ગિર સોમનાથના ખાંભા ગામના યુવાને UPSCમાં 703મો રેન્ક હાંસલ કર્યો
આ સફળતાની સફરમાં મોટા ભાઈ કુલદીપસિંહ પરમારે માર્ગદર્શક અને પ્રેરણા બની સતત પ્રોત્સાહન આપ્યું
- Advertisement -
હાલ UPSC હેઠળ આસિસ્ટન્ટ કમિશનર (સ્ટેટ ટેક્સ) તરીકે સેવા આપી રહ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
ખેતરની માટીથી શરૂઆત કરનાર એક યુવાન જ્યારે દેશની સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષા જીતે, ત્યારે તે માત્ર વ્યક્તિગત સફળતા નથી રહેતી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાનો સ્ત્રોત બની જાય છે. ગિર સોમનાથ જિલ્લાના ખાંભા ગામના ખેડૂતપુત્ર પ્રદિપસિંહ પરમારે ઞઙજઈ 2025ની પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક 703 મેળવી પોતાની મહેનત અને સંકલ્પનો વિજય નોંધાવ્યો છે.
પ્રદિપસિંહ બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી અને મૃદુ સ્વભાવ ધરાવતા વિદ્યાર્થી તરીકે ઓળખાતા હતા. દરેક ધોરણમાં તેઓ ટોપર રહ્યા હતા. 12મા વિજ્ઞાન પ્રવાહમાં તેમણે બે વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવી પોતાની અસાધારણ પ્રતિભા સાબિત કરી હતી. તેમના માટે શિક્ષણ માત્ર ગુણ મેળવવાનું સાધન નહોતું, પરંતુ વ્યક્તિત્વ નિર્માણ અને જવાબદારીના મૂલ્યો શીખવાનો માર્ગ હતો.
કોલેજના દિવસોમાં જ્યારે ઘણા મિત્રો સામાન્ય કોલેજ જીવનનો આનંદ માણતા હતા, ત્યારે પ્રદિપસિંહ પોતાના સપનાને સાકાર કરવા માટે સતત તૈયારીમાં વ્યસ્ત રહ્યા. સંસદ ટીવીની ચર્ચાઓ, તેમજ લક્ષ્મીકાંત અને આર.એસ. અગરવાલ જેવી પુસ્તકો તેમના રોજિંદા જીવનનો ભાગ બની ગયા હતા. આ અભ્યાસ માત્ર વાંચન સુધી સીમિત ન રહ્યો, પરંતુ તેમણે આ વિષયોને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો.
ઞઙજઈ અને ૠઙજઈ જેવી કઠિન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા સહેલાઈથી મળતી નથી. પ્રદિપસિંહે પણ લાંબા સંઘર્ષનો સામનો કર્યો. તેમણે અનેક વખત મેઈન્સ પરીક્ષા લખી અને ઘણી વખત માત્ર એક-બે ગુણના અંતરથી અંતિમ યાદીમાં સ્થાન મેળવવામાં ચૂક્યા. છતાં પણ તેમણે ક્યારેય હિંમત હારી નહીં. દરેક નિષ્ફળતા તેમના માટે આગળની તૈયારીનું એક નવું પાઠ બની.
આ સફરમાં તેમના મોટા ભાઈ કુલદીપસિંહ પરમારનો સહયોગ પણ મહત્વપૂર્ણ રહ્યો. ભાઈ તરીકે જ નહીં પરંતુ માર્ગદર્શક અને પ્રેરણા બની તેમણે પ્રદિપસિંહને સતત પ્રોત્સાહન આપ્યું. પરિવારના પ્રેમ, ત્યાગ અને માર્ગદર્શનથી જ આ સફળતાનો માર્ગ મજબૂત બન્યો. વર્ષોના અવિરત પ્રયત્નો અને વિશ્વાસનો અંતે વિજય થયો છે. આજે પ્રદિપસિંહ પરમારનું નામ ઞઙજઈ 2025ની અંતિમ યાદીમાં ગૌરવભેર નોંધાયું છે. સાથે-સાથે તેઓ હાલમાં ૠઙજઈ હેઠળ આસિસ્ટન્ટ કમિશનર (સ્ટેટ ટેક્સ) તરીકે પણ સેવા આપી રહ્યા છે.
પ્રદિપસિંહની સફળતા માત્ર એક વ્યક્તિની સિદ્ધિ નથી, પરંતુ હજારો યુવાનો માટે આશા અને પ્રેરણાનો સંદેશ છે. તેમની કથા બતાવે છે કે સપનાઓને સાકાર કરવા માટે મોટા શહેરો કે સુવિધાઓ જરૂરી નથી. જો મનમાં મજબૂત સંકલ્પ હોય, મહેનત માટે તૈયાર રહેવામાં વિશ્વાસ હોય અને સપનાઓ પ્રત્યે વફાદારી હોય, તો ખેતરની માટીમાંથી પણ રાજપથ સુધી પહોંચવાનો રસ્તો તૈયાર થઈ શકે છે.



