By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    10 hours ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    1 day ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    1 day ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    2 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    9 hours ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    9 hours ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    1 day ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    1 day ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 day ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    3 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    4 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    9 hours ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    6 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    7 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    7 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    2 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    6 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આશિકી ઉર્ફે આસક્તિનું એનાલિસિસ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > આશિકી ઉર્ફે આસક્તિનું એનાલિસિસ!
Author

આશિકી ઉર્ફે આસક્તિનું એનાલિસિસ!

Khaskhabar Editor
Last updated: 2025/07/26 at 4:06 PM
Khaskhabar Editor 11 months ago
Share
7 Min Read
SHARE

કાર્તિક મહેતા

સૈયારા જેવી પ્રેમકથાઓ અનેક બને છે.. લોકો એને પસંદ કરે છે. કેમકે, પ્રેમની લાગણી એવા હોર્મોન શરીરમાં પ્રેરે છે જે બહુ બળવાન હોય છે. પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયો ના કોઈ, એક હી આખર પિહુ કા, પઢે સો પંડિત હોઇ……. આ પંક્તિઓ બહુ જાણીતી લાગશે.. લાગે તે સ્વાભાવિક છે કેમકે હિન્દી ફિલ્મોના માધ્યમથી આપણે સતત “ઢાઈ અક્ષર પ્રેમ કા” સાંભળીએ છીએ. આ દોહાના રચયિતા કબીરજી એ તો ઉપર લખ્યું એમ “એક હિ આખર પિહું કા” એવું લખેલું. એક હિ આખર પીહુ કા નો અર્થ શું? એક હિ આખર પિહૂ કા એટલે ઈશ્વરના નામનો એક જ અક્ષર એવો ૐ કાર. ઈશ્વરને અનેક સ્વરૂપે પુજી શકાય એવી વ્યવસ્થા આપણા ઉદાર એવા હિંદુ ધર્મમાં છે. એમાં એક સ્વરૂપ છે “પ્રિયતમ” નું સ્વરૂપ. પોતાને એક પ્રેમિકા ધારીને ઈશ્વરને પોતાના પ્રેમી ગણીને ઈશ્વરની ભક્તિ કરવી એને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય છે. આથી તો આપણે ત્યાં ઈશ્વરને નાથ /સ્વામી એવા શબ્દોથી સંબોધવામાં આવે છે. કબીર જી નાથ સંપ્રદાયની વિચારધારાથી અત્યંત પ્રભાવિત એવા ગૃહસ્થ યોગી હતા. એમણે પોતાના દોહાઓમાં સતત પ્રાણાયામ, સાધના અને યોગમાર્ગ ના વર્ણન કર્યા છે. ગુરુ ગોરખનાથજી રચિત ગોરક્ષ સંહિતા અને હઠયોગ અંગેના સાહિત્યમાં જે યોગ માર્ગનું વિવરણ છે તે જ વિવરણ કબીરજી એ સરળ ભાષામાં લોકોને આપ્યું. પણ, બોલીવુડવાળાઓએ કબીરજી રચિત આ ક્લાસિક દોહાનો અનર્થ કરી નાખ્યો. સ્ત્રી પુરુષ વચ્ચેના વિજાતીય પ્રેમને ઘુસાડીને કબીરજીના આ અદભૂત આધ્યાત્મિક દોહાને વિકૃત કરી મૂક્યો !! સ્ત્રી પુરુષ વચ્ચેનો પ્રેમ સંબંધ જન સામાન્ય નો પ્રિય વિષય છે. કોઈ એવું ના મળે જેને પ્રેમ કથામાં રસ પડે નહિ. સિગ્મંડ ફ્રોઈડ કહેતા કે સેકસ માનવ જીવનનું ચાલક બળ છે. સ્ત્રી પુરુષ વચ્ચેનો પ્રેમ ખરેખર આ સેકસ માટેની પૂર્વ તૈયારી હોય છે આથી દરેક માણસને પ્રેમની વાતો આકર્ષે છે. પ્રેમ એક અદ્ભુત લાગણી છે. પ્રેમ થતા જ માણસ પોતાની આસપાસની તમામ વિષમતાઓ વિસરી જાય છે, દુનિયાને ફૂલ ગુલાબી જોવા લાગે છે, એને મધુરાધિપતેરખીલમ મધુરમ એટલે કે આ આખું ફાની તોફાની નાશવંત એવું જગત મધુરું મીઠું લાગવા લાગે છે. એમ કહીએ તો અતિશયોક્તિ નથી કે પ્રેમ જેટલી સુંદર મધુર અને આનંદ આપતી લાગણી બીજી કોઈ ઈશ્વરે બનાવી નથી. આથી લોકોને પ્રેમકથાઓ વાંચવી અને જોવી ગમે છે.

