By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    18 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    18 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    2 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    3 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    16 hours ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    16 hours ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    16 hours ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    16 hours ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    18 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    2 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    2 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    4 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    5 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    17 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    18 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    19 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    19 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં ફરી ગેંગવોર સાત મહિના પૂર્વેના બનાવનો બદલો લેવા ફાયરિંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં ફરી ગેંગવોર સાત મહિના પૂર્વેના બનાવનો બદલો લેવા ફાયરિંગ
રાજકોટ

રાજકોટમાં ફરી ગેંગવોર સાત મહિના પૂર્વેના બનાવનો બદલો લેવા ફાયરિંગ

Khaskhabar Editor
Last updated: 2025/08/20 at 5:15 PM
Khaskhabar Editor 10 months ago
Share
6 Min Read
SHARE

જંગલેશ્ર્વરમાં ફાયરિંગ કરનાર ભયલો ગઢવી અને પરિયા ગઢવી પર ગુજસીટોક ક્યારે ?

અગાઉ અનેક ગુનામાં ભયલો અને પરિયો લખ્ખણ ઝળકાવી ચૂક્યાં છે, અનેક ગંભીર ગુનાઓમાં સામેલ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ દર્શાવતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટમાં ફરી ગેંગવોરની સ્થિતિ જેમાં સાત મહિના પૂર્વેના બનાવનો બદલો લેવા ફાયરીંગ કર્યાનું બહાર આવ્યુ છે. જંગલેશ્વર નજીક 15મી ઓગસ્ટની રાત્રે ભયલો ગઢવી અને પરિયા ગઢવીએ બે રાઉન્ડ ફાયરિંગ કરી શાહનવાઝ મુસ્તાક વેત્રણની હત્યાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ અનેક ગુનામાં ભયલો અને પરિયો લખ્ખણ ઝળકાવી ચૂક્યાં છે, અનેક ગંભીર ગુનાઓમાં સામેલ છે ત્યારે ભયલો ગઢવી અને પરિયા ગઢવી પર ગુજસીટોક ક્યારે ? તેવી લોકોમાં અનેક ચર્ચા વહેતી થઇ છે. ગંભીર ગુનાને અંજામ આપનાર ગુનેગારોને કાબૂમાં લેવા ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવે તે જરૂરી છે.

રાજકોટના કોઠારિયા રોડ પર નિલમપાર્કમાં રહેતો અને ઘર નજીક કરિયાણાની દુકાન ચલાવતો શાહનવાઝ મુસ્તાક વેત્રણ (ઉ.વ.20) 15 ઓગસ્ટની રાત્રિના 11 વાગ્યે

- Advertisement -

ખ્વાઝા એપાર્ટમેન્ટ નીચે એસ.એ.જ્વેલર્સ દુકાન પાસે બેઠો હતો અને તેના માસીના દીકરા સાથે મોબાઈલમાં વીડિયોકોલ પર વાતચીત કરતો હતો ત્યારે સ્કૂટરમાં ભઇલો ગઢવી અને પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી ધસી આવ્યા હતા. ભઇલા ગઢવીએ કહ્યું હતું કે, ’લોડ કર જલ્દી અને તે સાથે જ પરિયા ગઢવીએ તેના હાથમાં રહેલી પિસ્ટલ ત્રણ વખત ખેંચી હતી, આ દૃશ્ય જોઈને શાહનવાઝ ગભરાઈ ગયો હતો. પરિયા ગઢવીએ નજીક જઈને શાહનવાઝ પર બે રાઉન્ડ ફાયર કરી દીધા હતા. ફાયરિંગ થતાં જ શાહનવાઝ પડી ગયો હતો, આજે તો તને પતાવી જ દેવો છે તેવું કહીને ભઇલો ગઢવી અને પરીયો ગઢવીએ ગાળો ભાંડી હતી. શાહનવાઝનો મિત્ર અફઝલ દિલાવર બ્લોચ નજીકમાં જ હતો તેણે શાહનવાઝને બાઇકમાં બેસાડી હોસ્પિટલમાં ખસેડયો હતો. શાહનવાઝને છાતીમાં ડાબી તરફ બે જગ્યાએ ઇજા થઇ હતી. ફાયરિંગની ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સરવૈયા સહિતની ટીમ દોડી ગઈ હતી. શાહનવાઝે ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાતેક મહિના પહેલાં પુનિતનગરના પાણીના ટાંકા પાસે શાહનવાઝના મિત્ર સમીર ઉર્ફે મરઘાએ પરિયા ગઢવી પર ફાયરિંગ કર્યું હતું ત્યારે શાહનવાઝ સમીર ઉર્ફે મરઘાની સાથે હતો અને કાર ચલાવતો હતો તે બાબતનો ખાર રાખી પરિયાએ ફાયરિંગ કરી વેર વાળ્યું હતું. આ ગેંગવોરની સ્થિતિએ ફરી એકવાર સાબિત કરી દીધુ છે કે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. આવી સ્થિતિમાં અનેક ગુનાઓને અંજામ આપનાર આવા ગુનેગારો સામે ગુજસીટોક ક્યારે તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે.

