16 મુસ્લિમ દેશોનું મૌન: આયાતોલ્લા ખામનેઈના મોત બાદ સાઉદી અરેબિયા, તુર્કી અને જોર્ડન જેવા દેશોએ સહાયનો ઈન્કાર કર્યો, આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન ઘેરાયું…
મેરે દુશમન-મેરે ભાઈ મેરે હમસાયે , બરબાદીકે એ મંજર સબ તેરે નગર સબ મેરે નગર..
- Advertisement -
હમ અપને અપને ખેતો મેં ચાવલ કી જગહ, ગેહુકી જગહ એયે બંદુકે ક્યુ બોતે હૈ ??
જેવા શબ્દો ક્યાંક માનવતા અને યુદ્ધ વચ્ચેની દુહાઈ દેતાં હોય છે.કેમ જે, દુનિયામાં આજેપણ શસ્ત્રોનો વેપાર ઘઉં કે ધાન્યોની તુલના માં મોટો કે મોંઘો છે.શસ્ત્રો અનાજની તુલનામાં આજેપણ મોંઘા છે.ઘઉંનું એક કટ્ટુ જેટલામાં આવશે એટલા માં તો એક અસોલ્ટ રાઇફલ પણ નહીં આવે.સાચી વાત છે ને ? મુદ્દો થોડો સંવેદનશીલ છે પણ સ્પર્શે તો દરેકને છે જ ને ? પરંતુ યુધ્ધખોરી તે માણસના સ્વાભાવમાં વણાઈ ગયેલી માનવ અસ્તિત્વ સાથેની જ માનસિકતા છે.સદીઓ મુજબ યુદ્ધના પ્રકારો બદલાયા પરંતુ યુદ્ધો તો રહ્યા જ.વચ્ચેનો સમય થોડો શાંતિ ગાળાનો હતો.પરંતુ પાછલા 3 વર્ષથી તો કોઈકને કોઈક દેશમાં યુદ્ધો ચાલુ જ છે. હાલ આખી દુનિયાની નજર અમેરિકા -ઈરાયરલ અને ઇરાનના યુદ્ધ પર મંડાયેલી છે. ત્રણ દેશોના નામ સાથે હોવાથી આ જંગ ત્રિપાંખિયો નથી.ઈરાન અહીં યુદ્ધના મેદાનમાં એકલું ઉભું છે.આયાતોલ્લા ખામનેઈ હણાઈ ચુક્યા છે.તેમછતાં યુદ્ધ ચાલુ જ છે અને હજી આ યુદ્ધ ગંભીર થવાની શક્યતા છે.
ત્યારે આપણે અહીં એક ખાસ અને અલગ જ મુદ્દાની વાત કરીયે તો, ઈરાન એક શિયાપંથી મુસ્લિમ દેશ છે. જેમાં શિયા-સુન્ની વચ્ચે મોટાભાગે મતભેદો અને મનભેદો પણ છે. એટલે ક્યાંય અહીં ઇસ્લામના નામે એકતા નથી.ભારતના પડોસી દેશ પાકિસ્તનમાં પણ શિયા-સુન્ની એકબીજા ના લોહીના પ્યાસા હોય છે અને છાસવારે એકબીજા પર હુમલા કરતા રહેતા હોય છે.
તેવામાં આ યુદ્ધમાં ખામનેઈની હત્યા બાદ, ઈરાનની પ્રજામાં ખાસ તો સ્ત્રીઓએ ક્યાંક ક્યાંક જશ્ન મનાવ્યાના પણ સાચા-ખોટા વિડિઓ ફરી રહ્યા છે.કેમ કે, તેઓ એક સરમુખત્યારની તાનાશાહીથી આઝાદ થયા. પરંતુ ભારતમાં જ અહીં મુસ્લિમો અને પરદામાં રહેતી મુસ્લિમ સ્ત્રીઓએ પણ રોકકળ મચાવી ખામનેઈ ની હત્યાનો શોક મનાવ્યો.જો કે, આમ તો હિન્દુસ્તાનમાં શોક મનાવવાનું કોઈ કારણ જ નથી કેમ કે, ભારતનો તો આમાં ક્યાંય કોઈ રોલ જ નથી. તેમ છતાં ભારતના મુસ્લિમોએ શોક મનાવ્યો.