- Advertisement -

પ્રેમગીત સાંભળવા ગમે છે. રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોમાં પણ વિજાતીય પ્રેમની અનેક કથાઓ મૂકવામાં આવી છે.શ્રીકૃષ્ણ અને રાધાજી વચ્ચેના પ્રેમનું વર્ણન જે શ્રીમદ્ ભાગવત થી લઈને ગીત ગોવિંદમાં થયેલું છે તે અત્યંત શૃંગારિક છે. આપણા આદિકવિ નરસિંહ મહેતાએ પણ રાસલીલાનું અતિ શૃંગારિક વર્ણન કર્યું છે જેમાં શ્રીકૃષ્ણ અને રાધા /ગોપીઓ વચ્ચેના પ્રેમની વાત છે. શિવતાંડવ સ્તોત્ર જેની રચના રાવણે કરી હોવાનું કહેવાય છે તેમાં પણ શિવ અને પાર્વતી વચ્ચેના પ્રણયની વાતોને સૂક્ષ્મ રીતે વણી લેવાઈ છે. કાલિદાસ રચિત કુમાર સંભવમ કાર્તિક સ્વામીના જન્મની કથા છે એમાં પણ શિવ અને પાર્વતીના પ્રણયને બહુ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ઈસ્લામિક કાળમાં ખીલી ઉઠેલ ફારસી અને હિન્દીના મિક્ષ્ચર સમાન ઉર્દૂ સાહિત્યે પણ પ્રેમ ઉપર અઢળક રચનાઓ આપી છે. અમુક રચનાઓ તો એટલી ગહન અને હ્રદયસ્પર્શી મળી આવે કે એને પામીને ધન્યતાની લાગણી થાય !! પરંતુ હવે એક મહત્વની વાત કરવાની છે. આ બધા સાહિત્યમાં જે પ્રેમ , જે ઇશ્ક (ફારસી શબ્દ જેના મૂળ સંસ્કૃત એવા “આસક્તિ”માં છે, આસક્તિ જેને કૃષ્ણ પરમ શત્રુ કહે છે , એ જ) ની વાત આવે છે તે શું સ્ત્રી પુરુષ વચ્ચેના વિજાતીય પ્રેમની વાતો છે?? જવાબ છે : ના. ફારસી શાયરીઓ હોય કે પ્રાચીન સંસ્કૃત સાહિત્ય. એમાં જે ક્લાસિક પ્રેમના વર્ણનો છે તે બધા મોટેભાગે મેટફર છે, એટલે કે પ્રતીકાત્મક છે. એમાં દેખીતી રીતે ઘણી વાર તો સેકસ અને શૃંગારને લગતી વાતો , અરે ઘણીવાર તો રીતસર અશ્લીલ વાતો પણ રજૂ થઈ છે. એમ છતાં આ વાતોમાં ક્યાંય સ્ત્રી પુરુષ વચ્ચેના પ્રેમની વાત ખરેખર નથી (એવું યોગમાર્ગના જાણકારો કહે છે) કુમાર સંભ્વમમાં કાર્તિકેયનાં જનમ માટે શિવપાર્વતી સંભોગરત થાય તે ક્રિયા કોઈ સ્ત્રીપુરુષ વચ્ચેની સેકસ ક્રીડા નથી!! તે યોગ માર્ગની કુંડલિની જાગરણની પ્રક્રિયાનું પ્રતીકાત્મક નિરૂપણ છે જેમાં મગજમાં સ્થિત શિવને મુલાધારમાં વસતી પાર્વતી (જે કરોડરજ્જુ સ્વરૂપ હિમાલયની પર્વતમાળાને પાર કરીને) કૈલાસ રૂપી મગજમાં વિરાજમાન શિવને મળી જાય છે. કબીરજી પણ આવી અનેક પ્રતીકાત્મક પ્રક્રિયાઓ નું વર્ણન કરે છે.