જંગલેશ્ર્વર નજીક 15મી ઓગસ્ટની મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગ કરી યુવકની હત્યાનો પ્રયાસ

પુનિતનગરની અને જંગલેશ્ર્વરની ગેંગ વચ્ચે કેટલાક સમયથી ડખ્ખો ચાલે છે
ખ્વાઝા એપાર્ટમેન્ટ નીચે એસ.એ.જ્વેલર્સ દુકાન પાસે બેઠો હતો અને તેના માસીના દીકરા સાથે મોબાઈલમાં વીડિયોકોલ પર વાતચીત કરતો હતો ત્યારે સ્કૂટરમાં ભઇલો ગઢવી અને પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી ધસી આવ્યા હતા. ભઇલા ગઢવીએ કહ્યું હતું કે, ’લોડ કર જલ્દી અને તે સાથે જ પરિયા ગઢવીએ તેના હાથમાં રહેલી પિસ્ટલ ત્રણ વખત ખેંચી હતી, આ દૃશ્ય જોઈને શાહનવાઝ ગભરાઈ ગયો હતો. પરિયા ગઢવીએ નજીક જઈને શાહનવાઝ પર બે રાઉન્ડ ફાયર કરી દીધા હતા. ફાયરિંગ થતાં જ શાહનવાઝ પડી ગયો હતો, આજે તો તને પતાવી જ દેવો છે તેવું કહીને ભઇલો ગઢવી અને પરીયો ગઢવીએ ગાળો ભાંડી હતી. શાહનવાઝનો મિત્ર અફઝલ દિલાવર બ્લોચ નજીકમાં જ હતો તેણે શાહનવાઝને બાઇકમાં બેસાડી હોસ્પિટલમાં ખસેડયો હતો. શાહનવાઝને છાતીમાં ડાબી તરફ બે જગ્યાએ ઇજા થઇ હતી. ફાયરિંગની ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સરવૈયા સહિતની ટીમ દોડી ગઈ હતી. શાહનવાઝે ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાતેક મહિના પહેલાં પુનિતનગરના પાણીના ટાંકા પાસે શાહનવાઝના મિત્ર સમીર ઉર્ફે મરઘાએ પરિયા ગઢવી પર ફાયરિંગ કર્યું હતું ત્યારે શાહનવાઝ સમીર ઉર્ફે મરઘાની સાથે હતો અને કાર ચલાવતો હતો તે બાબતનો ખાર રાખી પરિયાએ ફાયરિંગ કરી વેર વાળ્યું હતું. આ ગેંગવોરની સ્થિતિએ ફરી એકવાર સાબિત કરી દીધુ છે કે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. આવી સ્થિતિમાં અનેક ગુનાઓને અંજામ આપનાર આવા ગુનેગારો સામે ગુજસીટોક ક્યારે તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે.

પેંડા ગેંગે વર્ષ 2016માં કોન્સ્ટેબલ ભરત ગઢવીની હત્યા કરી હતી
હત્યા સહિત 15 ગુનાઓને અંજામ આપનાર નામચીન પેંડા ગેંગના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજાએ વર્ષ 2016મા પોલીસમેન ભરત ગઢવીની હત્યા કરી હતી. આ હત્યામાં નામચીન શક્તિ ઉર્ફે પેંડો સહિતના સાગરીત સામે ફરિયાદ નોંધાઇ હતી

રાજકોટમાં અગાઉ અનેક ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે
રાજકોટ શહેરના કુખ્યાત ઇમ્તિયાઝ ઉર્ફે લાલો અને તેના દસ સાગરીત સામે ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો નોંધાયો હતો. હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપનારા 11 શખ્સોની ટોળકી વિરુદ્ધ રાજકોટ પોલીસે ગુજસીટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરી હતી. ત્યારબાદ થોડો સમય રાજકોટમાં શાંતિ હતી. હવે અલગ અલગ ગેંગ બનાવી અનેક ગુનાઓને અંજામ આપનાર આવા ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવે તે જરૂરી છે.

જેલમાંથી પરેશ બહાર આવતા પાંચ દિવસ પછી બદલો લેવા જંગલેશ્ર્વરની ગેંગે તેના પર ફાયરિંગ કર્યુ હતું
મકરસંક્રાંતિના દિવસે ગોકુલધામ વિસ્તારમાં જંગલેશ્વરનો સોહેલ પોતાની ગર્લફ્રેન્ડ સાથે નીકળ્યો હતો ત્યારે પેંડા ગેંગના સાગરીતો પરેશ ઉર્ફે પરીયો, યાસીન ઉર્ફે ભુરો, મેટીયો ઝાલા સહિતનાઓએ સોહેલની ગર્લફ્રેન્ડનો હાથ પકડી બિભત્સ માંગણી કરી હતી. ત્યારે સોહેલ પર ચારેય શખ્સોએ હૂમલો કર્યો હતો અને છરી સહિતના હથિયારો કાઢ્યા હતાં. જે હૂમલામાં સોહેલને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો અને પેંડા ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યા બાદ જેલમાં ધકેલાયા હતાં. જેલમાંથી પરેશ બહાર આવતા પાંચ દિવસ પછી બદલો લેવા જંગલેશ્વરની ગેંગે તેના પર ફાયરીંગ કર્યુ હતું.

 

You Might Also Like

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત

ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદની સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીની હત્યા બાદ ભારેલો અગ્નિ
Next Article મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસમાં સાત આરોપીઓ સામેની પોલીસ ફરિયાદ રદ્દ કરવાનો ગુજરાત હાઇકોર્ટનો આદેશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
TALK OF THE TOWNરાજકોટ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?