શિયા-સુન્ની સંઘર્ષનું વરવું સ્વરૂપ: ઇસ્લામના નામે એકતાના દાવા પોકળ સાબિત થયા…
- Advertisement -
85% સુન્ની વસ્તી ધરાવતા દેશો વિરુદ્ધમાં:
ઈરાન પોતાને શિયાઓનું ખિલાફત માને છે, સાઉદી અરેબિયાને ડર છે કે ઈરાન મધ્ય પૂર્વ પર કબજો જમાવશે, વર્ષો જૂના મનભેદ સપાટી પર આવ્યા
ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા ખામનેઈ ની હત્યા બાદ ભારતમાં જુવો ક્યાં ક્યાં રાજયોમાં કે વિસ્તારોમાં પ્રદર્શનો યોજાયા,
જમ્મુ-કાશ્મીર,(શ્રીનગર, ગુલમર્ગ)
ઉત્તરપ્રદેશ (લખનઉ )
અન્ય રાજ્ય, : પટના , મુંબઈ,રાંચી અને દિલ્હીમાં
રાજસ્થાનમાં શિયા મુસ્લિમ મહાસભાએ 3 દિવસનો શોક ઘોષિત કર્યો
કર્ણાટક : ચિકબલાપ્પુર
આ સ્થાનોએ પ્રદર્શનકારીઓએ અમેરિકા અને ઇઝરાયેલ કરવામાં આવેલ હુમલાના વિરોધમાં ખામનેઈની તસ્વીર લઇ પ્રદર્શનો યોજાયા.ત્યારે અહીં સવાલ તે જ છે. જેમાં કે, મિડલ ઇસ્ટમાં ઈરાનની આસપાસ 16 જેટલા મુસ્લિમ દેશો છે તો આ દેશોએ ઈરાનનો સાથ આપવાને બદલે કેમ અમેરિકા-ઇઝરાયલની ફેવર કરી ? વિશ્વના મોટાભાગના મુસ્લિમ દેશો ઈરાન પરના હુમલા અંગે મૌન રહ્યા.તેમજ સામે છેડે પણ ઈરાને વિવિધ મધ્ય પૂર્વીય દેશોમાં અમેરિકન લશ્કરી થાણાઓને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યા, પરંતુ હવે પ્રશ્ર્નએ ઊભો થાય છે કે મધ્ય પૂર્વના 16 મુસ્લિમ દેશો ઈરાન જેવા મુસ્લિમ દેશને બચાવવા માટે પહેલ કેમ નથી કરી રહ્યા? મધ્ય પૂર્વમાં 16 મુસ્લિમ દેશો છે, જેમાં સાઉદી અરેબિયા, તુર્કી, જોર્ડન, બહેરીન અને લેબનોનનો સમાવેશ થાય છે. પરંતુ ઈરાનને બચાવવા માટે કોઈ પહેલ કેમ નથી કરી રહ્યું?
અને અહીંના ભારતીય મુસ્લિમો ખામનેઈની મોતનો શોક મનાવી બાકાયદા છાજીયા લઇ રહ્યા છે.ત્યારે ભારતીય મુસ્લિમોને જ અહીં સવાલ કે, મધ્ય પૂર્વના 16 મુસ્લિમ દેશો જેમાં સાઉદી અરેબિયા, તુર્કી, જોર્ડન, બહેરીન અને લેબનોનનો સમાવેશ થાય છે, તેઓએ તો કોઈ શોક મનાવ્યો નથી કે કોઈ સહાનુભૂતિ વ્યક્ત કરી નથી.ઉલ્ટાનું આ દેશો અને ઈરાન આજે સામસામે છે.દુબઇ, બહેરીન જેવા દેશોમાં તો ભારતીયો પણ ઇરાનના હુમલાને પગલે ફસાયા છે. ત્યારે અહીં તે પણ જાણી લો કે, આ મુસ્લિમ દેશો ઈરાનને કેમ મદદ નથી કરી રહ્યા?
ઈરાન આતંકવાદી જૂથોને ટેકો આપી રહ્યું છે. નિષ્ણાતો કહે છે કે ઈરાન હિઝબુલ્લાહ, હમાસ અને હૂતી જેવા આતંકવાદી જૂથોને ટેકો આપે છે. ઈરાન પર પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદને ટેકો આપવાનો આરોપ છે. આ આતંકવાદી જૂથોએ વિશ્વમાં અસ્થિરતા ઉભી કરી છે, અને મુસ્લિમ દેશો મોટાભાગે આ માટે ઈરાનને દોષી ઠેરવે છે. ફરીથી, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને જોર્ડન જેવા દેશોએ ઈરાનને મદદ કરવાનો ઇનકાર કર્યો છે, પરંતુ ઈઝરાયલ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર ખુલ્લું રાખીને પરોક્ષ રીતે ઇઝરાયલને પણ મદદ કરી છે.
