન.સોલંકીને ચોટીલા પોલીસ મથકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. પાટડી પોલીસ મથકના બી.સી.છાત્રાળિયાને ઝીંઝુવાડા ખાતે બદલી, સાયબર ક્રાઇમના એ.જે.સોલંકીને મહિલા પોલીસ મથક સોંપવામાં આવ્યું છે. સાથે જ છેલ્લા કેટલાક સમયથી પીઆઈનું પોલીસ મથક હોવા છતાં ધ્રાંગધ્રા તાલુકા પોઇક મથક પીએસઆઈથી ચલાવવામાં આવી રહ્યું હતી જેમાં હાલ ઈનચાર્જ પીઆઇ તરીકે એન.ડી.ચુડાસમાની જગ્યા પર પીઆઇને જગ્યા પર જે.એમ.સોલંકીને મૂકવામાં આવ્યા છે.
PI અને તેઓના બદલીનું સ્થળ
(1) વી.એમ.ટાંક (જોરાવરનગર પો. સ્ટે)
- Advertisement -
(2) જે.એમ.સોલંકી (ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે)
(3) એ.બી.જાડેજા (સાયબર ક્રાઈમ)
(4) એમ.એમ.વાઢેર (વઢવાણ પો. સ્ટે)
(5) એસ.એન.પટેલ (ચુડા પો. સ્ટે)
(6) કે.ડી. જાટ (ધ્રાંગધ્રા સિટી પો.સ્ટે)
(7) આઈ.એમ. હુદડ (પાટડી પો.સ્ટે)
(8) આર.આર.દેસાઈ (પાણશીણા પો.સ્ટે)
(9) આર.એમ. સંગાડા (લીવ રિઝર્વમાંથી સુરેન્દ્રનગર એ ડિવિઝન)
(10) બી.સી. છાત્રાલિયા (પાટડી પોલીસ મથકથી ઝીંઝુવાડા)
(11) એ.જે.સોલંકી (સાયબર ક્રાઈમમાંથી મહિલા પોલીસ)
(12) એમ.બી. બાંભા (લીવ રિઝર્વમાંથી એ.એચ.ટી.યુ)
(13) જે.એન.સોલંકી (લીવ રિઝર્વમાંથી ચોટીલા પોલીસ મથક)
(14) ડી. એ. ક્રિશ્ચિયન (ધ્રાંગધ્રા સિટીમાંથી લીવ રિઝર્વ)



