ભારે પવનના કારણે વીજપોલ પર વૃક્ષ પડતાં વીજ લાઇનને નુકસાન, લાંબા સમયથી વીજળી બંધ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
- Advertisement -
ધ્રાંગધ્રા પંથકમાં ગત મોડી રાત્રે જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં નુકસાન સર્જાયું હતું. ભારે પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા, જેના કારણે વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો હતો. ધ્રાંગધ્રા શહેરના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં એક વૃક્ષ વીજપોલ પર પડતાં વીજ લાઇનને નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ઘટનાને 20 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવ્યો નથી. રહીશોએ જણાવ્યું હતું કે વીજ પુરવઠો બંધ થતાં જ ઙૠટઈકની સ્થાનિક કચેરી તેમજ રાજકોટ સ્થિત વિભાગીય કચેરી ખાતે ઓનલાઈન ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે અનેક રજૂઆતો અને ફરિયાદો છતાં હજુ સુધી કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર કામગીરી માટે પહોંચ્યા નથી. લાંબા સમયથી વીજળી બંધ રહેતાં વિસ્તારના લોકોને ભારે ગરમી, અંધારપટ્ટ અને પાણી સહિતની દૈનિક જરૂરિયાતોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગત રાત્રિથી લઈને આજે સાંજ સુધી વીજ પુરવઠો પુન: શરૂ ન થતાં સ્થાનિકોમાં ઙૠટઈક વિભાગ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોએ તાત્કાલિક અસરથી નુકસાનગ્રસ્ત વીજ લાઇનનું સમારકામ કરી વીજ પુરવઠો પુન: શરૂ કરવાની માંગ ઉઠાવી છે.