જેમકે, કબીરજી કહે છે કે જિહ્વા એટલે કે જીભને તાળવે અડાડીને સુરભી ભક્ષણ થાય છે. સુરભી ભક્ષણ એટલે તો ગોમાંસ ભક્ષણ થાય પણ અહીંયા ગોમાંસ ભક્ષણ એટલે જીભને તાળવે અડાડીને બ્રહ્મરંધ થી આવતો સોમરસ પીવાની એક યોગિક ક્રિયાને સુરભી ભક્ષણ કહેવાય. મીરાંબાઈ જ્યારે કહે છે કે “સાંસો કી માલામે સિમરું મે પી કા નામ” ત્યારે તે સ્વર વિદ્યા એટલે કે શ્વાસની વિદ્યા વડે ઈશ્વર એટલે કે પિયુ (પ્રિયતમ) ને સાધવાની વાત માંડે છે. આપણા સૌરાષ્ટ્રના સતી પાનબાઈ પણ શ્વાસ વડે નાડિશુદ્ધી કરીને ઈશ્વર પ્રાપ્તિની વાતો કરતા જણાય છે. ફારસી /ઉર્દૂ શાયરીઓમાં પણ સાકી અને શરાબના ઉલ્લેખ પ્રતીકાત્મક છે કેમકે ઇસ્લામમાં શરાબ હરામ છે. એટલે શરાબનું અનુમોદન થાય નહિ. તો અહીંયા જે શરાબની વાત છે તે કબીર જી કે મીરાબાઈ કે ગુરુ ગોરખનાથ દ્વારા જે સોમરસ પીવાની વાત છે તેનું પ્રતીક છે. આસક્તિ એટલે કે આશિકી એટલે કે ઇશ્ક એટલે કે મહોબ્બત એટલ કે પ્રેમ એક બહુ ખતરનાક લાગણી છે. યુવાન વયમાં આ લાગણી એટલી ઉદ્દંડ હોય છે કે અનેક લોકોના જીવન એને કારણે બરબાદ થઈ જતા હોય છે. ફિલ્મોમાં દેખાડવામાં આવતી કે વાર્તાઓમાં લખવામાં આવતી આશિકી અને મહોબ્બત બહુ લલચામણી હોય છે. ભોજનમાં જેટલું મીઠું /નમક મહત્વનું છે એટલું જ મહત્વ જીવનમાં આ ઇશ્ક /આશિકી/મહોબત/પ્યાર/પ્રેમ વગેરે નું છે. એના વિના જીવન ફિક્કું છે. એટલે તો ઈશ્વરને પામવાનો માર્ગ પ્રદર્શિત કરવા માટે વિદ્વાનોએ પ્રેમ્મનું રૂપક પસંદ કર્યું છે પણ નમક જો સ્વાદ થી વધારે પડી જાય તો ભોજનને તદ્દન અખાદ્ય બનાવી શકે છે.

You Might Also Like

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

TAGGED: Aasakti, GOD
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિઝાનો ઈતિહાસ
Next Article વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ સાથે વહીવટી છબરડો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

આ તે કેવું ? : એક રાત માટે તારી પત્ની મારી અને મારી પત્ની તારી!

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
પાવાગઢમાં લેન્ડસ્લાઇડ : ડુંગર પરથી પથ્થર ગબડતા 2 યાત્રિકના મોત, 5ને ઇજા
ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો
ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મનીષ આચાર્ય

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?