બ્રાહ્મણી નદી બે કાંઠે,પુલના કામમાં ભ્રષ્ટાચાર થયાનો ગ્રામજનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજ સમયે ધિમીધારે વરસાદ શરૂ થયો હતો. અને રાત્રે નવ વાગ્યાની આસપાસ જોરદાર વરસાદ શરૂ થયો હતો,વરસાદને લઈને ધણા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું.
- Advertisement -
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બ્રાહમણી નદીમાં પાણી ની આવક વધું જોવા મળી હતી. જેના કારણે સરા થી ધાંગધ્રા ને સરાને જોડતા કોઝવે નુ ચિત્રોડી પાસે કોજવેનું ધોવાણ થતાં સરા,થાન, ચોટીલા, કોંઢ, રતનપર , બાવળી ,ધાંગધ્રા સહિતના રસ્તાઓને જોડતા કોઝવે નું ધોવાણ થતાં આજુબાજુના અનેક ગામોમાં વહાન વ્યવહાર સુપર્ણ બંધ રહ્યો હતો. વિદ્યાર્થીઓ સરા તેમજ ધાંગધ્રા અપ ડાઉન કરતા હોય તે વિદ્યાર્થીઓ માટે પણ ભારે હાલાકી વેઠવી પડી હતી,દવાખાને જતા દર્દીઓને લઈ જવા પણ મુશ્કેલ પડી હતી, સ્થાનિકો દ્વારા કામમાં ગેરરીતી થતી હોવાના આક્ષેપ કર્યો હતો.તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વિકલ્પ કરી દેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે. કોઝ્વે નું કામ તાત્કાલિક ધોરણે પૂરું કરવામાં આવે તેવી માંગણી કરી છે.