નિષ્ણાતો કહે છે કે મધ્ય પૂર્વ ઘણા શક્તિશાળી મુસ્લિમ દેશોનું ઘર છે. સાઉદી અરેબિયા અને તુર્કી સુન્ની મુસ્લિમ દેશો છે, જ્યારે ઈરાન પોતાને શિયા મુસ્લિમોનું ખિલાફત માને છે. આ ઉપરાંત, ઇરાક, સીરિયા, લેબનોન, જોર્ડન, પેલેસ્ટાઇન, કુવૈત, કતાર, અઝરબૈજાન, બહેરીન, સંયુક્ત આરબ અમીરાત, ઓમાન, યમન, ઇજિપ્ત અને લિબિયા છે. આમાંના મોટાભાગના દેશોમાં સુન્ની બહુમતી છે. ઇરાક, બહેરીન, યમન અને લેબનોનમાં શિયા અને સુન્ની બંને વસ્તી છે.
એપી રિપોર્ટ મુજબ, આ દેશો ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો વિરોધ કરે છે. જો કે, તેઓ ખુલ્લેઆમ ઈરાનને ટેકો આપતા નથી. આ તેમની વચ્ચે પરસ્પર સ્પર્ધાને કારણે છે. મધ્ય પૂર્વના તમામ મુસ્લિમ દેશો એકબીજા સાથે જોડાયેલા છે. આમાંના ઘણા દેશો પ્રોક્સી યુદ્ધો લડી રહ્યા છે, જ્યારે અન્ય આંતરિક બળવો (ગૃહ યુદ્ધો) સાથે ઝઝૂમી રહ્યા છે.
શિયા-સુન્ની સંઘર્ષ: મતભેદનું કારણ
મધ્ય પૂર્વમાં શિયા-સુન્ની સંઘર્ષનું સૌથી મોટું કેન્દ્ર ઈરાન અને સાઉદી અરેબિયા છે. સુન્ની બહુમતી ધરાવતું સાઉદી અરેબિયા, ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. સાઉદી અરેબિયા વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકારો અને સમૃદ્ધ દેશમાંથી એક છે. સાઉદી અરેબિયાને ડર છે કે શિયા બહુમતી ધરાવતું ઈરાન મધ્ય પૂર્વ પર કબજો કરશે. તેથી, સાઉદી અરેબિયા હંમેશા ઈરાનનો વિરોધ કરે છે.
મુસ્લિમોમાં બે મુખ્ય સંપ્રદાયો છે: શિયા અને સુન્ની. અન્ય સંપ્રદાયો પણ છે. જો કે, મુસ્લિમ વિશ્વ આ બે સંપ્રદાયો વચ્ચે વહેંચાયેલું છે. સુન્ની વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમો છે, જે 85 થી 90 ટકા છે.
જો કે, શિયાઓ વસ્તીના માત્ર 10 ટકા છે, જેની અંદાજિત વસ્તી 120 મિલિયનથી 170 મિલિયનની વચ્ચે છે. ઈરાન, બહેરીન, અઝરબૈજાન, ઇરાક અને યમનમાં શિયાઓ બહુમતી ધરાવે છે. તેઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ભારત, કુવૈત, લેબનોન, તુર્કી, કતાર, સીરિયા, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતમાં પણ નોંધપાત્ર સંખ્યામાં હાજર છે.
મુસ્લિમ દેશો ઈરાનની મદદ માટે આગળ આવી રહ્યા નથી. તેનાથી વિપરીત, મુસ્લિમ વર્લ્ડ લીગ ઈરાનના આરબ દેશો પરના હુમલાઓ અંગે અવાજ ઉઠાવી રહી છે. ખામેનીના મૃત્યુ પછી, ઈરાને સાઉદી અરેબિયા સહિત અનેક દેશોમાં યુએસ લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આની નિંદા કરતા, મુસ્લિમ વર્લ્ડ લીગે એક નિવેદનમાં કહ્યું કે આ હુમલાઓ અસ્વીકાર્ય છે અને આ ક્ષેત્રની સ્થિરતા, શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે.
ત્યારે યાદ રાખજો કે, ત્રાસવાદને પાળવા અને પોષવાથી જયારે વિશ્વના કેટલાક સમુદાયો એક થઇ જાય ત્યારે આવી સ્થિતિ સર્જાય છે.તે આતંકવાદને પોષનાર પાકિસ્તાને ખાસ સમજવું પડશે. હાલ તો ત્યારે એકંદરે, ઈરાન મુસ્લિમ વિશ્વની અંદર જ ખૂણેખૂણે ફસાઈ ગયું છે.



