વહેલી સવારે 8 કોલસાના ગેરકાયદે કૂઆ સહિત 10 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાના ગેરકાયદેસર ખનન પર દરોડા બાદ પણ ખનિજ ચોરી અટકવાનું નામ નથી લેતી તેવામાં હવે થાનગઢ ખાતે સદંતર કોલસાનું ખનન બંધ થયું હોવાની પોકળ વાતો છતી કરતા જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા દરોડા કર્યા હતા.
જેમાં આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગના ઈનચાર્જ ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ વાઢેર તથા તેઓની ટીમ દ્વારા થાનગઢ વિસ્તારમાં ચાલતા કોલસાના ગેરકાયદેસર ખનન પર દરોડા કર્યા હતા. ખનિજ વિભાગના દરોડા દરમિયાન કુલ 8 કોલસાના ગેરકાયદેસર કૂવા તેમજ મોટા પ્રમાણમાં કોલસાનો જથ્થો જપ્ત કરી લેવાયો હતો.
થાનગઢ પંથકમાં મોદી રાત્રે શરૂ થતા કોલસાના કારોબાર પર ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડો કરી હજુય કેટલાય વિસ્તારોમાં ખનિજ ચોરી ચાલતી હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે થાનગઢ ખાતે આ દરોડા દરમિયાન ખનિજ વિભાગની ટીમે આશરે દસ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી સરકારી અને કેટલીક ખાનગી જમીન પર ચાલતા કોલસાના ખનન અને વહન કરનારા ઈસમો વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.