દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે 23 ભાષાના લેખકોને યુવા પુરસ્કારની જાહેરાત કરાઇ છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે અપાતા યુવા પુરસ્કારની જાહેરાત 18 જૂનના રોજ કરવામાં આવી છે. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ભારતની વિવિધ ભાષાના યુવા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતી ભાષાના યુવા પુરસ્કાર તરીકે યુવા લેખક મયૂર ખાવડુના નિબંધ સંગ્રહ નરસિંહ ટેકરીની પસંદગી કરવામાં આવી છે. મયૂર ખાવડુને નરસિંહ ટેકરી નિબંધ સંગ્રહ માટે વર્ષ 2025નો દિલ્હી સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. આ વર્ષે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા 23 ભાષાના યુવા લેખકોને યુવા પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતી ભાષાનો યુવા પુરસ્કાર મયૂર ખાવડુના નિબંધ સંગ્રહ નરસિંહ ટેકરીને આપવાની જાહેરાત કરાઈ છે.
મહત્વનું છે કે, ગુજરાતી ભાષામાંથી ચાર પુસ્તકો નોમિનેટ થયા હતા. જેમાં બાદલ પંચાલની ટૂંકી વાર્તાનું પુસ્તક છાપરા પર પાંખો, હિરેન દેસાઈની નવલકથા રંભાસૂર, જીતેશ દોંગાની નવલકથા રામબાઈ અને મયૂર ખાવડુના નિબંધ સંગ્રહનું પુસ્તક નરસિંહ ટેકરી હતા. જેમાંથી મયૂર ખાવડુના નિબંધ સંગ્રહ નરસિંહ ટેકરીએ બાજી મારીને વર્ષ 2025નો દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર જીતી લીધો છે.દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા યુવા પુરસ્કાર માટે અલગ અલગ ભાષાના જાણકારોની જ્યુરી મેમ્બરની પેનલ બનાવવામાં આવી હતી. જેમાં ગુજરાતી ભાષા માટે જ્યુરી મેમ્બર તરીકે ડો. દર્શના ધોળકિયા, વર્ષા અડાલજા અને પ્રો. ભરત પંડ્યા હતા. આ જ્યુરી મેમ્બરો દ્વારા યુવા પુરસ્કારની પસંદગી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ગુજરાત સાહિત્ય અકાદમી વર્ષ 2023 માટે બાળ વિભાગના બાળ વાર્તા કેટેગરીમાં યુવા લેખક મયૂર ખાવડુ અને પરમ દેસાઈના પુસ્તક ‘અજય-અમિત અને મિલનું ભૂત‘ (કિશોર સાહસકથા)ને પ્રથમ ક્રમે પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.