ડોક્ટરોના જણાવ્યા મુજબ, 101 મૃતકોના નશ્વર અવશેષો જે તેમના સંબંધીઓને સોંપવામાં આવ્યા છે તે ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન અને દીવના વિવિધ ભાગોના હતા.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 135 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 101 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે. 12 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. જ્યારે 5 પરિવારો સાથે હોસ્પિટલ તંત્ર સંપર્કમાં છે. 17 પરિવારો બીજા સ્વજનના DNA મેચની રાહમાં છે.
- Advertisement -
ડો.રાકેશ જોશીએ જિલ્લા દીઠ સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી હતી. જેમાં વડોદરાના 13, અમદાવાદના 30, આણંદના 9, ભરૂચના 4, ગાંધીનગરના 5, મહેસાણાના 5, ખેડાના 10, સુરતના 3, અરવલ્લીના 2, દીવના 4 તથા બોટાદ, જુનાગઢ, અમરેલી, મહીસાગર, ભાવનગર, ગીર સોમનાથ, નડિયાદ અને રાજકોટના 1 તેમજ અન્ય રાજ્યોમાં ઉદેપુરના 2, જોધપુરના 1, પટનાના 1 અને મહારાષ્ટ્રના 4 મૃતકોના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.
ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે. જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે. સાથે જ તેમણે પરિવારજનો પાર્થિવ દેહ સ્વીકારવા આવે ત્યારે હાથ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરી અને કરવામાં આવેલી વ્યવસ્થા વિશે પણ માહિતી પૂરી પાડી હતી.
- Advertisement -